________________
૧ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સગાં ગણેલા છે. જો દેહ ન હોય તો આમાંનું એક્કે સગું ગણાતું નથી. આટલા
હે! દેહ તણાં સંબંથી સર્વે, આજ સુથી સંબંઘ રહ્યો; દેહ વિનાશિક નાશ થવાનો અવસર મેં અતિ નિકટ લહ્યો. આયુષ-આથી દેહ રહે, નહિ સ્નેહ ઘટે એ દેહ તણો;
રાખ્યો રહે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ઘરો ઘણો. ૯ અર્થ - હે દેહતણા સગાં સંબંથિઓ! તમારા સર્વેનો આજ સુધી સંબંધ રહ્યો. હવે નાશવંત એવા આ દેહને નાશ થવાનો અવસર નિકટ આવી ગયો છે.
આયુષ્યને આધીન આ દેહ રહે છે. માટે આ દેહનો સ્નેહ રાખવો યોગ્ય નથી. ભગવાન મહાવીર પણ જે દેહને રાખી શક્યા નહીં તેવા દેહને આપણે કેવી રીતે રાખી શકીશું? ભલે તમે બધા આ દેહ ઉપર ઘણો સ્નેહ ઘારી રાખો તો પણ તેને કોઈ રાખી શકે એમ નથી. લા.
અગ્નિમાં બળી ભસ્મ થશે, પરમાણુ બની વીખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એનો, દેહ-સ્નેહ ક્યાંથી ટકશે? જ્ઞાન-સ્વફૅપ આત્મા અવિનાશી મને માન સૌ સુખી થજો,
દેહ નથી હું, આત્મા છું તો, દેહ-સ્નેહ સૌ ભૂલી જજો. ૧૦ અર્થ :- આ દેહ તો અગ્નિમાં બળી ભસ્મ થઈ જશે, અને તેના પરમાણુ બની ચારે દિશાઓમાં વિખરાઈ જશે. પછી એનો કંઈ પત્તો લાગશે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે - આ દેહ તો રાખના પડીકાં છે, નાખી દેવા જેવા છે. આવા નાશવંત દેહનો સ્નેહ ક્યાં સુધી ટકી શકશે?
માટે જ્ઞાનસ્વરૂપ એવો હું અવિનાશી આત્મા છું એમ મને માની સૌ સુખી થજો. હું દેહ નથી પણ આત્મા છું, તો આ દેહ પ્રત્યેનો સ્નેહ તમે સૌ ભૂલી જજો. ૧૦ના
જ્ઞાનસ્વરૅપ મુજ ઉજ્વળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થવા, સપુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દોષો હણવા. વિપરીતતાવશ બહુ ભટક્યો હું ચાર ગતિમાં દેહ ઘરી,
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણરૃપ સ્વરૃપ માન્યતા હવે કરી. ૧૧ અર્થ - મારા આત્માનું જ્ઞાનસ્વરૂપ નિર્મળ કરવા તેમજ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે હવે હું સર્વ રાગ દ્વેષાદિ કષાયભાવોને હણવાનો સપુરુષાર્થ કરીશ.
દેહમાં આત્મબુદ્ધિ કરીને વિપરીતતાવશ હું ચાર ગતિમાં નવા નવા દેહ ઘારણ કરીને બહુ ભટક્યો, પણ હવે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચરણરૂપ એટલે દેખવું, જાણવું અને સ્થિર થવું એ મારા આત્માનો સ્વભાવ છે એમ જાણી તેવી જ માન્યતા હવે હૃદયમાં ઘારણ કરી છે. ૧૧ાા.
ક્યાં મારી સર્વજ્ઞ દશા ને ક્યાં એકેન્દ્રિય મુદ્ર ભવો! કર્મભાવથી હું કંટાળ્યો, સર્વ કર્મનો ક્ષય કરવો; વિતરાગ-વચને હું જાગ્યો, સ્વજનો સર્વ, સહાય કરો, રાગ-દ્વેષથી જીવ હણાતો બચાવવા વૈરાગ્ય ઘરો.” ૧૨