SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) સમાધિ-મરણ ભાગ-૧ ૧ ૩ અવિનાશી એવો હું આત્મા છું એમ સમ્યક્ વિચારણા કરવાથી સમાધિમરણના વખતે પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તમને ઉચ્ચ પદવી આપનાર છે. હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશ વિષે વસતો, વગર કહ્યું વહેલે-મોડે જડ કાય-યોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તણી, અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ઘણી. ૬ અર્થ :- તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છે. વગર કહ્યું વહેલું કે મોડે બઘાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ઘારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો જ ઘણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. દા. રત્નત્રયીરૂપ ઘર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુઘર્મ ભજું; દેહ ઉપરની મમતા તર્જી, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિમરણ સાઘવા મહત્ માર્ગને અનુસરું. ૭ અર્થ - સમ્યક્દર્શનશાનચારિત્રમય એ મારો ઘર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી જતાં પણ તશું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ઘર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું. છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ” એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું. ગોમ્મદસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાદ્રષ્ટિનું મરણ તે બાળબાળમરણ, અવિરત સમ્યકુદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. IIળા સ્નેહ સગાં-સંબંથી પરના તજી તજાવું આમ કહી - “દેહદ્રષ્ટિએ સ્નેહ ટકે છે, સ્વરૃપ-વિચારે સ્નેહ નહીં. દેહદાન દેનારી માતા, દીકરા-દીકરી દેહ તણાં, સ્ત્રી સુખ દેહ તણાં દેનારી, દેહસગાં સર્વે ય ગણ્યાં. ૮ અર્થ - સ્ત્રીપુત્રાદિ સગા સંબંધીઓ ઉપરના સ્નેહને હું તજી તેમને પણ તજાવું. તેમને આ પ્રમાણે કહ્યું કે દેહદ્રષ્ટિ રાખવાથી આ પરસ્પર મોહ ટકે છે, પણ આત્માના અવિનાશી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી એક બીજા પ્રત્યેનો આ મોહ વિલય પામે છે. માતા પણ આ દેહને જ જન્મ આપનારી છે. દીકરા કે દીકરી પણ આ દેહના જ સંબંઘી છે. સ્ત્રી પણ આ દેહના જ સુખને દેનારી છે. સર્વને આ દેહના કારણે છે નહીં તો તું * ઘવાનો પુરુષાર્થ ? તે બાળબોળ 3 મનિનું
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy