SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૩ અર્થ :- બન્ને સેનાના માણસો હમણા અમે કહીએ છીએ તે સાંભળો : “જયાં સુધી અમે તમારા બન્ને પક્ષના સ્વામીને બોઘ કરીએ ત્યાં સુધીમાં જે કોઈ બાણ છોડશે તેને 28ષભ પ્રભુની આણ એટલે આજ્ઞા છે, એમ દેવો મહાસ્વરથી બોલ્યા. ર૧ના સજ્જ કરેલી રે ઘનુષ્યન દોરીઓ, સુભટ ઉતારી દેય, ઘોડા ખેંચી રે સર્વેય રાખતા, અસિ પેસે યાનેય. જાગો અર્થ - તે સાંભળી, સજ્જ કરેલી ઘનુષ્યની દોરીઓ ઉપર ચઢાવેલ બાણને સુભટોએ ઉતારી દીઘી. ઘોડાની ખેંચેલી લગામને સર્વેએ ઢીલી કરી તથા તલવારને સૈનિકોએ મ્યાનમાં મૂકી દીધી. રરા ભેરી, નગારાં રે હવે વાગે નહીં, ચારણ-ચૅર ના સુણાય, શિર કર જોડી મુકુટ-ઘર દેવતા વીનવે બન્ને રાય. જાગો અર્થ - ભેરી નગારાં વાગતા બંધ થઈ ગયા. ચારણ ભાટોના અવાજ હવે સંભળાતા નથી. ત્યારે મુકુટને ઘારણ કરનાર દેવતાઓ પોતાનું શિર નમાવી, હાથ જોડી બન્ને રાજા ભરત તથા બાહુબલિને વિનયપૂર્વક વિનંતી કરવા લાગ્યા. ર૩ાા {શબ્દોથી રે રોષ શમાવતા : “સૌ વિનયને વીનવેય, જય લક્ષ્મીના રે સ્વામી અખંડ છો, ચરમશરીરી બેય. જાગો. અર્થ :- સુશબ્દો બોલી બેયનો રોષ શમાવતા દેવો બોલ્યા : વિનયવાનને સર્વ વિનંતી કરે છે તેમ આપ તો બન્ને ચરમશરીરી છો. આજ ભવે બન્ને મોક્ષરૂપી લક્ષ્મીના અખંડ સ્વામી થવાના છો. આપને અમે શું વિનવીએ? ૨૪. જગના ચક્ષુ રે જેવા બેય છો, પૂજ્ય પિતાના સુભક્ત, વાત અમારી રે બન્ને ય સાંભળો, દયાથમેં આસક્ત. જાગો અર્થ :- આપ બેય તો જગત જીવોને કલ્યાણનો માર્ગ બતાવવા માટે ચક્ષુ સમાન છો. પૂજ્ય પિતા શ્રી ઋષભદેવના પરમ સુભક્ત છો. તથા બન્નેય દયાઘર્મમાં આસક્ત છો. માટે અમારી વાતને આપ બન્ને ધૈર્યતાપૂર્વક સાંભળો. ગરપા સુતીક્ષ્ણ શસ્ત્ર રે કાં કિંકરો હણો, સ્ત્રીજન બહુ રંડાય, બન્ને ભાઈ રે યુદ્ધો ભલે કરો, સૌ દ્રષ્ટા થઈ જાય. જાગો અર્થ – સુતીક્ષ્ણ શસ્ત્ર આ કિંકરો એટલે સેવકોને હણવાથી એમની ઘણી સ્ત્રીઓ રંડાપો પામશે. માટે તમે બન્ને ભાઈ ભલે યુદ્ધ કરો અને પ્રજા સર્વ દ્રા બની તે જોયા કરે. એમાં સર્વ જનનું હિત સમાયેલું છે, તથા દયાથર્મનો પણ એ જ ઉપદેશ છે. રા. ઘર્મ-ન્યાયે રે ત્રિવિઘ તમે લડો, તજી અનાર્ય વિચાર,” સુણીને બન્ને રે સંમતિ આપતા, થાય બેય તૈયાર. જાગો અર્થ - ઘર્મમાં કહ્યા પ્રમાણે ન્યાયપૂર્વક તમે ત્રણ પ્રકારે યુદ્ધ કરો. પણ તમારા પિતાએ જે પ્રજાનું પાલન પોષણ કર્યું તેનો સંહાર થાય એ અનાર્ય વિચાર તજવા યોગ્ય છે. દેવોનું આવું ન્યાયયુક્ત કથન સાંભળી બન્ને ભાઈઓએ સંમતિ આપી અને તે પ્રકારે લડવા તૈયાર થયા. ગારા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy