SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અપ્રત્યાખ્યાનીય, અષ્ટક વૈક્રિયનું હો લાલ અષ્ટક નૃ-તિર્યક-આનુપૂર્વી, અનાદેય જોડલું હો લાલ અના- ૧૨ અર્થ – પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ ૧. ક્રોઘ, ૨. માન, ૩. માયા, ૪. લોભ તથા પ. દેવગતિ, ૬. દેવગત્યાનુપૂર્વી, ૭. નરકગતિ, ૮. નરકગત્યાનુપૂર્વી, ૯. દેવાયુ, ૧૦. નરકાયુ, ૧૧. વૈક્રિય શરીર, ૧૨. વૈક્રિય અંગોપાંગ એ અષ્ટક અને ૧૩. ને એટલે મનુષ્યગત્યાનુપૂર્વી તથા ૧૪. તિર્યંચગત્યાનુપૂર્વી તેમજ ૧૫. અનાદેય અને ૧૬. અયશકીર્તિ જોડલાનો ઉદય આ ગુણસ્થાનમાં હોતો નથી. II૧૨ા દુર્ભગ, સત્તર સર્વ; અહીં ઉદયે નહીં હો લાલ અહીં પ્રમત્તમાં એકાશી ઉદયમાંહી કહી હો લાલ ઉદય૧૩ અર્થ - વળી ૧૭. દુર્ભગ નામકર્મની પ્રકૃતિ મળીને કુલ ૧૭ પ્રકૃતિનો ઉદય આ પાંચમા ગુણસ્થાનમાં હોતો નથી. માટે ચોથા ગુણસ્થાનની ૧૦૪ પ્રકૃતિમાંથી આ ૧૭ બાદ કરતાં ૮૭ પ્રકૃતિનો ઉદય પાંચમા ગુણસ્થાનમાં હોય છે. તથા છઠ્ઠા પ્રમત્ત નામના ગુણસ્થાનમાં ૮૧ પ્રકૃતિનો ઉદય હોય છે. /૧૩ તિરિગઈ-આયુ, કુગોત્ર, પ્રત્યાખ્યની ગઈ હો લાલ પ્રત્યા ઉદ્યોત તેમ જ જાય; આહારક-દિકની હો લાલ આહા૦ ૧૪ અર્થ - છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં ૧. તિરિગઈ એટલે તિર્યંચગતિ, ૨. તિર્યગઆયુ, ૩. નીચ ગોત્ર તથા પ્રત્યાખ્યાનાવરણ ૪. ક્રોઘ, ૫. માન, ૬. માયા, ૭. લોભ અને ૮. ઉદ્યોત એમ આઠ પ્રકૃતિઓને પાંચમા ગુણસ્થાનની ૮૭ પ્રકૃતિમાંથી બાદ કરતાં ૭૯ પ્રકૃતિઓ શેષ રહી. તેમાં વળી ૧. આહારક શરીર અને ૨. આહારક અંગોપાંગની આ બે પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાનમાં વધી જવાથી ૭૦+૨ મળીને કુલ ૮૧ પ્રકૃતિઓ આ પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં ઉદયમાં હોય છે. ૧૪. બે નવી ઉદય થાય, છ ગુણસ્થાનકે. હો લાલ છઠ્ઠું. સ્યાનગૃદ્ધિનું ત્રિક, આહારક-વિક એ- હો લાલ આહા. ૧૫ અર્થ :- ઉપરોક્ત બે નવી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાને ઉદય પામી છે. હવે સાતમા અપ્રમત્તગુણસ્થાનમાં (૧) નિદ્રાનિદ્રા, (૨) પ્રચલાપ્રચલા, (૩) સ્વાનગૃદ્ધિ એ ત્રણ તથા ૪. આહારક શરીર અને ૫. આહારક અંગોપાંગ એ મળીને કુલ પાંચ પ્રકૃતિઓ ઉદયમાં હોતી નથી. ૧૫ાા સાતમે જાતી પાંચ, ઉદય છોંતેરનો હો લાલ ઉદય આઠમે જાતી ચાર, ઉદય બોંતેરનો- હો લાલ ઉદય૦ ૧૬ અર્થ :- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં ઉપરોક્ત પાંચ પ્રકૃતિઓ જવાથી છઠ્ઠા ગુણસ્થાનની ૮૧ પ્રકૃતિઓમાંથી આ પાંચ બાદ કરતાં ૭૬ પ્રકૃતિઓનો ઉદય સાતમા ગુણસ્થાનમાં હોય છે. આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનમાં બીજી ચાર પ્રકૃતિઓ જવાથી ૭૨ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૬ાા અંત સંહનન ત્રિક, સમ્યકત્વ-મોહની હો લાલ સમ્યક નવમે છાસઠ હોય ઃ હાસ્યાદિ છ જતી હો લાલ હાસ્યા. ૧૭
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy