SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (પ) (ચાર) ઉદયાદિ ભંગ-૧ નિદ્રા, પ્રચલા જાય બીજા વિભાગથી, હો યાય બીજા છવ્વીસ જ બંધાય, જતાં ત્રીસ નામની-હો લાલ જતાં ૩૪ અર્થ :– નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ બીજા વિભાગથી નાશ પામી છે. તેથી ૫૬ પ્રકૃતિઓ છઠ્ઠા વિભાગ સુધી રહી. હવે છેલ્લા સાતમા વિભાગમાં બીજી ત્રીસ નામકર્મની પ્રકૃતિઓ જવાથી ૫માંથી ૩૦ બાદ કરતાં ૨૬ પ્રકૃતિઓ જ બંઘયોગ્ય શેષ રહી. ।।૩૪।। સાતમો તે વિભાગ અપૂર્વકરણ તણો હો લાલ અપૂર્વ સુર-તિક, પંચેન્દ્રિય, સમચતુરઅ જો હો લાલ સમ૰ ૩૫ = અર્થ :— તે સાતમો વિભાગ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકનો છે. તેમાં નામકર્મની કઈ ૩૦ પ્રકૃતિઓ નાશ પામી તે જણાવે છે – સુરદ્દિક એટલે ૧. દેવગતિ અને ૨. દેવાનુપૂર્વી, ૩. પંચેન્દ્રિય :— - જાતિ અને ૪. સમચતુરઅસંસ્થાન છે. ।।૩૫।। ઔદારિક વણ ચાર અંગ, ઉપાંગ બે હો લાલ અંગ અગુરુલઘુ-ચતુષ્ક, નિર્માણ ત્રસ નવે હો લાલ નિર્માણ૦ ૩૬ ૯૩ અર્થ :– ઔદારિક વિના બાકીના ૫. વૈક્રિય, ૬. આહારક, ૭. તૈજસ અને ૮. કાર્યણ શરીર નામકર્મ તથા ૯. વૈક્રિય અંગોપાંગ, ૧૦. આહારક અંગોપાંગ અને ૧૧. અગુરુલઘુ, ૧૨. ઉપઘાત, ૧૩, પરઘાત, ૧૪. ઉચ્છ્વાસ નામકર્મ, વળી ૧૫, નિર્માણ તથા ૧૬. બસ, ૧૭. બાદર, ૧૮. પર્યાપ્ત, ૧૯. પ્રત્યેક, ૨૦. સ્થિર, ૨૧. શુભ, ૨૨. ભગ, ૨૩. સુસ્વર અને ૨૪. આઠેય નામકર્મ. એ પ્રકૃતિઓની આઠમા ગુણસ્થાનમાં વ્યુચ્છિતિ થાય છે. ।।૩૬।। જિન-બીજ વર્ણ-ચતુષ્ક, સુ-ખગતિત્રીસ એ હો લાલ સુ અનિવૃત્તિમાં પાંચ વિભાગ વિચારીએ-હો લાલ વિ૦ ૩૭ અર્થ :– વળી જિનબીજ એટલે ૨૫. તીર્થંકર નામકર્મ ૨૬. વર્ણ, ૨૭. ગંઘ, ૨૮, ૨૪, ૨૯, સ્પર્શ નામકર્મ, ૩૦. સુ-ખગતિ એટલે શુભ વિહાયોગતિ અર્થાત્ ચાલવાની શુભ રીત. એ ત્રીસ નામકર્મની બંઘ પ્રકૃતિઓનો આઠમા અપૂર્વ ગુણસ્થાનમાં બંધ થતો નથી. તેથી ૫૬ બંઘયોગ્ય પ્રકૃતિમાંથી આ ૩૦ જવાથી હવે ૨૬ બંઘયોગ્ય પ્રકૃતિ શેષ રહી. હવે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકના પાંચ વિભાગો વિચારીએ. ।।૩૩।। જુગુપ્સા, ભય, હાસ્ય, રતિ ચારના વિના તો લાલ રતિ બાવીસ જ બંધાય આદિ વિભાગમાં, હો લાલ આદિ ૩૮ અર્થ :– આ ગુણસ્થાનના પ્રથમ ભાગમાં જાગુપ્સા, ભય, હાસ્ય, રતિ એ ચાર બંઘયોગ્ય પ્રકૃતિઓ જવાથી ૨૨નો જ બંધ થાય છે. ૩૮ એકેકી ઘટતી જાય પછી ચાર ભાગમેં હો લાલ પછી નરવેદ, રોષ, માન, માયા અનુક્રમે તો લાલ માયા ૩૯ અર્થ :– બાકીના ચાર વિભાગમાં એક એક બંઘયોગ્ય પ્રકૃતિઓ ક્રમશઃ ઘટતી જાય છે. તે નરવેદ એટલે પુરુષવેદ, રોષ એટલે સંજ્વલન ક્રોધ, માન અને માયા છે. ૩૯।।
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy