SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ:- જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી મોક્ષપદ સુલભ છે એમ મહાપુરુષોએ કહ્યું છે, તો ક્ષણે ક્ષણે આત્માનો ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ મોક્ષમાર્ગ તેમના દ્રઢ આશ્રયે કેમ સુલભ ન હોય? અર્થાત્ હોય જ. આત્મઉપયોગ સ્થિર થયા વિના મોક્ષપ્રાપ્તિ હોય નહીં. જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.” (વ.પૃ.૪૪૭) IIટા જ્ઞાનીપુરુષનાં વચન તણો દ્રઢ આશ્રય જે નર પામ્યો છે, તેને સાઘન થાય સુલભ સૌ, અખંડ નિશ્ચય માન્યોજી. સૂક્ષ્મ અર્થ :- જ્ઞાનીપુરુષના વચનમાં જેને દ્રઢ શ્રદ્ધા હોય તેને મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, સંયમાદિ સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય જ્ઞાનીઓએ માન્ય કરેલ છે. જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?” (વ.પૃ.૪૪૭) //લા સત્પરુષે એ સ્પષ્ટ કહ્યું છે, કેમ મુમુક્ષુ મૂકેજી? સ્વરૃપ વૃત્તિનું જાણી, તેને તવાનું ના ચૂકેજી. સૂક્ષ્મ અર્થ - સત્પરુષે બોઘમાં એ સ્પષ્ટ જણાવ્યું છે. ખરો મુમુક્ષુ હોય તે હવે કેમ મૂકે? તે પોતાની વૃત્તિઓ ક્યાં ક્યાં મોહ પામી રહી છે તે જાણી તેને જીતવાનું ચૂકે નહીં. I/૧૦ના તોપણ કાળ દુઃષમ તેથી રહો સૌ સત્સંગ સમીપેજી, કે દ્રઢ આશ્રય નિશ્ચયપૂર્વક ટકતાં આત્મા દીપેજી. સૂક્ષ્મ અર્થ - વર્તમાનકાળ ઘણો દુઃષમ હોવાથી જ્યાં સત્સંગ હોય ત્યાં સર્વે રહેવાનો પુરુષાર્થ કરો. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.” કર્મને આધીન સત્સંગમાં રહેવાનું ન બને તો સન્દુરુષનો દ્રઢ આશ્રય તેના વચનબળે નિશ્ચયપૂર્વક ટકાવી રાખવો. જેથી ત્યાં રહ્યાં પણ આત્મા નિર્મળતાને પામતો જાય. ||૧૧|| આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાઘન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૭) I/૧૧ાા અત્યંત નિવૃત્તિ અસત્સંગથી જરૂરની આ કોલેજી; કઠણ સાઘનો પ્રથમ ઇચ્છતાં, સૌ સાથન ઝટ ફાલેજી. સૂક્ષ્મ અર્થ - અસત્સંગથી અત્યંત એટલે સંપૂર્ણપણે નિવૃત્તિ મેળવવી એ આ કાળમાં બહુ જરૂરી છે. ઘર, કુટુંબ, વ્યવસાય આદિ કાર્યોથી નિવૃત્ત થવું પ્રથમ જીવને વસમું લાગે પણ કઠણ એવા સાઘનોની નિવૃત્તિ પ્રથમ ઇચ્છતા બીજા સૌ સાધન શીઘ્ર ફળીભૂત થાય છે. તેને સત્સંગ, સવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આવે છે.
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy