________________
૩૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શાંતિમતી મારી પુત્રી છે. એના અનેક ગુણો છે. ૭૨ાા.
ગિરિ પર વિદ્યા સાઘતી, દેખ ઊંચકી લીઘી રે,
વિદ્યા પ્રગટી દેખને, લાગી એને ભીતિ રે. ૭૩ અર્થ - એ ગિરિ ઉપર વિદ્યા સાધ્ય કરતી હતી. તેને દેખીને આ વિદ્યાઘરે ઊંચકી લીધી. પણ વિદ્યા પ્રગટ થઈ જવાથી હવે એને ભય લાગ્યો. [૭૩ાા
જીંવ લઈને નાઠો, આપને શરણે એ સંતાયો રે,
યમ-ઘરનો મે'માન એ, પાપ-ઘડો પુરાયો રે.”૭૪ અર્થ - ભય લાગવાથી પોતાનો જીવ લઈને નાસી જઈ આપના શરણમાં આવી સંતાયો છે. હવે એ યમ-ઘરનો મેમાન છે કેમકે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. II૭૪.
અવધિજ્ઞાને જાણીને ચક્કી કહે સમતાથી રે :
“કથા કહ્યું તે સુણો, હરી સુંદરી શાથી રે? ૭૫ અર્થ - અવધિજ્ઞાનના બળે જાણીને ચક્રવર્તી વજાયુઘ સમતાપૂર્વક કહેવા લાગ્યા કે એને શા કારણથી આ સુંદરીનું હરણ કર્યું તેની કથા કહું છું તે સાંભળો. //૭૫ના
સુદત્ત-સ્ત્રી પ્રીતિંકરા વનમાં ફરતી દેખી રે,
કુમાર નલિનકેતુએ અન્યાયે તે રાખી રે, ૭૬ અર્થ :- એકવાર સુદત્ત શેઠપુત્ર પોતાની સ્ત્રી પ્રીતિકરા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં તે જ નગરના રાજાનો પુત્ર નલિનકેતુ પણ આવ્યો હતો. તેણે વનમાં ફરતી આ મનોહર રૂપવાળી પ્રીતિંકરાને જોઈ, તેનું હરણ કરી અન્યાયથી પોતાની પાસે પત્નીની જેમ રાખી. II૭૬ાા
દત્ત વિરક્ત થઈ ગ્રહે દીક્ષા જિનવર પાસે રે,
સમાધિ-મરણે તે મરી, સ્વર્ગ-સુખો ઉપાસે રે. ૭૭ અર્થ - શેઠપુત્ર સુદત્તે ઘર્મોપદેશ સાંભળી સંસારથી વિરક્ત થઈ જિનવર પાસે દીક્ષા ગ્રહણ કરી અંતે સમાધિમરણને સાથી તે સ્વર્ગ સુખોનો ભોક્તા થયો.
દેવ મરીને આ થયો વિદ્યાઘર જો ખાસો રે,
પૂર્વકર્મથી આ થયું; બન્ને મોક્ષે જાશો રે. ૭૮ અર્થ - તે સ્વર્ગમાંથી ચ્યવીને વિદ્યાઘરેન્દ્રનો અજિતસેન નામે ઘણો બળવાન પુત્ર થયો. પૂર્વભવમાં પ્રીતિંકારા પોતાની પત્ની હોવાથી તેના સ્નેહને લીધે તેનું હરણ કર્યું. માટે આના ઉપરના ક્રોધનો સર્વેએ ત્યાગ કરવો. બન્ને જણા મોક્ષે જવાના છો. ૭૮
નલિનકેતુએ એકદા તારો ખરતો ભાળ્યો રે,
નિંદા પાપોની કરી, મુનિ થઈ મોક્ષે ચાલ્યો રે. ૭૯ અર્થ - રાજપુત્ર નલિનકેતુએ પણ એકવાર તારાને ખરતો જોઈ વૈરાગ્ય પામી વિચાર કર્યો કે સંસારની સર્વ વસ્તુઓ આમ નાશવંત છે. મેં અજ્ઞાનવશ પરસ્ત્રીનું હરણ ક્ષણિક સુખ માટે કરીને ઘણું પાપકર્મ ઉપાર્જન કર્યું. તે પાપોની નિંદા કરતો ક્ષેમંકર જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, નિરતિચારપણે