________________
૧૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અને બીજા ભેદમાં જ્ઞાનાવર્ણીની પ, દર્શનાવર્ણયની ૪, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયની પાંચ મળીને પર, ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે. રા.
વળી ઓગણચાલીસ સયોગી તેરમે, હો લાલ સયોગી.
ઉદીરણાને યોગ્ય નહીં કોઈ ચૌદમે, હો લાલ નહીં. ૩૦ અર્થ :- તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં નામકર્મની ૩૮ અને ગોત્રકર્મની ૧ મળીને કુલ ૩૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે.
ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં ઉદીરણા કરવા યોગ્ય એક પણ પ્રકૃતિ નથી. કેમકે ત્યાં મન વચન કાયાના યોગ નથી. ૩૦ગા.
૪. સત્તા* બંઘાયેલા કર્મોનું અબાઘાકાળ સુધી આત્મા સાથે વળગી રહેવું તેને સત્તા કહેવાય છે.
બંઘાદિથી બર્ની કર્મ વળગી રહે જીવને, હો લાલ વળગી
સત્તા કર્મની તે જ; ભેદાનભેદને- હો લાલ મેદાનભેદને ૩૧ અર્થ :- રાગદ્વેષ આદિના ભાવોથી કાર્પણ વર્ગણાઓ ખેંચાઈને આવી આત્માના પ્રદેશો સાથે કર્મરૂપે થઈ જે વળગી રહે, તે જ કર્મની સત્તા છે અને તેના અનેક ભેદ પ્રભેદ છે. ૩૧ાા
ગણતાં અડતાળીસ સોની ઉપર થઈ, હો લાલ સોની
બીજે, ત્રીજે સોની ઉપર સુડતાળીની, હો લાલ ઉપર૦ ૩૨ અર્થ :- હવે તે ભેદ પ્રભેદને ગણતાં પ્રથમ મિથ્યાત્વ નામના ગુણસ્થાનમાં તે ૧૪૮ પ્રકૃતિ થાય છે. તે આ પ્રમાણે :
જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, આયુની ૪, નામકર્મની ૯૩, ગોત્રની ૨ અને અંતરાય કર્મની ૫ મળીને કુલ ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
બીજા સાસ્વાદન તથા ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં તીર્થકર નામકર્મની સત્તા ન હોવાથી એક પ્રકૃતિ ઓછી થઈ; તેથી ૧૪૭ પ્રકૃતિઓ આ બે ગુણસ્થાનમાં સત્તારૂપે હોય છે. [૩રા
સત્તા, વણ-જિનબીજ; અન્યમાં પૂરી છે, હો લાલ અન્ય
પહેલેથી ઉપશાંત સુઘી સત્તા વિષે હો લાલ સુથી સત્તા ૩૩ અર્થ - જિનબીજ એટલે તીર્થંકર નામકર્મ જેણે બાંધ્યું તે અન્યમાં એટલે બીજા, ત્રીજા ગુણસ્થાનમાં જાય નહીં. એ બે ગુણસ્થાન વિના પહેલા ગુણસ્થાનકથી છેક ઉપશાંતમોહ નામના અગ્યારમા ગુણસ્થાન સુઘી ૧૪૮ પ્રકૃતિની સત્તા પૂરેપુરી હોય છે. તેને સંભવસત્તા કહેવાય છે. ૩૩ના
અનંતાનુબંર્થી ચાર નરક પશુ-આયુની, હો લાલ નરક
છ વિના સૌથી અધિક બેંતાળીસ પ્રકૃતિ, હો લાલ બેંતા૩૪ અર્થ - અનંતાનુબંધી કષાયની ચાર તથા નરકાયુ અને પશુઆયુની મળીને કુલ છ પ્રકૃતિઓ હમણાં સત્તામાં નથી એવા ઉપશમ શ્રેણીવાળાને ૧૪ર પ્રવૃતિઓ સત્તામાં સંભવે છે. સત્તાના બે પ્રકાર * જુઓ ‘સત્તા યંત્ર” પૃષ્ઠ ૬૦૧ ઉપર