________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧૧૧
તો સત્પુરુષો શાંતિને ઘારણ કરી મૌન થઈ જાય છે. એવો સંત પુરુષોનો સ્વભાવ દયાળુ છે કે તેઓ કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ દેવા ઇચ્છતા નથી. ।।રહ્યા
કહે જિજ્ઞાસુ : ‘ત્યાગી મુંઢે બાળકને લલચાવી રે,
કર્યા કાયદા સરકારે પણ કરુણા કેમ ન આવી રે?'' શ્રીમદ્
અર્થ :– જિજ્ઞાસુ એવો આત્માર્થી ફરી બીજો પ્રશ્ન કરે છે કે આ કળિયુગમાં વૈષઘારી ત્યાગીઓ, અજ્ઞાની એવા બાળકને પોતાનો શિષ્ય બનાવવા માટે છ-છ મહિના સાથે ફેરવી લલચાવીને મુંડી નાખે અર્થાત્ દીક્ષા આપી દે છે. સરકારે પણ આવા અજ્ઞાની બાળકને મૂંડવા નહીં એવા કાયદા કર્યા છતાં પણ તે વેપધારી ત્યાગીઓને એવા બાળક ઉપર દયા કેમ ન આવી? કે આ બાળક બિચારો તરવારની ધાર પર ચાલવા સમાન આ ચારિત્ર ધર્મને કેવી રીતે પાળી શકરો
॥૨॥
સત્યમતિ કહે : “જનગણ-રંજન
કરનારો તે રાજા રે,
પ્રજાતલ કરનારો કોઈ મૂકે જો નિજ માજા રે. શ્રીમદ્
અર્થ : જવાબમાં સત્યમતિ કહે : જનના સમુહને રંજિત કરનાર હોય તે સાચો રાજા કહેવાય. પણ કોઈ રાજા પ્રજાકતલ કરનારો આવી જાય અર્થાત્ પ્રજાને અનેક રીતે દુઃખ આપવામાં જો પોતાની માજા એટલે મર્યાદા મૂકી દે તો તેને કોણ છોડાવે. તેમ કહેવાતા ત્યાગીઓ પણ બિચારા બાળક એવા અજ્ઞાનીને લલચાવીને કૂંડી દે તો બીજો તેની કોણ રક્ષા કરે? ॥૨૨॥
રાજ્ય પ્રજાસત્તાક થયાં છે દુઃશાસનથી બચવા રે,
રામ-રાજ્ય પણ કોઈ ન ભૂલે; દોષ હોય તે તજવા રે. શ્રીમદ્
અર્થ :– એવા ખોટા રાજાના દુ:શાસનથી બચવા માટે પ્રજાની સત્તાવાળા પ્રજાતંત્ર રાજ્ય બન્યા છે. રામ રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી. તેને આજે પણ કોઈ ખુલતું નથી. તેમ પ્રજાસત્તક રાજ્યમાં પન્ન કોઈ દોષ હોય તો તેને તજવા જોઈએ. રા
તેમ જ સંત-સમાજ વિષે પણ ઘણા દયાના દરિયા રે;
અવિવેકી કોઈ પૂર્વ-પુણ્યવશ વર્તે મોહે ભરિયા રે. શ્રીમદ્
અર્થ :— તેવી જ રીતે સંતપુરુષોના સમાજમાં પણ ઘણા દયાના સમુદ્ર જેવા હોય છે, નાસ્તિ નથી. કોઈ અવિવેકી એવા કહેવાતા સંતપુરુષો પૂર્વના પુણ્યવશ બાહ્યચારિત્ર પામી ગયા પન્ન હજી તેમનું વર્તન મોથી જ ભરેલું જણાય છે. ।।૨૪।।
શિષ્યમોહથી મૂંડે શિશુગણ, જગદ્ગુરુ થઈ ફરતા રે,
દીક્ષા દર્દી ઉદ્ઘાર કરું છું, એમ વિચારો કરતા હૈ. શ્રીમદ્॰
અર્થ :— આવા કહેવાતા મોહી સંતો શિષ્ય બનાવવાના લોભથી બાળકોને મૂંડી દે છે અને પોતે જ પોતાને જગદ્ગુરુ માની ફર્યા કરે છે અને એમ માને છે કે હું તો જીવોને દીક્ષા દઈ તેમનો ઉદ્ધાર કરું છું. ર૫ા
કર્યાં કાયદા તેથી બચવા, સર્વ સમાજ ન તેવો રે, અપવાદરૂપ પ્રસંગ તણો ના મુખ્ય દાખલો લેવો રે.” શ્રીમદ્