________________
૩૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
બે રાણી, નૃપ દાન દે; સતી અતિ અનુમોદે રે,
યુગલિક આયુ બાંઘતા ચારે જીવ પ્રમોદે રે. ૭૫ અર્થ – તે જ્ઞાની મુનિને રાજાની બે રાણી તથા રાજા ભાવથી દાન આપવા લાગ્યા. તેની અતિ અનુમોદના સતી સત્યભામાએ કરી. તે ચારેય જીવોએ ગુણ પ્રમોદના કારણે યુગલિક આયુષ્યનો બંઘ કર્યો. [૭પા
નૃપ-પુત્રો બે એકદા લડે એક સ્ત્રી કાજે રે,
નૃપ વારે, માને નહીં, નૃપ લેવાયો લાજે રે. ૭૬ અર્થ :- એકદા રાજા શ્રીષેણના બે પુત્રો એક સ્ત્રીને માટે લડવા લાગ્યા. રાજાએ ઘણા વાર્યા છતાં માન્યું નહીં. તેથી રાજાને ઘણી લજ્જા આવી કે આવા મારા પુત્રો છે તો હું બીજાને શું મોઢું બતાવું. ૭૬ાા.
વિષ-પુષ્પ સૂંઘી મરે નૃપ સાથે બે રાણી રે,
કપિલ-પત્ની સાથે મરે નિજ અનાથતા જાણી રે. ૭૭ અર્થ - તેથી રાજાએ વિષનું પુષ્પ સૂંઘી દેહ ત્યાગ કર્યો. તેની સાથે બેય રાણીઓએ પણ તેમ કર્યું. કપિલની પત્ની સત્યભામાએ પણ પોતાની હવે અનાથતા જાણી તેણે પણ દેહ ત્યાગ કર્યો. આ૭ળા
કપિલ બહુ ભવમાં ભમી અશનિઘોષ-ભવ પામે રે,
યુગલિક-સુર-ભવ ભોગવી સતી સુતારા નામે રે. ૭૮ અર્થ - કપિલ, તિર્યંચાદિ ઘણા ભવોમાં ભટકીને અશનિઘોષનો આ ભવ પામ્યો છે. તથા યુગલિક અને દેવનો ભવ ભોગવી કપિલની સ્ત્રી સત્યભામા, તે આ ભવમાં સતી સુતારા બની છે. T૭૮માં
તેમ જ શ્રીષેણ-જીવ તું અમિતતેજ ગણાતો રે;
તુજ પત્ની રાણી હતી પૂર્વે એ ખરી વાતો રે. ૭૯ અર્થ - તેમજ શ્રીષેણ રાજાનો જીવ તે તું આ ભવમાં અમિતતેજ બન્યો છે. તારી હમણાં જે પત્ની જ્યોતિપ્રભા છે તે જ પૂર્વભવમાં તારી રાણી હતી. એ બધી ખરી વાતો છે. I૭૯ાા.
બીજું રાણ-જ્જૈવ આ ભવે શ્રીવિજયરૃપ જાણો રે,
યુગલિક-સુર-સુખ ભોગવી આજ રાજ-સુખ માણો રે. ૮૦ અર્થ - શ્રીષેણ રાજાના ભવમાં જે તારી બીજી રાણી હતી તેનો જીવ આ ભવમાં શ્રી વિજયકુંવર બનેલ છે. તે પણ યુગલિક અને દેવલોકના સુખ ભોગવી આજે રાજસુખને માણે છે. ll૮૦
બે કુંવર લડતા હતા ત્યાં વિદ્યાઘર આવી રે,
કહે : “બેન કાજે નહીં ઝૂઝો પ્રીતિ લાવી રે.” ૮૧ અર્થ - શ્રીષેણ રાજાના બે કુંવર જે એક સુંદર સ્ત્રીને મેળવવા માટે લડતા હતા. ત્યાં એક વિદ્યાઘર આવીને કહેવા લાગ્યો કે તમે તમારી બહેનને મેળવવા માટે પ્રીતિ લાવીને પરસ્પર યુદ્ધ કરો નહીં. ૮૧ાા
બન્ને વીર પાછા હઠી પૂછે : “શું તું બોલે રે? કોણ? ક્યાંથી? આવીને? હૃદય-ધાર અમ ખોલે રે? ૮૨