________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૭ ૫
તે સુણી બે દેવીઓ ચલાવવાને આવે રે,
હાવભાવ-દેખાવથી નૃપને બહુ લલચાવે રે. ૧૦ અર્થ : - તે સાંભળીને મેઘરથને ચલાવવા સ્વર્ગમાંથી બે દેવીઓ આવી અનેક હાવભાવના દેખાવ કરી રાજાને બહુ લલચાવવા પ્રયત્ન કર્યો. ૧૦ના
મેરું પર વીજળી પડે તોય ન તે તો ડોલે રે,
નૃપ-મન તેમ અડોલ છે, જાણી દેવી બોલે રે : ૧૧ અર્થ :– મેરુ પર્વત ઉપર વીજળી પડે તોય તે ચલાયમાન થાય નહીં. તેમ મેઘરથ રાજાનું મન અડોલ છે એમ જાણીને દેવી બોલી. |૧૧ાા
“ઘન્ય, ઘન્ય!નૃપ ઘન્ય તું, ઇંસ્તુતિ તુજ સાચી રે.”
ક્ષમા યાચી પૂજા કરી, સ્વર્ગે ગઈ તે પાછી રે. ૧૨ અર્થ - હે રાજા! તને ઘન્ય છે, ઘન્ય છે, ઘન્ય છે. ઇન્દ્ર તારી કરેલી સ્તુતિ સાવ સાચી છે. પોતાની કરેલ શંકાની ક્ષમા યાચી, પૂજા કરીને તે દેવીઓ પાછી સ્વર્ગમાં ગઈ. II૧૨ના
ઇંદ્ર વદે વળી એકદા : “પ્રિયમિત્રા નૃપ-રાણી રે,
રૂપવતી અતિ સૃષ્ટિમાં,” ગઈ જોવા ઇન્દ્રાણી રે. ૧૩ અર્થ :- ઇન્દ્ર વળી એકદા કહ્યું કે મેઘરથરાજાની રાણી પ્રિય મિત્રા તે આ જગતમાં અતિ રૂપમતિ છે તે જોવા ઇંદ્રાણી ત્યાં ગઈ. II૧૩ા.
સ્નાનાર્થે જાતાં દઠી, વાત ઇન્દ્રની માની રે;
કાયા-કાંતિ કારમી, પૂર્વ-પુણ્ય-નિશાની રે; ૧૪ અર્થ :- વખતે પ્રિય મિત્રાને સ્નાનને અર્થે જતાં જોઈ ઇન્દ્રાણીએ ઇન્દ્રની વાત માન્ય કરી કે અહો! કાયાની કાંતિ કેવી કારમી એટલે સુંદર છે. એ બધી પૂર્વે કરેલા પુણ્યકર્મની નિશાની છે. ૧૪ો.
કન્યા-રૂપ ઘરી મળી, રૂપ પ્રશંસા કીથી રે,
કહે રાણી : “થોભો જરી;” કરી સ્નાનાદિ વિધિ રે, ૧૫ અર્થ:- હવે ઇન્દ્રાણીએ કન્યાનું રૂપ ધારણ કરી પ્રિય મિત્રા રાણીને મળી તેના રૂપની ખૂબ પ્રશંસા કરી. ત્યારે રાણી કહે જરા થોભજો, હું સ્નાન આદિ શણગારની વિધિ કરીને આવું છું. ૧૫ા
ઘરી અલંકારો ફેંડા, આવી ગર્વ ઘરી તે રે
કહે કન્યા: “કાંતિ નથી, પ્રથમ સમાન શરીરે રે!” ૧૬ અર્થ :- સ્નાન કરી રૂડા અલંકારને પહેરી ગર્વને ઘારણ કરતી તે આવી ત્યારે કન્યારૂપને ધારણ કરેલી ઇન્દ્રાણી કહે : હવે પ્રથમ સમાન તમારા શરીરે કાંતિ જણાતી નથી. ૧૬ાા
મેઘરથ ભણી જ્યાં જાએ, કહે: “યથાર્થ કહે છે રે,
પૅનમ પછીના ચંદ્રની શોભા દેહ લહે છે રે.” ૧૭ અર્થ :- પછી રાણીએ મેઘરથ રાજા ભણી જોયું ત્યારે રાજાએ પણ કહ્યું : એ યથાર્થ કહે છે. હવે આ દેહ પૂનમ પછીની ઊતરતી કળાની જેમ શોભાને ધારણ કરે છે. ૧ળા.