________________
પ્રાવધ-વિવેચન ભાગ-૨
૧૪૨
કરનારી એવી આ માયા વક્ર છે. જે કપટ કરવામાં કુશળ છે એવી માયા ઉપરથી નમનરૂપ વર્તન બતાવી હ્રદયમાં છૂપી રીતે ભરાઈને રહે છે. įમેં રામ બગલમેં છુી જેવું વર્તન કરે છે. જે ઉત્તમ ગતિરૂપ ફળને પામવા ઇચ્છે તે તો આ માયાને કદી અંતરમાં પેસવા દે નહીં, પણ સરળ પરિણામવાળા રહે છે. કેમકે ‘સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે.’ પોતાના આત્મસ્વરૂપને હરણ કરવા માટે માયા તે કુટિલ લલના એટલે માયાવી સ્ત્રી સમાન છે. ।।૪।।
રજ બહુ ઊંડી માયાની આ દિશા-મૂઢતા ઘરે, ઉદય થી ના તેથી બોર્ઘ સુષ્ટિ ઉરે, અરે ! સ્ફુરી ની હા! ઊર્મિ ઉરે સુબોધ-સુયોગમાં, વિપરીત લીઘા માર્ગો મેં સૌ પ્રયત્ન કર્યા છતાં; પ
*=
અર્થ માયારૂપી સ્થૂળ બહુ ઊડવાથી જીવ દિશાઢ બનીને મોક્ષમાર્ગની સાચી દિશાને પામનો નથી. માયાને લઈને સત્પુરુષના બોધે પણ તેની સમ્યવૃષ્ટિ એટલે સવળી બુદ્ધિ હૃદયમાં ઉદય પામતી નથી. અરે ! આશ્ચર્ય છે કે સમ્યો પ્રાપ્તિના સુયોગમાં પણ હે પ્રભો! મારા હૃદયમાં સત્ આરાધનાની ભાવના સ્ફુરાયમાન થતી નથી, મોક્ષને માટે અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્વચ્છંદે મેં વિપરીત જ માર્ગો આચર્યા છે.
“આ જીવ અત્યંત માયાના આવરણે દિશામુઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થવૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો કૃઢાગ્રહ થયો છે; અને તેથી બોથ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોઘ પ્રવેશ થાય એવો ભાવ સ્ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે ‘અે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યાં છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.'' (વ.પૂ.૪૩૩} ||૫||
સૂઝી ગતિ ના કોઈ મારી, અનાથ હવે ઠર્યાં, સહજ મળિયા યોગો સારા, છતાં પરમાં ફર્યો. પરમ સદુપાયે નિવૃત્તિ કરીશકુમાર્ગની, કપટ તર્જીને અર્પી આત્મા, સુયત્નરુચિ બની. ૬
અર્થ :— ‘હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ચ) મને દેખાતી નથી.' હું અનાથ જ રહ્યો. સહજે પ્રભુ કૃપાએ સારા યોગો મળ્યા છતાં હું બીજા ખોટા માર્ગમાં જ ભટકતો રહ્યો. પણ હવે ઉત્કૃષ્ટ સદુપાય કરીને તે કુમાર્ગની અવશ્ય નિવૃત્તિ કરીશ અને માયા કપટને તજી સત્ય પુરુષાર્થમાં રૂચિવાન બની મારા આત્માને આપના શરણમાં અર્પણ કરીશ. 1111
સરળ જન ના ઝાઝા લોકે, બહુઁ કપટી દીસે; સુરતરુ સમા સંતો સાચા સુદુર્લભ ભેટશે, વિતરુ સમાં કાંટાવાળાં અતિ તરુ નીપજે; ભરતભૂમિને દેખી આવી, દયા અતિ ઊપજે, ૭
અર્થ :— આ લોકમાં સરળ જીવો ઝાઝા નથી પણ ઘણા લોકો કપટી દેખાય છે. કલ્પવૃક્ષ સમાન