SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) સમિતિ-ગુપ્તિ ૨૮૧ મન-વચન-કાયાથી થાતી, રોકે પાપ-પ્રવૃત્તિ, અથવા યોગ ત્રણે રોકાતાં, માની છે ત્રણ ગુહિ. હો ભક્ત અર્થ - મનવચનકાયાવડે જે પાપની પ્રવૃતિ થાય છે તેને રોકવી અથવા ત્રણેય યોગને સ્થિર કરવા તેને ત્રણ ગુપ્તિ માનેલ છે. પાા ૧. ઈર્યા-સમિતિ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્રો, જિન-પ્રતિમા–વંદન કાજે જાતાં, ગુરુ-આચાર્ય-તપવૃદ્ધ સેવવા ભાવ હૃદયમાં થાતાં હો ભક્ત અર્થ :- સમેતશિખર, ગિરનાર, ચમ્પાપુરી, પાવાપુરી અને શત્રુંજય આદિ પ્રસિદ્ધ સિદ્ધ ક્ષેત્રોની યાત્રાએ જતાં અથવા બીજા તીથમાં જિન પ્રતિમાના વંદન કાજે જતાં અથવા ગુરુ, આચાર્ય કે તપોવૃદ્ધ મુનિની સેવા કરવાનો ભાવ હૃદયમાં ઉત્પન્ન થતાં મુનિને જે ઉપયોગપૂર્વક ચાલવું થાય છે તે ઈર્ષા સમિતિ કહેવાય છે. કાા દિવસે લોક જતા તે રસ્ત, તર્જી પ્રમાદ જો ચાલે, ચાર હાથ આગળ વૃષ્ટિ કરી, દયા મુનિજન પાળે. હો ભક્ત અર્થ – દિવસે જે માર્ગે લોકો ચાલે તે માર્ગ ઉપર પ્રમાદ તજીને ઉપયોગપૂર્વક ચાર હાથ આગળ પ્રકાશમાં જોઈને મુનિજન જીવોની દયા પાળતા ચાલે, તેનું નામ ઈર્ષા સમિતિ છે. IIળા ઈર્યા-સમિતિ તેને કહિયે, જીંવ-રક્ષાનો હેતુ, પાપ-નિમિત્તો અનેક ટળતાં, ભવજળ તરવા સેતુ. હો ભક્ત અર્થ - ઈર્યા-સમિતિ તેને કહેવાય કે જ્યાં જીવોની રક્ષા કરવાનો હેતુ છે. રસ્તામાં કીડી, મકોડી અથવા ઘાસના અંકૂર, તૃણ કે લીલા પાંદડા અથવા કીચડ વગેરે ન હોય તેવા સ્થાન ઉપર મુનિ ઉપયોગપૂર્વક ચાલે તેને ઈર્ષા સમિતિ કહેવાય છે. ઉપયોગપૂર્વક ચાલવાથી પાપના અનેક કારણો ટળે છે. ઉપયોગ ત્યાંજ ઘર્મ છે. આ બધા સાઘનો ભવજળ તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે. વરદત્ત ઋષિનું દ્રષ્ટાંત - વરદત્ત ઋષિ ઈર્ષા સમિતિ પાળવામાં દ્રઢ હતા. ઇન્દ્ર તેમની પ્રશંસા કરી. દેવ પરીક્ષા કરવા આવી રસ્તામાં માખીઓ જેવડી અનેક દેડકીઓ વિદુર્થી. પગ મૂકવાની જગ્યા નહીં. મુનિ ધ્યાનમાં સ્થિત હતા. જેથી હાથીઓનું ટોળું વિફર્વી કહ્યું : હે ઋષિ ખસી જાઓ દૂર જતા રહો, તોય અડોળ રહ્યા. હાથીએ આવી ઉછાળ્યા. નીચે પડતા મુનિએ વિચાર્યું કે અહો મારો દેહ પડતા ઘણી દેડકીઓનો વિનાશ થઈ જશે. એમ દ્રઢપણે ભાવમાં ઈર્ષા સમિતિનું પાલન જોઈ દેવે પ્રગટ થઈ અપરાઘ ખમાવ્યો અને સમકિત પામી સ્વર્ગે ગયો. દા. આજ્ઞા જેમ આપી છે તેમ જ, ચાલવું પડતાં ચાલે, આજ્ઞાના ઉપયોગપૂર્વક ક્રિયાથી નરતન પાળે. હો ભક્ત અર્થ - “જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું.” -શ્રીમદ્ રાજચંદ્ર આજ્ઞાના ઉપયોગપૂર્વક ક્રિયા કરીને મુનિ આ નરદેહનું પાલન કરે છે. લા. મનિ-માર્ગ સમતાનો ભાખ્યો. પ્રયત્નપૂર્વક ચાલો. સ્વરૂપ સમજી મમતા મૂકી, આત્મધર્મ અજવાળો. હો ભક્તો
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy