SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ મુનિપણું, તે સાચા ગુરુ હોય’' તે લક્ષણો ન હોવા છતાં પોતાને સાધુ માનવા, શ્રાવકના પણ જો ગુણ ન હોય અને શ્રાવકપણાનું અભિમાન રાખવું તે બધા મોહનીય કર્મબંધના કારણો ગણવામાં આવ્યા છે. ।૧૮। “ભગવતી” વિષે સાધુ, શ્રાવકો-ગુણ સહિતનાં દેખ લક્ષણોગુણ વિના ગણી સ્થાપતાં મુનિ, થતી અશાતના ગૌતમાદિની. ૧૯ અર્થ :— ‘ભગવતી સૂત્ર’માં સાધુ અને શ્રાવકોના ગુણ સહિત કેવા લક્ષણો હોય તે પ્રથમ જો. ગુણ વિના પોતાને મુનિસ્થાને સ્થાપતાં, શ્રી ગૌતમાદિ મહાપુરુષોની આશાતના થાય છે. ।।૧૯।। વળી મહાન તે શ્રાવકો તણી થી વિચાર, આનંદ આદિની, ગુણ વિના ‘સુદૃષ્ટિ અમે’ કહે, અ૨૨! મોહની એ મહા ગ્રહે. ૨૦ અ :— વળી મહાન એવા આનંદ આદિ શ્રાવકોની પણ આશાતના થાય છે. તેનો વિચાર કર. ગુણ વિના અમે સમ્યક્દ્રુષ્ટિ છીએ એમ કહે. અ૨૨૨! એ મહા મોહનીયકર્મને નિબિડપણે બાંધે છે. ।।૨૦।। શ્રી હરિભદ્ર સૂરિ કહે ગુણો : ગી તણા, પ્રવર્તિનીના સુણો : “તૃઢ સુધર્મમાં, શાસ્ત્ર-અર્થમાં, કુશળ આપદાના ઉપાયમાં. ૨૧ અર્થ :– શ્રી હરિભદ્રસૂરિ, ગણિ એટલે ગણના સ્વામી એવા આચાર્યના અને પ્રવર્તિની એટલે ચારિત્રને વિષે પ્રવર્તનારી, સિદ્ધાંતની જાણ, પ્રજ્ઞાએ કરી વૃદ્ધ એવી સાધ્વીના ગુણ કહે છે તે સાંભળો કે જે સમ્યધર્મમાં દૃઢ છે, શાસ્ત્રોના અર્થ જાણનાર છે, કોઈ આપત્તિ આવી પડે તો તેના ઉપાય બતાવવામાં કુશળ છે. ।।૨૧।। અર્થ સુ-ઉપદેશ આદિી દોરતા, સહજ મોક્ષપંથે સ્વયં જતા, વળી ગીતાર્થ, સિદ્ધાંત જાણતાં, કુળ-પરંપરા શ્રેષ્ઠ ઘારતાં. ૨૨ - - જે ઉપદેશ આદિ આપી ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં દોરવણી આપે અને સ્વયં પણ સહજપણે મોક્ષમાર્ગે ગમન કરે, વળી ગીતાર્થ એટલે સમ્યક્ત્વ સહિત સિદ્ધાંતના જાણ અને મુનિ આચારની કુળ પરંપરાના શ્રેષ્ઠપણે જે ઘારક હોય તે ખરા આચાર્ય કહેવા યોગ્ય છે. ૨૨ા પ્રવચને ઘરે રાગ તે ગણી, ગંભીર અબ્ધિશા, લબ્ધિના ઘણી.’ ‘દુષમ કાળમાં સંભવે નહીં' કહી ચલાવતા નામ તે લઈ. ૨૩ અર્થ :– તે ગણિ એટલે આચાર્ય ભગવાન, પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચનોના અનુરાગી હોય, અબ્ધિશા એટલે સમુદ્ર જેવા ગંભીર હોય અને અનેક લબ્ધિના ઘારક હોય. દુષમકાળમાં આવા ગુરુ થવા સંભવે નહીં, એમ કહીને પોતાનો પંથ ગમે તેમ ચલાવી કુગુરુ શિથિલતાને પોષે; પણ તે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે. ।।૨૩।। પણ ન કાગને હંસ કો કહે; દુષમ કાળનું મિષ ક્યાં રહે? વિકટ કાળમાં યત્ન આકરો કર્રી, સુધર્મને સર્વ ઉત્તરો. ૨૪ અર્થ ઃ- દુષમકાળમાં કાગ એટલે કાગડાને કોઈ હંસ કહેતું નથી. તેમ વર્તમાન કળિકાળના બહાને શિથિલતા સેવે તેને મુનિ ગણાય નહીં. પણ કાળ વિકટ હોવાથી આકરો પુરુષાર્થ કરીને સત્યધર્મનો સર્વે સાધુ પુરુષોએ ઉદ્ધાર કરવો જોઈએ. ।।૨૪।
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy