SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨૪૫ અર્થ - જેમ અજ્ઞાનવશ આંખો મીંચીને ત્વરિત-ગતિથી જીવ જડ ક્રિયા કરીને કે શુષ્કજ્ઞાની બની દોડ્યો જ જાય છે. ક્યાં જવું છે? એની ખબર નથી; અર્થાત આત્માર્થનો લક્ષ નથી. જેમ વેગમાં ઘોડો દોડે તેમ દોડ્યું જ જાય છે. તેના ફળમાં ચારે ગતિના ભારે દુઃખો ભોગવ્યાં. તે વિચારી હવે સાચાં સદ્ગુરુની આજ્ઞાને પકડી રાખી તેની જ આરાઘના કરો, તો તમને મોક્ષમાં પ્રવેશ કરવાની બારી મળી ગઈ એમ જાણજો. રિરા જે જાણ્યું તે ભ્રમણ-ફળનું આપનારું થયું છે, જે માનીને પરમ હિતનું ચોટ ખોટી કરી તેભૂલી સર્વે, બીર્જી નજરથી જાણવું, માનવું છે, સાચા જ્ઞાની ઉપર ઘરીને પ્રેમ, સૌ સોંપવું રે! ૨૩ અર્થ - હમણાં સુધી જે જાયું તેનું ફળ સંસાર પરિભ્રમણ જ આવ્યું. જેના પ્રત્યે પરહિતનું કારણ જાણી ચોટ કરી તે પણ ખોટી ઠરી. માટે હવે તે સર્વેને ભૂલી, જ્ઞાની પુરુષ દ્વારા આપેલ બીજી નજર એટલે સમ્યકષ્ટિ વડે જ જાણવું છે અને માનવું છે. સાચા જ્ઞાની પુરુષ ઉપર પ્રેમ ઘરી, સર્વ મન વચન કાયા તથા આત્માને અર્પણ કરી, જીવન ઘન્ય બનાવવું એવી જે જ્ઞાની પુરુષોની શિખામણ છે તે હવે હૃદયમાં ઘારણ કરું. ર૩ી મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ર્જીવન જીંવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો ર્જીવન-પલટો મોક્ષ-માર્ગી થવાને. ૨૪ અર્થ :- મંત્રથી જાણે મંત્રાઈ ગયો હોઉં તેમ સ્મરણ કરતો હવે મારો બાકી રહેલો જીવનનો સમય પસાર કરું. જ્યાં મારી નજર પડે ત્યાં પર વસ્તુ સંબંધીના વિકલ્પો ભૂલી પરાયા બોલો બોલવાનો પણ ત્યાગ કરું. માત્ર આત્મા માટે જીવન જીવવાનો લક્ષ રાખી મોક્ષમાર્ગી બનવા સત્પરુષની આજ્ઞા આરાઘવા હવે સાચો જીવનપલટો પામું; એજ મારી પરમકૃપાળુદેવ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે. ૨૪ો. મંત્ર સ્મરણ કરવાથી પોતાના આત્માનું જે સહજ સ્વરૂપ છે તેની ઓળખાણ થાય. તે આત્મસ્વરૂપ પ્રગટવા માટે છ પદની વિચારણા કરી તેનો દ્રઢ નિશ્ચય કરવા યોગ્ય છે. તે અર્થે આ પાઠમાં છ પદને સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે છે : (૭૫) છ પદ-નિશ્ચય (હરિગીત) ફ ગુરુ રાજચંદ્ર-પદે નમું ઉલ્લાસ ઉરે હું ઘરી, તે પરમ પદને પામવા પુરુષાર્થને અંગીકરી;
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy