________________
(૮૬) ઉન્મત્તતા
૩૩૯
અર્થ - સજ્જન પુરુષો જેને તુચ્છ ગણી ઑકી કાઢે તેને વિષયાભિલાષી એવો પામર જીવ ખાય છે. આ શ્વાનદશા અનાદિથી ચાલી આવી છે. જેમ કૂતરો ત્યજેલી વિષ્ઠાને ખાય છે તેના જેવું વર્તન કરે છે. આ વાતને જે સમજે તે જ વિષય કષાયને મૂકી સ્વરૂપમાં સમાય છે. I/૧૮ના
વિષય-વાસના લાખો દુખનું જાણો જૂનું મૂળ અહો!
નિર્મૂળ કરતાં સવિચારે, શિવ-સાઘન અનુકૂળ અહો! શ્રી રાજ અર્થ – આ વિષય-વાસનાને લાખો દુઃખ આપનાર અનાદિકાળનું જુનું મૂળ જાણો. એને સપુરુષના બોઘે સુવિચારથી નિર્મળ કરતાં મોક્ષ સાઘનામાં ઘણી અનુકૂળતા થઈ આવે છે.
એક વિષયને જીતતા, જીત્યો સહુ સંસાર;
નૃપતિ જીતતા જીતએ, દળ,પૂર ને અધિકાર.” -શ્રીમદ્ રાજચંદ્રા/૧૯માં જ્ઞાન અને વૈરાગ્ય વસે ઉર જેને, તેના કાર્ય અહો!
ઊંઘ અને ઉન્મત્ત દશા પણ મુક્ત કરે આશ્ચર્ય અહો! શ્રી રાજ અર્થ :- જ્ઞાન અને વૈરાગ્યદશા જેના હૃદયમાં જાગૃત છે તેના આ કાર્યો છે, તે વિષયકષાયને જીતી શકે. એવા જ્ઞાની પુરુષોની ઊંઘવાળી દશા હોય કે ઉન્મત્ત દશા હોય તો પણ તેમની સદા અંતર્મુખ દશા હોવાથી તે સદેવ મૂકાય છે એ જ આશ્ચર્ય છે. ||૨૦Iી.
રાગ-રોષ વિકાર થતા તે નિર્મળ કરતા જાય અહો!
ક્ષણે ક્ષણે તે કર્મ છોડતા કોઈકથી સમજાય અહો! શ્રી રાજ અર્થ - ઉદયાથીન રાગ-દ્વેષના વિકાર ઉત્પન્ન થાય તો પણ જ્ઞાન વૈરાગ્યના બળે જ્ઞાની પુરુષ આત્માને નિર્મળ કરતા જાય છે. ક્ષણે ક્ષણે તેઓ કર્મને છોડે છે. આ વાત કોઈકને જ સમજાય છે. ૨૧ાા
સવિવેકે કષાય ટાળે તે જ ખરો પુરુષાર્થ અહો!
અંતર્ચર્યા જ્ઞાનીની તે પ્રગટાવે પરમાર્થ અહો! શ્રી રાજ અર્થ - જ્ઞાનીપુરુષને જડચેતનનો સદવિવેક પ્રગટ હોવાથી તેઓ કષાયને ટાળે છે. એ જ ખરો પુરુષાર્થ છે. જ્ઞાનીપુરુષની અંતર્ચર્યા તે પરમાર્થને પ્રગટાવે છે. જરા
અજ્ઞાનીની ક્રિયા શુંભ પણ કરે ને તેને મુક્ત અહો!
નિરંતર ભવ-વૃદ્ધિ કરતી; સંસારે આસક્ત અહો! શ્રી રાજ અર્થ :- અજ્ઞાની જીવની શુભક્રિયા પણ તેને સંસારથી મુક્ત કરે નહીં. તે નિરંતર ભવવૃદ્ધિ કરે છે. કેમકે તેની ઊંડે ઊંડે પણ સંસારમાં આસક્તિ બની રહે છે. મોહનીંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચહું ઓર, સર્વસ્વ લૂટે સુઘ નહીં.” પારકા.
અશેષ શાસ્ત્રો શીખી ગોખે, જાગે આખી રાત અહો!
સર્વ કહી ક્રિયા કરતા મુનિ-વેષે વિખ્યાત અહો! શ્રી રાજ અર્થ - અશેષ એટલે બાકી રાખ્યા વગર સર્વ શાસ્ત્રો ભલે શીખીને ગોખે, આખી રાત જાગરણ કરે, સર્વજ્ઞ પુરુષોએ કહેલી બધી ક્રિયા મુનિવેષને ઘારણ કરીને કરે છતાં અજ્ઞાની જીવની અંતરથી મોહની ઉન્મત્તતા એટલે ઘેલછા નાશ પામતી નથી. ૨૪