SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ -૧ છે. પણ સંસારી જીવોની અપેક્ષાએ સંક્ષેપમાં તેના ચૌદ ભેદ કરવામાં આવ્યા છે; તેને ચૌદ ગુણસ્થાનક કહેવાય છે. રા ગુણસ્થાનો ભણાય; જણાવું નામથી હો લાલ જણાવું. 'મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર “સુ-અવિરતિ, હો લાલ મિશ્ર ૩ અર્થ - તે ચૌદ ગુણસ્થાન જીવની વર્તમાન અવિશુદ્ધ, અદ્ધ શુદ્ધ, શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા બતાવનારી પારાશીશી અથવા થમોમીટર સમાન છે. જેથી જીવ વર્તમાનમાં કયા ગુણસ્થાનકમાં છે તે જાણી શકાય છે તેના નામો આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) સુ-અવિરતિ એટલે સમ્યકત્વ સહિત અવિરતિ ગુણસ્થાનક છે. [૩. પદેશવ્રતી, પ્રમત્ત, અપ્રમત્ત સાતમું, હો લાલ અપ્રમત્ત સાતમું નિવૃત્તિ, ‘અનિવૃત્તિ, સૂક્ષ્મ, ઉપશમ અગ્યારમું હો લાલ ઉપ૦ ૪ અર્થ - (૫) દેશવ્રતી ગુણસ્થાનક (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશમ એટલે ઉપશાંતમોહ ગુણસ્થાનક છે. જો ક્ષીણમોહી, સયોગ, અયોગ યથાર્થ તે–હો લાલ અયોગ સમ્પર્શનચોગ આદિ ચાર વર્ણવે, હો લાલ આદિ ચાર૦ ૫ અર્થ :- (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન (૧૩) સયોગી કેવળી અને (૧૪) અયોગી કેવળી ગુણસ્થાન છે; તે યથાર્થ છે. પહેલાંના ચાર ગુણસ્થાનકમાં જીવની યોગ્યતા વઘતા વઘતા ચોથા ગુણસ્થાનકમાં જીવ આવે ત્યારે સમ્યક્દર્શન પામે છે. પા. બાકીનાં દશમાં ય, સ્વરૂપે સ્થિરતા, હો લાલ સ્વરૂપે સંક્ષેપે જીવભાવ જણાવે વીરતા. હો લાલ જણાવે વીર. ૬ અર્થ - બાકીના દશમાંય એટલે પાંચમા ગુણસ્થાનથી તે ચૌદમા ગુણસ્થાન સુઘી બઘામાં ઓછા વત્તા પ્રમાણમાં સહજાત્મસ્વરૂપમાં સ્થિરતા હોય છે. તે ગુણસ્થાનોમાં રહેલા જીવોના ભાવ સંક્ષેપમાં પોતાના આત્મવીરત્વને જણાવે છે. દા. અનાદિ જીવ ને કર્મ-સંબંઘ, પ્રભુ કહે હો લાલ સંબંઘ સ્વર્ણ-પથ્થર જેમ, શુદ્ધતા ર્જીવ લહે. હો લાલ શુદ્ધતા૭ અર્થ - અનાદિકાળથી જીવને કર્મનો સંબંઘ સુવર્ણ એટલે સોનાના કણો સાથે પત્થર જેવી કડક માટીની જેમ છે; એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. સોનાના કણો અનાદિથી પત્થર જેવી કડક માટીની અંદર છૂટા છૂટા પથરાયેલા છે; તેને કોઈએ ત્યાં પાથર્યા નથી. તેમ કમનો સંબંઘ અનાદિકાળથી આત્મા સાથે છે. પણ તે સોનાના કણોને પત્થર જેવી માટીમાંથી છૂટા પાડી શકાય છે, તેમ કર્મમળ ટાળી જીવ પોતાના શુદ્ધાત્માને પામી શકે છે. આવા અહંપણું પ્રત્યક્ષ ન ઑવ વિણ સંભવે, હો લાલ ન ઑવ. વિચિત્રતા, વિણ કર્મ કોઈ નહિ દાખવે. હો લાલ કોઈ ૮
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy