________________
૧૮૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જ્યાં સુઘી લૌકિક કામ સૂરિ કરે મોહથી રે, સૂરિ
ત્યાં સુધી નથી આચાર્ય અંતવ્રત-ત્યાગથી રે. અંત. ૨૭ અર્થ – ઘર્મસંબંઘી આજ્ઞા આપવી કે શ્રી સકળ સંઘને ઘર્મનો ઉપદેશ આપવો એ કામ શ્રી આચાર્ય ભગવંતનું છે. પણ સંઘના લોકોની લોભ, માનાદિ વૃત્તિઓને પોષવી કે શ્રાવકોના ઉપકાર અર્થે ઘાગાદોરા મંત્રીને આપવા, એ ઘર્મના ઘોરી એવા આચાર્ય ભગવંતનું કર્તવ્ય નથી. જ્યાં સુધી સંઘના મોહથી લૌકિક આવા કાર્યો આચાર્ય કરે ત્યાં સુધી તે આચાર્ય પદવીને યોગ્ય નથી. કેમકે વૃત્તિઓને અંતરમુખ કરવાનો કે કરાવવાનો જ જેણે ત્યાગ કરી દીઘો; તેથી તે આચાર્ય પદને ઘારણ કરવાને યોગ્ય રહેતા નથી. રા.
સૂરિ તીર્થપતિને સ્થાન, ઘરે વીતરાગતા રે, ઘરે રવિ આથમતાં આઘાર દીપ પ્રકાશતા રે; દીપ૦ ઘર્મવૃત્તિના શાસક ઉન્નતિ અર્પતા રે, ઉન્નતિ
વ્રત, તપ,શલ સંયમ-સાર, આચાર્યની અહંતા રે. આચા. ૨૮ અર્થ - આચાર્ય ભગવંત તો શ્રી તીર્થપતિ અર્થાત્ ભગવાન તીર્થંકરના સ્થાને છે. જ્યારે શ્રી તીર્થકર ભગવંતની હાજરી ન હોય ત્યારે તે જ મોક્ષમાર્ગના દર્શક છે. તેઓ વીતરાગતાને ઘારણ કરીને રહેલા છે. જેમ સૂર્ય અસ્ત થતાં દીપકનો પ્રકાશ ભવ્યજીવોને આઘારરૂપ છે તેમ તેઓ છે. ઘર્મવૃત્તિમય જૈન શાસનને ચલાવનાર હોવાથી વર્તમાનમાં તે ઘર્મશાસક છે, તથા ઘર્મવૃત્તિવાળા જીવોને બોઘ આપી તેમની ઉન્નતિને વધારનાર છે. તેમજ સ્વયં વ્રત, તપ, શીલ, સંયમને સારરૂપ માની શુદ્ધ રીતે પાળનાર હોવાથી સાચા આચાર્ય ભગવંત છે; માટે ભવ્યોને તે સદેવ અહેત એટલે પૂજનીય છે. [૨૮]
આચાર્ય સમ ઉપદેશ કરે ઉપાધ્યાય જે રે, કરે. પણ ન દે કદ આદેશ કરે સ્વાધ્યાય તે રે; કરે, કરી કૃતનો અભ્યાસ ભણાવે સુશિષ્યને રે, ભણાવે
સ્યાદ્વાવાદી નિપુણ જણાવે રહસ્યને રે. જણાવે. ૨૯ હવે શ્રી ઉપાધ્યાય ભગવંતનું સ્વરૂપ જણાવે છે :
અર્થ :- જે ઉપાધ્યાય છે તે આચાર્ય ભગવંતની સમાન ઉપદેશ કરે છે. પણ કોઈને કદી આદેશ એટલે આજ્ઞા આપતા નથી. તેઓ સ્વાધ્યાયરૂપે બોલે છે. પોતે શાસ્ત્રોનો અભ્યાસ કરી વિનયવાન શિષ્યોને ભણાવે છે. જે સ્યાદ્વાદથી વાદ કરવામાં પ્રવીણ છે. જેથી ભગવાનના બોઘેલા રહસ્યને તે ખોલી શકે છે કે આ વાક્યમાં ભગવાને આ અપેક્ષાથી વાત જણાવેલ છે. રા
પ્રશ્નો તણું સમાઘાન મનોહર આપતા રે, મનો. શબ્દબ્રહ્મ સર્વજ્ઞ સૂત્ર-અર્થ સ્થાપતા રે; સૂત્ર ગુરુગમથી જાણી અર્થ મઘુર વ્યાખ્યા કરે રે, મથુ૨૦
સર્વ સાઘારણ ઘર્મો મુનિના તે ઘરે રે. મુનિના ૩૦ અર્થ - કોઈ પ્રશ્ન કરે તો તેનું સમાધાન સુંદર રીતે આપે છે. શબ્દબ્રહ્મ એટલે જે શબ્દો વડે