________________
ગગ ધ્યાન
હિત શિક્ષા
દુનિયામાં કોઈ કોઈનું ક્યારેય થયું નથી ? તો આટલી બધી મમતા - આસક્તિ શા માટે કરવી ? રાગ કરી કરીને આપણે તો દુ:ખી થવાનું આવે છે. મારું મારું કરીને જ આપણે મરી ગયા. માટે હે જીવ! જિંદગીમાંથી કામરાગ-સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ કાઢ. અત્યારે મિથ્યામતનું પ્રવર્તન એટલે જિનાજ્ઞાથી વિરુદ્ધ પોતાને સાચુ લાગે તે પ્રમાણે ચર્ચાઓ કરી એમાં અડગ રહી આત્માનું અહિત કરે છે. માટે તમારા વ્યક્તિગત વિચારો છોડો- શાસ્ત્ર જે કહે છે તે જ બોલો. આજે ઘણા કહે છે દેવદ્રવ્યની આટલી મોટી રકમો છે તો ગરીબ લોકોને સુવિધા આપો. આવી આપણા મતની વાતો કરવી નહીં
અનુકુળતાનો રાગ એ સરવાળે કામરાગ છે માટે અનુકૂળતા જ જોઈએ, પ્રતિકુળતા ન જ જોઈએ આવો ભાવ ન રાખતા છેવટે જે હોય તે ચાલશે આવી મનોવૃત્તિ કેળવવી જોઈએ.
ગૌતમસ્વામી જેવા ગણધરને મહાવીરસ્વામી પ્રત્યે પ્રશસ્ત સ્નેહ હતો ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું તો આપણા જેવાના અપ્રશસ્ત સ્નેહ રાગ કરી કરીને આપણું શું થશે ? એ વિચારવા જેવું છે.