________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૨ ૫
અર્થ :- ઉત્તમ કાર્યમાં વીર્યની ખામી હોય, સંકુચિત વિચાર હોય, જીવનમાં દુરાચાર હોય તેમજ ઉદારવૃત્તિનો અભાવ હોય તો તે સુખી જીવનની હાનિ કરનાર છે. ભારવા
નૃપતિઓ આ કાળમાં તેથી જીવે અલ્પ;
ઑવન ટૂંકું ય શ્યાધ્ય ના, વિના શુંભ સંકલ્પ. ૨૧ અર્થ - ઉપરોક્ત દોષો જીવનમાં હોવાથી આ કાળના રાજાઓ અલ્પજીવન જીવે છે. તેમનું ટૂંકું જીવન પણ શુભ સંકલ્પ વિના શ્લાધ્ય એટલે પ્રશંસાપાત્ર નથી. ૨૧ના
શુભ સંકલ્પ મને સ્ફર્યોઃ “વિશ્વ-કોષ-વિચાર”
કુટુંબીઓને મેં કહ્યો, તુર્ત થયો સ્વીકાર. ૨૨ અર્થ - એ શુભ સંકલ્પ મને ફરાયમાન થયો કે “વિશ્વકોષ” કરવો. તેનો વિચાર મેં કુટુંબીઓને જણાવ્યો ત્યારે તેમણે પણ તુર્ત સ્વીકાર કર્યો. રરાા
ગણવી સૌની માલિકી કુટુંબ-ઘન જે હોય,
જરૂર જોશું વાપરે જ્યારે જેને જોય. ૨૩ અર્થ:- કુટુંબનું જે ઘન હોય તેના ઉપર સૌની માલિકી ગણવી. જ્યારે જેને જરૂર હોય તે પ્રમાણે વાપરે. ૨૩
પ્રધાનમંડળમાં કરી ઐક્ય-વાત વિખ્યાત,
કબૂલ સર્વેએ કરી, જન્મ્યા જાણે ભ્રાત. ૨૪ અર્થ - પ્રધાનમંડળમાં પણ સર્વ એક થઈને રહેવાની પ્રખ્યાત વાત મેં કરી. તે સર્વેએ કબુલ કરી. જાણે બધા ભાઈરૂપે જ જન્મ્યા હોય તેમ સ્વીકારી લીધું. ૨૪
પ્રસરી પુરજન-મંડળ, સ્વાર્થ તજે જન સર્વ,
નિઃસ્વાર્થી-ગુણવોગ મુજ ગાળે જન-ઘન-ગર્વ. ૨૫ અર્થ:- નગરના જનમંડળમાં આ વાત પ્રસરી ગઈ. જેથી સર્વએ પોતાનો સ્વાર્થ તજી દીધો. મારો એક નિઃસ્વાર્થીગણનો યોગ અર્થાતુ ભાવ થવાથી તે નગર લોકોના ઘનના ગર્વને પણ ગાળવાને સમર્થ બની ગયો. રપા
થીમે ધીમે સઘળી પ્રજા સમજી બની કુટુંબ,
રાજ્ય માલિકી નિજ ગણે, મને ગણી નિર્દભ. ૨૬ અર્થ - ઘીમે ઘીમે સઘળી પ્રજા પણ સમજી જઈ કુટુંબરૂપે બની ગઈ. રાજ્યની માલિકીની મિલ્કતને તે પોતાની માનવા લાગી. અને મને નિર્દભ એટલે માયા કપટ વગરનો ગણવા લાગ્યા. /રકા
સુખ નિજ મિલકતથી મળે તેથી મળે અધિક;
લૂંટાવાનો ભય નહીં, રાજ્ય તણા માલિક. ૨૭ અર્થ :- જે સુખ મિલ્કતને પોતાની માનવાથી મળે તેથી વિશેષ સુખ મિલ્કતને સર્વની માનવાથી મળે છે. તેમાં મમત્વભાવનો નાશ થવાથી ખરું સુખ ઊપજે છે. પ્રજા પોતે રાજ્યની માલિક થવાથી ઘન લૂંટાવાનો પણ ભય રહ્યો નહીં. રશા