SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હું છ પદનો નિશ્ચય થવા બળવાન યત્નો આદરું, પણ માર્ગદર્શક આપ તેમાં, વચન અનુભવીનું ખરું. ૧ અર્થ – શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં હું હૃદયમાં ઉલ્લાસભાવ ઘારણ કરીને નમસ્કાર કરું છું. જન્મ જરા મરણથી રહિત એવા પરમપદરૂપ મોક્ષપદને પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, એ વાતને અંગીકાર કરીને, હું છ પદના નિશ્ચયને દૃઢ કરવા માટે બળવાન પ્રયત્નો આદરું, પણ હે કૃપાળ ! આપના જેવા અનુભવી પુરુષોના વચનની માર્ગદર્શક રૂપે તેમાં અત્યંત આવશ્યક્તા છે, કેમકે હું મોક્ષમાર્ગનો સાવ અજાણ છું. [૧] શ્રી સન્દુરુષોનાં વચન અમી તુલ્ય મુદ્રા એ, અહો! શ્રી સત્સમાગમ એ અહો! મુજ લક્ષ ચોરાશી દહો; એ લક્ષ ચોરાશી ભમી નરભવ-કિનારે આવતા સંષત ચેતનને હજીયે દેહ-ભાવો ભાવતા, ૨ અર્થ :- અહો! શ્રી પુરુષોના અમૃત સમાન વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. અહો કહેતા તે આશ્ચર્યકારક છે કે જે મારા ચોરાશી લાખ જીવયોનીમાં થતા અનાદિકાળના પરિભ્રમણને ટાળવા સમર્થ છે. એ ચોરાશી લાખ જીવયોનીમાં ભમી ભમીને હવે આ મનુષ્યભવરૂપી સમુદ્રના કિનારે આવી પહોંચ્યું છું, છતાં હજીએ સુષુપ્ત એટલે મોહનીદ્રામાં સૂતેલા એવા મારા આત્માને દેહમાં રમણતા કરવાના જ ભાવો પ્રિય લાગે છે. “અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાઇ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તા!” (વ.પૃ.૬૩૪) //રા જાગ્રત કરાવે આત્મ-ભાવો સન્દુરુષો બોઘથી, જો, ભાન ભૂલવે સંગ અવળા, સ્થિરતા સત્સંગથી; પ્રેરે સ્વભાવ અપૂર્વ ને નિર્દોષ દર્શન માત્રથી, પ્રતીતિ સ્વરૂપ તણી જગાવી અપ્રમત્તે સાંકળી. ૩ અર્થ :- સપુરુષો પોતાના બોઘબળે મારા આત્મભાવોને જાગૃત કરે છે છતાં “અસત્સંગ અને અસત્યસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.” તે ભાવોની જાગૃતિ સત્સગવડ થઈ શકે. સપુરુષોના વચનામૃતો, પૂર્વે કદી પ્રાપ્ત થયા નહીં એવો અપૂર્વ આત્મસ્વભાવ તેને પામવાની પ્રેરણા આપે છે તથા વીતરાગ મુદ્રા દર્શન માત્રથી પણ નિર્દોષ છે, તે પોતાના વીતરાગ સ્વરૂપની પ્રતીતિ એટલે શ્રદ્ધા જાગૃત કરાવી, સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલી સંયમરૂપ ધ્યાન અવસ્થાને પ્રગટાવવા સમર્થ છે. કા વિતરાગ, નિર્વિકલ્પ ભાવ જગાવી દે એ પૂર્ણતા, અંતે અયોગી ભાવથી દે પૂર્ણ સુખે સ્થિરતા. આવા અપૂર્વ સુયોગનો લઈ લાભ ના અટકું હવે, પુરુષાર્થ કરી તેવો બનું, બીજા બીજાં છોને લવે. ૪
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy