________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૬૭
આશ્ચર્યકારક છે. ઇન્ડે આપની પ્રશંસા કરી પણ મને તે વિષે અશ્રદ્ધા હતી. /૬૪|
ટળી તમારાં દર્શને, તીર્થંકર-સુત સાચા રે;
સંશય મુજ આપે હર્યા, અહો! તમારી વાચા રે.”૬૫ અર્થ - તે મારી અશ્રદ્ધા તમારા દર્શન સમાગમથી ટળી ગઈ. તમે તીર્થકરના સાચા પુત્ર છો. તમે મારી શંકાનો નાશ કર્યો. અહો! તમારી વાણીને ઘન્ય છે. I૬પા
ઇન્દ્ર કને જઈ તે કહે : “તમે કહ્યું તેવા તે રે,
કરી પરીક્ષા આવિયો, શ્લાધ્ય ગણું સૌ વાતે રે.”૬૬ અર્થ:- ઇન્દ્ર પાસે જઈને પણ કહ્યું : તમે કહ્યું તેવા જ છે. તેમની પરીક્ષા કરીને હું આવ્યો છું. હવે તેમને સર્વ વાતે ગ્લાધ્ય એટલે પ્રશંસવા યોગ્ય ગણું છું. II૬૬ાા.
ક્ષેમંકરને ચેતવે કહીં લોકાંતિક દેવો રે :
તીર્થ પ્રવર્તાવો, પ્રભુ, સંયમ-તપને સેવો રે.” ૬૭ અર્થ - ક્ષેમંકર રાજાને લૌકાંતિક દેવોએ નિયોગ પ્રમાણે આવી ચેતાવ્યાં કે હે પ્રભુ! હવે સંયમતપને સેવી તીર્થ પ્રવર્તાવો. IIકશા
વજાયુથને રાજ્ય દે, આરાધે તપયુક્તિ રે,
કેવળજ્ઞાન વરે ખરે! જનહિત કરી લે મુક્તિ રે. ૬૮ અર્થ - પોતાના પુત્ર વજાયુથને રાજ્ય સોંપી ક્ષેમકર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. તપને યુક્તિપૂર્વક આરાથી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. પછી જનહિત કરી મુક્તિને મેળવી શાશ્વત સુખના ભોક્તા થયા. ૬૮ાા
વજાયુથ ચક્રી બને છયે ખંડને જીતે રે,
સુખ અનુપમ ભોગવે, અવધિજ્ઞાન લહી તે રે. ૬૯ અર્થ :- શાંતિનાથ ભગવાનનો જીવ વજાયુથ તે હવે ચક્રવર્તી બની છ ખંડને જીત્યા. તથા અવધિજ્ઞાન પામીને અનુપમ સુખના ભોક્તા થયા. કલા
રાજસભામાં એકદા વિદ્યાઘર ગભરાતો રે
શરણે આવીને ઊભો, શ્વાસ નથી મુખ માલો રે. ૭૦ અર્થ - રાજસભામાં એકવાર ગભરાતો એવો વિદ્યાઘર શરણે આવી ઊભો રહ્યો. જેનો શ્વાસ પણ મુખમાં માતો નથી એવો હાંફતો તે આવ્યો હતો. [૭૦]
સશસ્ત્ર વિદ્યાઘરી પૂંઠે વેગે આવી બોલે રે ? “રક્ષણ દ્યો ના દુષ્ટને, પાપ-દંડ એ છો લે રે.” ૭૧
સહિત વિદ્યાથરી આવીને કહેવા લાગી કે આ દુષ્ટને રક્ષણ આપો નહીં. ભલે એ પાપના દંડ ભોગવે. ૭૧ાા.
વિદ્યાઘર ઘરડો બીજો, કહે આવીને : “સુણો રે,
શાંતિમતી મુજ પુત્રી આ, અનેક એના ગુણો રે. ૭૨ અર્થ - બીજો ઘરડો વિદ્યાર તે વખતે આવીને કહેવા લાગ્યો કે મારી વાત સાંભળો. આ