________________
(૮૧) મહપુરુષોની અનંત દયા
૩ ૦ ૩
અર્થ :- આ શરીરમાં પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું દ્રવ્યમન રહેલું છે. એ દ્રવ્યમન કજરૂપ એટલે કમળાકારે છે તથા વાણી અને શ્વાસોચ્છવાસ એ સૌ શરીરનાં જ અનુપમ અંગો છે. //પલા
આત્મા સૌથી ભિન્ન છે, આત્મિક સુખ છે સાર;
સમ્યગ્વષ્ટિ અનુભવે, વિસ્મરી સૌ સંસાર. ૬૦ અર્થ :- પણ આત્મા તો આ શરીરના સર્વ અંગોથી સાવ ભિન્ન છે. તે આત્માના અનુભવથી ઉત્પન્ન થતું સુખ એ જ જગતમાં સારભૂત છે. તે સારભૂત આત્મિક સુખને સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ જગતનું વિસ્મરણ કરીને અનુભવે છે. તે જ સ્વાધીન, શાશ્વત, નિરાકુળસુખ સર્વ પ્રાણીઓએ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.” (૨.૫.૨૯૯) //૬૦ના
કર્મના નિયમોને જે જાણે તેના આત્મામાં ખરી સ્વદયા કે પરદયાનો ઉદય થવા સંભવ છે. જે સમ્યક્રદર્શનને પામેલા છે તે સર્વ મહાન પુરુષો છે. તેમના અંતરમાં અનંતી દયા જીવોના કલ્યાણ અર્થે વિદ્યમાન છે. તે દયાનો ઝરો બોઘરૂપે વરસવાથી જીવો સુખ શાંતિને પામે છે. એક અંશ શાતાથી કરી સર્વ સમાધિનું કારણ પુરુષ છે. તે અનંતી દયાનો વિસ્તાર અત્રે સમજાવે છે :
(૮૧) મહપુરુષોની અનંત દયા
(અક્ષય પદ વરવા ભણી, સુણો સંતાજી, અક્ષત પૂજા સાર રે ગુણવંતાજી–એ રાગ)
શ્રી રાજચંદ્ર-ચરણે નમું જયવંતાજી, જેના ગુણ અનંત રે ગુણવંતાજી, ?
તારક તત્ત્વ બતાવતા જયવંતાજી, અકામ કરુણાવંત રે ગુણવંતાજી. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું. જેનું શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળમાં જયવંત છે, અર્થાત જેના શુદ્ધ સ્વરૂપનું અસ્તિત્વ ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે શુદ્ધ સ્વરૂપમાં અનંત ગુણ રહેલા હોવાથી તે ગુણોના ભંડાર છે. જે ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તારનાર એવા આત્મતત્ત્વને બતાવનારા છે, એવા પરમકૃપાળુ પ્રભુ અકામ એટલે નિષ્કામ કરુણાશીલ સ્વભાવવાળા હોવાથી સદા પૂજનીય છે. ૧ાા.
ગુણ ગુરુના શું વર્ણવું? જય૦ અમાપ એ ઉપકાર રે ગુણ
કેવળ કરુણા-મૂર્તિ તે, જય૦ મોક્ષમાર્ગ-દાતાર રે ગુણ૦ ૨ અર્થ :- શ્રી ગુરુ ભગવંતના ગુણોનું હું શું વર્ણન કરી શકું? જેને મારા પર કોઈ કાળે માપ ન નીકળી શકે એવો અનંત અમાપ ઉપકાર કરેલ છે.
આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર જે માત્ર કરુણાની જ મૂર્તિ હોવાથી જન્મમરણથી છૂટવારૂપ મોક્ષનો માર્ગ બતાવી મારા પર અનંતી