________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૫૩
અર્થ - બન્ને વીર પાછા હઠીને પૂછવા લાગ્યા કે આ તું શું બોલે છે? તું કોણ? ક્યાંથી આવીને અમારા હૃદયના દ્વાર ખોલે છે? અર્થાત્ આ અમારી બહેન છે એમ તે કેવી રીતે જાણ્યું? II૮રા
તે વદતો : “આજે ગયો, અમિતયશ જિન પાસે રે,
વિદ્યાઘર શાથી થયો?” પૂંછતાં પ્રભુ પ્રકાશે રેઃ ૮૩ અર્થ - ત્યારે તે વિદ્યાઘર કહેવા લાગ્યો કે હું આજે અમિતયશ નામના જિનેશ્વર પાસે ગયો હતો. હું વિદ્યાધર કેવી રીતે થયો? એમ પૂછતા પ્રભુ સર્વ વૃત્તાંત પ્રકાશવા લાગ્યા. //૮૩
વતશોકા નગરી વિષે રત્નધ્વજ નૃપ જાણો રે,
તેની તું રાણી હતો, પુત્રી ત્રણ પ્રમાણો રે. ૮૪ અર્થ - વીતશોકા નામની નગરીમાં રત્નધ્વજ નામે રાજા હતો. પૂર્વભવમાં તેની તું રાણી હતો. ત્યાં તારે ત્રણ પુત્રીઓ હતી. ૮૪.
પઘા નામે જે હતી તે સાધ્વી-વ્રત પાળે રે,
એક દિવસ બે યુવકો, સ્ત્રી દેખી લડતા ભાળે રે. ૮૫ અર્થ :- ત્રણ પુત્રીમાં પડ્યા નામની જે પુત્રી હતી તે સાધ્વી થઈને વ્રત પાલન કરતી હતી. એક દિવસ બે યુવાન પુરુષોને એક સ્ત્રીને મેળવવા માટે લડતા તેણીએ જોયા. I૮પા.
નિદાન તે સાધ્વી કરેઃ “આમ મુજ કાજે હોજો રે,
મરીને તે દેવી થઈ પછી સુંદરી થઈ, જોજો રે. ૮૬ અર્થ - એક સ્ત્રીને માટે બે યુવાનોને લડતા જોઈ સાધ્વીએ એવું નિદાન કર્યું કે આમ મારા માટે પણ હોજો અર્થાત્ મને પણ પુરુષો એવી રીતે ઇચ્છે. પછી તે સાધ્વી મરીને દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ સુંદરીરૂપે અવતાર પામી છે. ૮૬.
બે બેનો બીજી હતી તે કુંવર થઈ ઝૂઝે રે,
આજે રત્નપુર, અહો! જ્યાં સાધ્વીનર્જીવ જાએ રે. ૮૭ અર્થ:- પૂર્વભવમાં તેની જે બે બહેનો બીજી હતી તે આ બેય કુંવરરૂપે જન્મ લઈને આજે આ રત્નપુરમાં અહો!તે સાધ્વીના જીવને જોઈ, તેણીએ જે નિદાન કર્યું હતું તેથી તેને મેળવવા માટે લડી રહ્યાં છે. ll૮ળા
રાણીનો ર્જીવ તું હતો, બન્નેની તું માતા રે,
દાનાદિ ઘર્મે થયો વિદ્યાઘર વિખ્યાતા રે. ૮૮ અર્થ - પૂર્વભવમાં રત્નધ્વજ રાજાની રાણીનો જીવ તું હતો. અને બે બેનો જે આજે કુંવર થઈને સ્ત્રી માટે લડી રહ્યાં છે, તે બન્નેની તું માતા હતો, તેમજ સાધ્વી પદ્મા પણ તારી જ ત્રીજી પુત્રી હતી. તે ભવમાં દાન, શીલ, તપ, ભાવ આદિ ઘર્મનું આચરણ કરવાથી તે આ ભવમાં પ્રસિદ્ધ વિદ્યાધર થયો છું. ૮૮ાા
તુજ વચનો તે માનશે, દીક્ષા બન્ને લેશે રે;
વ્રત પાળી મોક્ષે જશે, જો તું જઈ ઉપદેશે રે.” ૮૯ અર્થ - તારા વચનો તે લડતા બેય યુવાનો માનશે; કેમકે પૂર્વભવની તે બેય તારી પુત્રીઓ છે. તું ત્યાં જઈ તેમને ઉપદેશ આપે તો તે બન્ને દીક્ષા લઈ, વ્રત પાળીને મોક્ષે જશે. II૮૯ાા