SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧ ૧ ૫. વળી વિચારોઃ પશુપંખીઓ સંગ્રહ કાંઈ ન રાખે રે, પ્રારબ્બાથીન પામી રહે છે, વળી સંખ્યા ગણ લાખે રે. શ્રીમ અર્થ :- બઘા ત્યાગ કરે તો લોકો શું ખાશે એમ જિજ્ઞાસુએ કહ્યું તેના ઉત્તરમાં ફરી જણાવે છે : વળી તમે વિચારો કે પશુપંખીઓ કોઈ વસ્તુનો સંગ્રહ કરીને રાખતા નથી. તો પણ પુરુષાર્થ વડે પ્રારબ્ધાશીન તેઓ આહારપાણી પામી રહે છે. તેઓ લાખોની સંખ્યામાં છે. તેમ ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું? એમ મહાપુરુષો કહે છે. આ તો જીવને ત્યાગ કે ભક્તિ કરવી નથી માટે માત્ર બહાનાં કાઢે છે. ૪૬ાા સંતજનોના ઉપદેશે તો પુણ્યમાર્ગ જન જાણે રે, પુણ્યાથીન સૌ સંપદ પ્રગટે; મૂળ ન કેમ પિછાણે રે? શ્રીમ અર્થ - સંતપુરુષના ઉપદેશથી જ જીવો પુણ્ય પ્રાપ્તિનો માર્ગ જાણે છે. પુણ્યને આધીન સર્વ સંપત્તિ જીવોને પ્રાપ્ત થાય છે. તે સર્વ સુખશાતાનું મૂળ તો પુરુષ છે તેને કેમ ઓળખતો નથી? સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આશીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાથિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પૃ.૨૬૯) //૪ળા જગ-જીવો જેનાથી જીવે, જે જગના આઘાર રે, તેની નિંદા તજી, કરી લે ગુણગ્રામે ભવ-પાર રે.” શ્રીમદ્ અર્થ - જગતવાસી જીવો જેના યોગબળે સુખે જીવે છે, જે જગતમાં શાંતિના આઘાર છે, એવા મહાપુરુષોની નિંદા મૂકી દઈ; તેમના ભક્તિપૂર્વક ગુણગ્રામ કરી આ સંસારસમુદ્રથી પાર ઊતરી જા. ૪૮ જિજ્ઞાસું પૂછે : “શું સાચું જિનમતમાંહી સઘળું રે? દોષ ઘણા દેખાડે લોકો, કેમ સમજવું સવળું રે? શ્રીમદ્ અર્થ :- જિજ્ઞાસુ ફરી પ્રશ્ન પૂછે છે કે શું જિનમત એટલે જિનેશ્વરે જે જીવાદિ તત્ત્વો વિષે માન્યતા ઉપદેશી તે શું સઘળી સાચી છે? લોકો તો તેમાં ઘણા દોષ દેખાડે છે. તો તે માન્યતાને સવળી કેમ સમજવી? ૪૯ાા સત્યમતિ કહે : “જિનપતિ સર્વે સર્વજ્ઞ, વીતરાગી રે, મોહરહિત, ના અવળું બોલે, મમતા જેણે ત્યાગી રે. શ્રીમદ્ અર્થ - જિનમતમાં બધું સવળું કેમ છે તેના કારણો સત્યમતિ હવે જણાવે છે : જિનપતિ એટલે જિનેશ્વર સર્વે સર્વજ્ઞ અને મોહરહિત વીતરાગી હોય છે. તેઓ સર્વજ્ઞ હોવાથી કોઈ પદાર્થ તેમનાથી અજાણ્યો નથી, માટે તેઓ અજ્ઞાનવશ કદી અવળું બોલે નહીં. અને વીતરાગી હોવાથી સર્વ પદાર્થની મમતા જેણે ત્યાગી છે એવા તે મોહવશ બની કદી અવળું ભાખે નહીં; પણ સદા સવળું જ બોલે. //૫૦ના સહજ સ્વરૃપ જોયું છે તેવું વસ્તુ માત્રનું વદતા રે, ઉત્તમ અધિકારી ગણઘર સમ શાસ્ત્ર પાત્રમાં ભરતા રે. શ્રીમદ્
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy