SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા મોહ-પંક પરિર્યું રે, તૂટે રાગાદિ પાશ, વિશ્વવંદ્ય સમતા-સતી રે, કરે ઉરે ગૃહવાસ. સમતા અર્થ મોહમાયારૂપી કીચડનો ત્યાગ કરવાથી રાગદ્વેષાદિરૂપ જાળને તોડી શકાય છે. તેવા સત્પુરુષના હૃદયમાં વિશ્વને વંદન કરવા લાયક એવી સમતારૂપી સતી આવીને નિવાસ કરે છે. ।।૧૩।। સામ્ય ભાવના જાગતાં રે, નાશ આશનો થાય, અવિદ્યા ક્ષીણ તે ક્ષણે રે, ચિત્ત-સર્પ મરી જાય, સમતા અર્થ :– હૃદયમાં સમતાભાવ જાગૃત થવાથી આશારૂપી પિશાચીનો નાશ થાય છે. તે જ ક્ષણે અવિદ્યા એટલે અજ્ઞાન દૂર થાય છે અને ચિત્તરૂપી સર્પ પણ મરી જાય છે અર્થાત્ સંકલ્પ વિકલ્પ શાંત થઈ જઈ ઇચ્છાઓ શમી જાય છે. ।।૧૪। ટાળે કર્મ નિમેષમાં રે, સમભાવે મુનિ જે, કોટી ભવનાં તપો વડે રે, અન્ય ન ટાળે એહ. સમતા ૫ ૭ અર્થ :— સમભાવમાં સ્થિત મુનિવર એક નિમેષ એટલે આંખના પલકારામાં જેટલા કર્મ ટાળે છે, તેટલા કરોડો ભવના તપવર્ડ પણ અજ્ઞાની ટાળી શકતા નથી. ।।૧૫।। કહે વિશ્વવેત્તા ખરું રે : સમતા-ધ્યાન મહાન, તેને પ્રગટ કરાવવા રે, કહ્યાં શાસ્ત્ર સૌ, માન. સમતા અર્થ :– સળ વિશ્વને જાણનાર એવા ભગવાન તીર્થંકરો ખરી વાત કહે છે કે સમતારૂપી ધ્યાન એ મહાન ઘ્યાન છે. તે સમતારૂપી ધ્યાનને પ્રગટ કરાવવા માટે સર્વ શાસ્ત્રોની રચના જ્ઞાનીપુરુષોએ કરી છે એમ તું માન. ।।૧૬। જે જ્ઞાની સમતા ઘરે રે, સર્વ વસ્તુમાં નિત્ય, કૈવલી સમ સુખ તે લહે રે, માનું મુનિ ખચીત. સમતા॰ અર્થ :— – જે જ્ઞાનીપુરુષ જગતની સર્વવસ્તુમાં એટલે તૃણ કે મત્તિ, મુક્તિ કે સંસાર, માન કે અપમાન વગેરે સર્વમાં હમેશાં સમતાભાવને ઘારણ કરીને રહે છે તે કેવળી સમાન સુખને પામે છે. તેને ખચીત એટલે અવશ્ય મુનિ માનું છું. ૧૭ા આત્મશુદ્ધિ કરવા ચહે રે, સમ્યક્ સ્વાભાવિક, મહાભાગ્ય તે ઘારશે રે સમતામાં મન ઠીક, સમતા અર્થ :— જે ભવ્યાત્મા પોતાના આત્મસ્વભાવની શુદ્ધિ કરવા ઇચ્છે તે મહાભાગ્યશાળી પોતાના મનને સમતામાં રાખવાનો ખરો અભ્યાસ કરશે. ।।૧૮।। રાગાદિક દોષો તજી રે, સર્વ દેથી દૂર, આત્માને આત્મા વડે રે જાણ્યે, સાથે શૂર. સમતા અર્થ :– રાગાદિક દોષો છોડી અને સર્વ દેહભાવને મૂકી દઈ આત્માને આત્માવડે જાણવાથી સમભાવ પ્રગટે છે અને તેથી આત્મા શુરવીર બને છે. ।।૧૯।
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy