________________
૧૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જિનેશ્વરોએ જેવું વસ્તુનું સહજ એટલે સ્વાભાવિક સ્વરૂપ પોતાના જ્ઞાનમાં જોયું છે તેવું જ માત્ર કહે છે. ઉત્તમ અધિકારી એવા ગૌતમ જેવા ગણધર પુરુષો તે ભગવાનના ઉપદેશને ક્રમપૂર્વક શાસ્ત્રરૂપી પાત્રના આકારે ગોઠવી કંઠસ્થ રાખે છે. પ૧ાા.
ઉપરાઉપરી બાર વર્ષના દુષ્કાળોમાં પૂર્વે રે,
યુતવારી અતિ વિરલ રહ્યાથી શાસ્ત્ર ભુલાયાં સર્વે રે. શ્રીમદ્ અર્થ – ઉપરાઉપરી બાર વર્ષના પૂર્વે દુષ્કાળો પડવાથી શ્રુતના ઘારક કે જેને એ શાસ્ત્રો કંઠસ્થ હતા તેવા પુરુષો અત્યંત વિરલ રહેલા હોવાથી તે શાસ્ત્રો સર્વે ભુલાઈ ગયા. //પરા
રહ્યુંસહ્યું તે ગ્રંથારૂંઢ આ આગમરૂપે હાલ રે,
સદ્ગશ્યોગ વિના સમજાવું દુર્ઘટ, એવી ચાલ છે. શ્રીમદ્ અર્થ :- તેમાંથી જે જ્ઞાન રહ્યું તે ભગવાન મહાવીરના નવસો વર્ષ પછી વલ્લભીપુરમાં બધા આચાર્યોએ ભેગા મળી ગ્રંથારૂઢ એટલે ગ્રંથોમાં લખાવી દીધું. તે આગમરૂપે આજે વિદ્યમાન છે. પણ સદ્ગુરુના યોગ વગર તે ભગવાનની સ્યાદવાદ વાણીનું રહસ્ય સમજાવું દુર્ઘટ છે, એવી અનાદિની ચાલ છે. આપણા
સત્ય અગ્નિનો એક જ તણખો યોગ્ય સામગ્રી મળતાં રે,
સર્વ લોક સળગાવી મૂકે તેમ કર્મ તો બળતાં રે. શ્રીમદ્ અર્થ:- સાચી અગ્નિનો એક જ તણખો તેને યોગ્ય સામગ્રી મળતાં સર્વ લોકને સળગાવી શકે, તેમ પુરુષ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતાં સર્વ કર્મોને પણ બાળી શકાય છે. આપા
પરમ પુરુષનું એક વચન પણ મોક્ષ સુઘી લઈ જાશે રે,
સાચા અંતઃકરણે તે જો યોગ્ય જીવ ઉપાસે રે. શ્રીમદ્ અર્થ - જ્ઞાની પુરુષનું એક વચન પણ જીવને મોક્ષ સુધી લઈ જાય છે. સાચા અંતઃકરણે યોગ્ય જીવ જો જ્ઞાનીની આજ્ઞાને ઉપાસે તો કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. જેમ શ્રેણિક રાજા પૂર્વભવમાં ભીલ હતા ત્યારે જ્ઞાની પુરુષ મળ્યા. તેમણે કાગડાનું માંસ ન ખાવાની પ્રતિજ્ઞા આપી. તે એક વચનનું ભીલે દૃઢતાપૂર્વક પાલન કર્યું. મરણ સ્વીકાર્યું પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો. તો તે શ્રેણિક આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર બની અનેક જીવોને તારી મુક્તિને મેળવશે. પપા
જિનમતમાં સઘળા દર્શન છે નદીઓ સમ જલધિમાં રે,
જિનમતનાં ઉત્તમ વચનો વળી બીજે દીસે સંધિ ત્યાં રે. શ્રીમદ્ અર્થ - જિનેશ્વરે કહેલા જૈનમતમાં બઘા દર્શનો એટલે ઘમ સમાય છે; જેમ બઘી નદીઓ વહીને જલધિ એટલે સમુદ્રમાં ભળે છે તેમ. જિનેશ્વરે ઉપદેશેલા વૈરાગ્ય ઉપશમના ઉત્તમ વચનો બીજા ઘર્મમાં પણ દેખાય છે. તે જૈનમત સાથે સંધિ એટલે જોડાયેલા છે અર્થાત જૈનમતમાંથી આવેલા છે. પકા
સર્વજો દીઠેલાં તત્ત્વો યથાર્થ માન્ય સમકિત રે,
તે તત્ત્વોનો બોથ થવો તે સમ્યકજ્ઞાન જ નિશ્ચિત રે. શ્રીમદ્ અર્થ :- સર્વજ્ઞ એવા જિનેશ્વરોએ કેવળજ્ઞાનવડે જાણી, જે સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છે પદ વગેરે તત્ત્વો જણાવ્યા છે, તેને યથાર્થ એટલે જેમ છે તેમ માનવાથી જીવને સમકિતની પ્રાપ્તિ થાય છે.