________________
૩૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રત્યક્ષ સગુરુ-લાભ, ગણો સર્વોપરી; એ જો ચૂકો લક્ષ, ઊગે ન વૃષ્ટિ ખરી; પ્રત્યક્ષ સગુરુ-યોગ થયે દુર્લભ નથી-આત્મજ્ઞાન અમૂલ્ય; કથા ખરી આ કથી. ૧૩ અર્થ - હવે પ્રત્યક્ષ સદગુરુનું માહાસ્ય સમજાવે છે. પ્રત્યક્ષ સરુના લાભને સર્વોપરી માનો.
“પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સપુરુષનો લક્ષ ચૂકી જાઓ તો આત્મદ્રષ્ટિ ઉદય પામશે નહીં.
“પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયા પછી અમૂલ્ય એવું આત્મજ્ઞાન પામવું પણ દુર્લભ નથી. આ સાચી વાત તમને કહી જણાવી.
“સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ આત્મ-વિચાર તથાપિ ન ઉદય આવતો, જો ના જાગ્યો પ્રેમ, ભક્તિ વઘારતો સગુરુ-ભક્તિ ન હોય, વચન ઉર ના વસે; આશયમાં અનુરાગ વિના હિત શું થશે? ૧૪
અર્થ :- સદગુરુનો યોગ થયો છતાં આત્મવિચાર કેમ ઉત્પન્ન થતો નથી? તો કે સગુરુ પ્રત્યે દિવસે દિવસે ભક્તિ વધે એવો પ્રેમ આવ્યો નથી તો આત્મવિચાર ક્યાંથી ઉત્પન્ન થાય?
સદ્ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય તો તેમના કહેલા વચનો હૃદયમાં ઊતરશે નહીં.
“તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વઘારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોઘસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વઘારે શું કહીએ?” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૩ (વ.પૃ.૨૯૫)
જ્ઞાનીપુરુષના વચનના આશયમાં પ્રેમભક્તિ થયા વિના તો આત્માનું કલ્યાણ કેમ થશે?
“જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન,જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૯૦૧) ૧૪ll
મહાપુરુષમાં હોય ગુણાતિશયપણું, સમ્યક વર્તન-વેજ પરમજ્ઞાનીપણું, પરમ શાંતિ, નિવૃત્તિ; મુમુક્ષુ જીવની ટાળે વૃત્તિ અશુભ, ભરે શુભ ભાવની. ૧૫
અર્થ:-મહાપુરુષમાં ગુણનું અતિશયપણું હોય છે. તેમનું પ્રબળ સમ્યક્ વર્તન હોય છે, પરમજ્ઞાનથી તેઓ યુક્ત હોય, પરમશાંતિ તેમના હૃદયમાં પ્રસરેલી હોય તથા અંતરથી સર્વ પ્રકારની પ્રવૃત્તિથી નિવૃત્ત હોય. તેથી તેઓ મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓને ટાળી, શુભભાવને ભરે છે. /૧૫ા.
સ્વ-સ્વરૂપ ઓળખાય, ક્રમે એ યોગથી; આજ્ઞાથી રંગાય, વઘુ અનુયોગથી; સંયમ-વૃદ્ધિથી જાય આવરણ કર્મનાં, જ્ઞાન થતું પ્રત્યક્ષ; આત્માર્થી જાણતા. ૧૬ અર્થ – સત્પષના ક્રમપૂર્વક યોગથી પોતાના આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તેની ઓળખાણ થતી