SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ આવ્યો છું. કેમકે આપ મહાત્માઓનો પ્રતાપ અચિંત્ય છે. ।।૮૭।। એક મંત્ર-પ્રતાપ કે જો નવજીવન-દાન, પૂર્ણપણે તે ધર્મને પાળ્યે અવિચળ સ્થાન. ૮૮ અર્થ ::– એક નવકાર મંત્રના પ્રતાપથી હું નવું જીવનદાન પામ્યો. તો એ આખો ધર્મ પૂર્ણપણે પાળતા અવિચળ એવું મોક્ષમ્યાન કેમ ન મળી શકે? જરૂર મળે. ટટા સૂક્ષ્મપણે તે ધર્મનો કરો કૃપા-ઉપદેશ, ઇચ્છા વર્તે જાણવા ઃ મુનિવર-ચરિત્ર-લેશ. ૮૯ ૨૨૧ અર્થ :– હે ભગવન્ ! મને હવે સૂક્ષ્મપણે તે ધર્મનો કૃપા કરી ઉપદેશ કરો. વળી આપ મુનિવરના ચરિત્ર સંબંધી પણ લેશ જાણવા મારા હૃદયમાં ઇચ્છા વર્તે છે. ૫૮૯લા પૂર્વ-પુણ્યથી પામિયો મુનિ-સમાગમ સાર, ટળશે ઉર-સંતાપ સૌ સુી બોધામૃત-થાર, ૯૦ = અર્થ :— પૂર્વના અઢળક પુણ્યથી હું આપ જેવા મહાન મુનિવરનો સારરૂપ સમાગમ પામ્યો છું. માટે મારા હૃદયના સર્વ સંતાપ આપની બોઘામૃતની ઘારવડે આજે જરૂર ટળશે એમ મારું માનવું છે. ।।૯। બાળક ના માગી શકે, દે માતા પય-પાન, આત્મ-હિત મુજ જાણીને, યથાર્થ દેજો દાન. ૯૧ અર્થ :— બાળક માતા પાસે મુખેથી માગી શકતું નથી. છતાં માતા તેને દૂધનું પાન કરાવે છે. તેમ મારા આત્માનું હિત શામાં છે તે જાણીને મને પણ ઘટનું દાન આપજો. ।।૯।। વર્ણન શી રીતે કરું? ઉર ઉલ્લાસ ન માય, સદ્ગુરુ-યોગે જાગૃતિ આજ અપૂર્વ જણાય. ૯૨ અર્થ :– આજના હર્ષનું વર્ણન હું શી રીતે કરું? મારા હૃદયમાં અતિ ઉલ્લાસ ભાવ સમાતો નથી. આપ શ્રી સદ્ગુરુના યોગે આજે મને અપૂર્વ જાગૃતિ જણાય છે. ।।૨।। આજ સુધીનાં રાજ-સુખ લાગે થુળ સમાન, તુચ્છપણું જીવે તજ્યું, લાગે બહુ બળવાન. ૯૩ અર્થ :– આજ સુધી જે રાજ-સુખ ભોગવ્યા તે મને ધૂળ સમાન લાગે છે. તે ઇન્દ્રિયસુખના તુચ્છપણાને આજે જીવે તજ્યું, તેથી મારો આત્મા મને બહુ બળવાન જણાય છે. ાણ્ણા ત્રણે લોકનું રાજ્ય પણ જીરણ નીેશ સમાન, ટકે વીર્ય આ જો સદા, નિકટ મોક્ષનું સ્થાન.' ૯૪ અર્થ :– આજ આપના દર્શન સમાગમથી મને ત્રણે લોકનું રાજ્ય પણ તૃણ સમાન જીર્ણ જણાય છે. એવું આત્મવીર્ય જો સદા ટકી રહે તો મોક્ષનું સ્થાન સાવ નિકટ છે, દૂર નથી. ।।૯૪।। (શાર્દૂલવિક્રીડિત) “પામ્યા મોદ મુનિ સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરાવ્યું, ઉત્સાહ રાખી ઘણો;
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy