________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૬૧
અર્થ :- નભ એટલે આકાશમાં જતું વિમાન થોળ્યું ત્યારે નીચે જોયું કે ત્યાં સભા બેઠેલી જણાઈ અને કીર્તિધર કેવળી ભગવંતને દીઠા. જ્યાં તેમની દિવ્યધ્વનિ બઘા સાંભળી રહ્યા છે. ગારા
દમિતારિના તે પિતા, નીચે જઈ સૌ વંદે રે,
દર્શન કરી સુણી દેશના, સૌના મન આનંદે રે. ૨૪ અર્થ - તે કીર્તિઘર કેવળી દમિતારિ રાજાના પિતા છે. વિમાનને નીચે લઈ જઈ સર્વે એ વંદન કર્યા. દર્શન કરી તેમની દેશના સાંભળવાથી સૌના મન આનંદમાં આવી ગયા. ૨૪
પૂંછે પિતામહને પછી કનકશ્રી કર જોડી રે :
કયાં પૂર્વિક પાપથી થઈ હું પાપી છોડી રે?” ૨૫ અર્થ - પછી કનકશ્રી પોતાના પિતામહ એટલે દાદા કીર્તિઘર કેવળીને હાથ જોડી પૂછવા લાગી કે હે પ્રભુ! હું કયાં પૂર્વના પાપથી મારા પિતા દમિતારિને મારવા માટે નિમિત્તરૂપ પુત્રી બની. 1રપા
કીર્તિઘર કેવળી કહે: “પૂર્વ ભવે શ્રીદતા રે,
શંખપુરે પુત્રી હતી, ગરીબ માતા-પિતા રે, ૨૬ અર્થ –ત્યારે કીર્તિઘર કેવળી કહેઃ પૂર્વભવમાં તું શંખપુરમાં શ્રીદત્તા નામની ગરીબ માતાપિતાની પુત્રી હતી. પારકા
મુનિ મળતાં દુઃખ ટાળવા ચક્રવ્રત તેં ઘાયું રે,
દાન દીધું તેં સાઘુને, સાઘુ-વચન અવઘાર્યું રે. ૨૭ અર્થ -તને મુનિ મહાત્માનો યોગ મળવાથી તેમના ઉપદેશથી દુઃખ ટાળવા તેં ચક્રવ્રત ઘારણ કર્યું હતું. ચક્રવ્રતના વિઘાનમાં પ્રથમ અઠ્ઠમ, પછી એક ઉપવાસ અને પારણું પછી બીજો ઉપવાસ અને પારણું એમ સાડત્રીસ ઉપવાસ કરી અંતે અઠ્ઠમ કરવાનું હોય છે. પુણ્ય પ્રભાવે એક દિવસ વરસાદના કારણે તારા ઘરની ભીંત પડી જવાથી સુવર્ણથી ભરેલો ચરુ નીકળ્યો. પછી તે સાઘુ પુરુષોને ભાવથી દાન આપ્યું તથા સાધુ જ્ઞાની પુરુષોના વચનને ધારણ કર્યા હતા. રશી.
મહાસતી આર્યા હતી તેને તેં બોલાવી રે,
ઉપવાસે ઊલટી થઈ, ગ્લાનિ તને થઈ આવી રે. ૨૮ અર્થ - એક મહાસતી આર્યાને તેં આહારદાન અર્થે બોલાવી તેને ઉપવાસ હોવાથી ઊલટી થઈ. તે જોઈ તેમના પ્રત્યે તને ગ્લાનિ થઈ આવી. ૨૮
દોષ ગુણીના દેખતાં પાપ-કમાણી કીથી રે,
પુણ્ય ફળે નૃપતિ-કુળ પદવી આવી લીથી રે. ૨૯ અર્થ - ગુણી એવી મહાસતીના દોષ દેખતાં તેં પાપની કમાણી કરી. પણ પુણ્યના ફળમાં આ રાજ્યકુળમાં તે કનકશ્રીની પદવીને પામી. ૨૯
પાપ-ફળે પિતા-વઘે દુઃખ-દશા તું દેખે રે;
વાવે તેવું સૌ લણે, કશું ન જાય અલેખે રે. ૩૦ અર્થ - તેમજ પાપના ફળમાં પિતાનો વઘ થવાથી તે વિયોગની દુઃખદશાને અનુભવે છે. જેવું