SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) શ્રી 28ષભ જિનેશ્વર ભાગ-૩ ૪૯૩ અર્થ - એમ અંતરમાં માયા મિથ્યાત્વથી યુક્ત ઈર્ષ્યા કરવાથી અને બાંધેલા દુષ્કૃત્યની આલોચના નહીં કરવાથી તેઓએ સ્ત્રીવેદ એટલે સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. અહીં ખગની ઘારા જેવી દીક્ષાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી છએ મુનિઓ અંતે પાદોપગમન અનશન અંગીકાર કરી સમાધિમરણ સાથી અનુત્તર વિમાનમાં ગયા. //પલા અનુત્તર વિમાનમાં જી, ઊપજે સુર સૌ તેહ, ભોગ-કર્મ પૂરાં થયે જી, ઘરતા માનવ-દેહ રે. ભવિજન અર્થ - પાંચ અનુત્તર વિમાનના મધ્યમાં આવેલ સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા સર્વે દેવતા થયા. આ શ્રી ઋષભદેવ ભગવાનનો બારમો ભવ છે. ત્યાંથી ભોગાવલી કર્મ પૂરું થતાં હવે માનવદેહને ઘારણ કરે છે. ૫૮. નાભિ કુલકર છે પિતા જી, મરુ-માતાની કૂખ, વજનાભ શોભાવતા જી, સ્વપ્ન ચૌદ દે સુખ રે. ભવિજન અર્થ - ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં વજનાભનો જીવ, તેત્રીશ સાગરોપમનું સર્વાર્થસિદ્ધ વિમાનનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવી હવે ભરતક્ષેત્રમાં મરુદેવા માતાના મુખમાં અવતર્યા. તે જ રાત્રિએ માતાએ ચૌદ અથવા દિગંબર મત પ્રમાણે સોળ મહાસ્વપ્નો જોયા. ત્યાં ઇન્દ્રોએ આવી તમારો પુત્ર ચૌદ રાજલોકનો સ્વામી થશે એમ સ્વપ્નાર્થ જણાવવાથી નાભિ કુલકર પિતા અને માતા મરુદેવા ખૂબ આનંદ પામ્યા. //પલા અયોધ્યા ય ઇન્દ્ર રચી જી, કલ્પવૃક્ષના ભોગ, સુર રત્નો વર્ષાવતા છે, જાણી નિજ નિયોગ રે. ભવિજન, અર્થ - ઇન્દ્ર અયોધ્યા નગરીની રચના કરી. ત્રીજા આરામાં કલ્પવૃક્ષના ભોગ હોવા છતાં દેવતાઓ પોતાના નિયોગ એટલે કર્તવ્ય પ્રમાણે ઇન્દ્રનો હુકમ જાણી રત્નોની વર્ષા કરવા લાગ્યા. /૬૦ના ઇન્દ્રાદિ સુર આવીને જી, કરતા ઉત્સવ સાર, માત-પિતા-પ્રભુને સ્તવી જી, ભક્તિ કરે અપાર રે. ભવિજન અર્થ :- સર્વ ઇન્દ્રો તથા દેવોએ આવી ભગવાનના ગર્ભ કલ્યાણકનો ઉત્સવ કર્યો. પ્રભુને તથા તેમના માતા પિતાને તવી અપાર ભક્તિભાવ કર્યા. ૬૧ાા ત્રણે જ્ઞાન સહ ગર્ભમાં જી, દેખે અવધિજ્ઞાન, ગર્ભ વિષે પણ તે સુખી જી, આત્મા સુખ-નિશાન રે. ભવિજન અર્થ - ભગવાન ગર્ભમાં અતિશ્રત અવધિજ્ઞાન સહિત વિરાજમાન છે. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું તો ભગવાન ગર્ભમાં પણ સુખી છે. કેમકે શુદ્ધ આત્મા સુખનો જ ભંડાર છે. રા. આષાઢી વદિ ચૌદશે જી, ઉત્સવ કરી સુર જાય, પ્રભુ વધે ગર્ભે સદા જી, માતા બહુ હરખાય રે. ભવિજન અર્થ - આષાઢી વદિ ચૌદશના ગર્ભ કલ્યાણક દિવસે ઉત્સવ કરી દેવતાઓ સ્વર્ગે ગયા. પ્રભુ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy