________________
૯ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
૭૭ પ્રકૃતિઓનો બંઘ કહ્યો છે, તેમાંથી આ દશને બાદ કરતાં ૬૭ પ્રકૃતિઓ આ પંચમ ગુણસ્થાને બંઘ યોગ્ય રહી.
હવે છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ થવાથી સંયમની પ્રાપ્તિ થઈ. તેથી પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ક્રોધાદિ ચાર પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં બંઘ થતો નથી. ગારા
તેથી ત્રેસઠ બંઘ-પ્રકૃતિ પ્રમત્તને હો લાલ પ્રકૃતિ
આહારિક-કિક બંઘાય નવી બે સાતમે, હો લાલ નવી ૩૦ અર્થ - તેથી પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંઘ થતો હતો તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીયની ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ બાદ કરતાં બાકી રહેલી ૬૩ પ્રકૃતિઓનો આ પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં બંધ થાય છે.
હવે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી અહીં પ્રમાદરહિત સંયમ છે. તેથી આ અપ્રમત્તગુણસ્થાનક નામે ઓળખાય છે. આ સાતમા ગુણસ્થાનમાં આહારક શરીર અને આહારક અંગોપાંગની બે નવી પ્રકૃતિઓનો બંઘ વધવાથી છઠ્ઠા ગુણસ્થાનની ૬૩ પ્રકૃતિઓ સાથે આ ૨ નવી ઉમેરીએ તો ૬૫ પ્રકૃતિઓ બંઘ યોગ્ય આ ગુણસ્થાને હોય. ૩૦ાા.
અપ્રમત્તને ન શોક, અરતિ અપયશ તથા હો લાલ અરતિ
અસાત, અસ્થિર-દિક; સેર-આયુબંઘ વા હો લાલ સુર૦ ૩૧ અર્થ - હવે સાતમા ગુણસ્થાનમાં અપ્રમત્ત મહાત્માને ૧. શોક, ૨ અરતિ, ૩. અપયશ, ૪. અશાતા, ૫. અસ્થિર અને ૬. અશુભ એ નામકર્મની છ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી પહેલાની ૬૫ પ્રકૃતિઓમાંથી આ કને બાદ કરતાં ૫૯ બંઘયોગ્ય પ્રકૃતિ બાકી રહી.
હવે સુર એટલે દેવ-આયુનો બંઘ છઠ્ઠું પ્રમત્તગુણસ્થાને જો થાય તો છઠ્ઠ ૫૯ પ્રકૃતિબંઘ યોગ્ય કહેવાય. પણ દેવાયું બાંધતો જો સાતમે અપ્રમત્તગુણસ્થાને આવે અને ત્યાં બંઘ પડે તો સાતમે ગુણસ્થાને ૫૯ પ્રકૃતિ બંઘ યોગ્ય કહેવાય. અને જો છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં જ દેવાયુનો બંઘ પડે તો સાતમે અપ્રમત્તગુણસ્થાને પ૮ પ્રકૃતિ જ બંઘ યોગ્ય ગણાય. li૩૧.
તેથી ઓગણસાઠ, અઠ્ઠાવન જાણવા; હો લાલ અઠ્ઠાવન
નિવૃત્તિ માંહીં સાત વિભાગો જાણવા હો લાલ વિભાગો. ૩૨ અર્થ :- તેથી સાતમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો બંઘ કહ્યો છે. તેમાંથી આ દેવાયુની પ્રકૃતિનો બંઘ બાદ કરતા ૫૮ પ્રકૃતિઓ બંઘયોગ્ય સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં હોય છે. હવે આઠમા નિવૃત્તિ એટલે નિવૃત્ત ગુણસ્થાન અથવા અપૂર્વકરણ ગુણસ્થાનના સાત વિભાગો જાણવા. ૩રા
અઠ્ઠાવન ગણ બંઘ, આદિ વિભાગમાં હો લાલ આદિ.
છપ્પન પ્રકૃતિ-બંઘ પછી પાંચ ભાગમાં-હો લાલ પછી. ૩૩ અર્થ:- આ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના આદિ એટલે પ્રથમ વિભાગમાં ૫૮ બંઘયોગ્ય પ્રકૃતિ જાણવી. પછી બેથી છ સુઘી અથવા બીજા પાંચ વિભાગમાં ૫૬ પ્રકૃતિ બંઘયોગ્ય જાણવી. ૩૩ના