SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૯ અર્થ :— તે બધુંય જાણે પણ તેને ગણે નહીં. સિંહની ગર્જના સંભળાય, વીજળી પડતાં વજ્ર જેવી શિલા તૂટી જાય તો પણ તેમને કોઈ પ્રકારે ભય કે શંકા થાય નહીં. એવા તે શૂરવીર હતા. II૬૨ા વાવાઝોડે રે વેલા તૂટી જતા, સહે જળધારા-માર, આંગળીઓમાં રે દાંકુરો ઊગે, તોય ખસે ના લગાર. જાગો અર્થ :— વાવાઝોડું આવવાથી વેલાઓ તૂટી જતાં વરસાદની જળધારાનો માર સહન કરે છે. આગળીઓમાં ઘાસના અંકુર ઊગી ગયા તોય લગાર માત્ર ત્યાંથી ખસતા નથી. ।।૬૩।। તનુ પર બાઝે રે જાળ શેવાળની, વસતાં જંતુ અનેક, ઋષભપ્રભુને નિરંતર અંતરે રાખે, ઘીને વિવેક, જાગો અર્થ :— શરીરે શેવાળની જાળ બાઝી ગઈ. તેમાં અનેક જંતુઓ આવી વસ્યા. છતાં વિવેકને ઘારણ કરી શ્રી બાહુબલિ, શ્રી ઋષભપ્રભુને જ નિરંતર અંતરમાં રાખે છે. ।।૬૪॥ નિદ્રા ત્યાગી રે વર્ષ પૂરું રા, નિર્બળ કરી બહુ કર્મ; ઋષભપ્રભુની રે દિવ્યધ્વનિ સ્ફુરે : “બાહુબલિ શોધે ધર્મ. જાગો અર્થ :– નિદ્રાનો ત્યાગ કરી, ઘણા કર્મોને નિર્બળ કરી શ્રી બાહુબલિ એક વર્ષ પુરું ધ્યાનસ્થ રહ્યા. પછી એકવાર શ્રી ઋષભપ્રભુએ દિવ્યધ્વનિમાં જણાવ્યું કે બાહુબલિધ્યાનમાં ઊભા ઊભા ઘર્મને શોધે છે. પણ ધર્મ પ્રગટ થતો નથી. ।।૫।। વિચાર જાગ્યું રે કેવળ પામશે, સુંદરી-બ્રાહ્મી-નિમિત્ત, ‘ઊંચા કરીથી રે ઊતરો' એટલું સુર્ણા પલટાશે ચિત્ત.” જાગો અર્થ :— બ્રાહ્મી અને સુંદરીના નિમિત્તે વિચાર જાગવાથી તે કેવળજ્ઞાનને પામશે. બ્રાહ્મી અને સુંદરી ત્યાં જઈ કહેશે કે ‘ઊંચા કરી એટલે હાથી ઉપરથી હવે નીચે ઊતરો; તે સાંભળીને તેનું ચિત્ત પલટાઈ જશે. 19ના હષઁ બેનો રે બાબિલ શોીને, વદતી પ્રભુ-આદેશ, ‘ઊંચા કરીથી ઊતરો” સુણતાં, વિચારે સાધુ-વેશ. જાગો અર્થ – હર્ષપૂર્વક બન્ને બહેનોએ બાહુબલિને શોધી લઈ પ્રભુનો આદેશ કહ્યો કે ‘વીરા મારા ગજ - થકી ઊતરો.’ તે સુણતાં વિચારવા લાગ્યા કે હું તો સાધુવેશમાં છું, હું ક્યાં હાથી ઉપર બેઠો છું. ।।૬।। સ્વર બેનોનો રે ઓળી ચિંતવે: “ઉચ્ચ કરી તો માન, આ ઉપકારી રે બેનો ય વંદ્ય છે, નાના ભાઈ સમાન. જાગો - અર્થ :– બન્ને બેનોના સ્વરને ઓળખી ચિંતવવા લાગ્યા કે વાત ખરી છે. આ માનરૂપી ઉચ્ચો હાથી છે, તેના ઉપર હું બેઠો છું. આ બન્ને બહેનો પણ મારી ઉપકારી હોવાથી નાના ભાઈ સમાન વંદનીય છે. ।।૮।। પ્રભુના યોગે રે ઋષભ સમાં બધાં, નર્થી આત્મામાં ભેદ, શાને કાજે રે દૂર રહી હું સહું, નહિ નમવામાં ખેદ.” જાગો અર્થ :– પ્રભુનો યોગ થવાથી બધા ભાઈઓ ઋષભદેવ સમાન છે. સર્વના આત્મામાં કોઈ ભેદ = નથી. શાને માટે હું તેમનાથી દૂર રહી પરિષહો સહન કરું. તેમને નમવામાં ખેદ હોવો ન જોઈએ. ।।૬।।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy