SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આ અપૂર્વ ઘર્મ માનીને બહુ ભવ્ય હિત જાણી જાગિયા, ગુરુએ કહ્યું કરી તર્યા, પાપથી વિરમી, સૌ કહી ગયા. ૩૨ અર્થ :- ઉપરોક્ત પ્રકારે અપૂર્વ ઘર્મનું આરાઘન કરીને ઘણા ભવ્યો તેમાં પોતાનું હિત જાણીને જાગી ગયા. આત્મજ્ઞાની ગુરુએ કહ્યા પ્રમાણે કરીને મોક્ષ પામી ગયા; પાપથી સર્વકાળને માટે વિરામ પામ્યા. એમ મહાપુરુષોનો સર્વસ્થાને આ જ વાત કહેવાનો લક્ષ છે. સુર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે -ગુરુને આથીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રોમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.” (વ.પૃ.૨૬૦) ૩રા તૃતીય ખંડ સંવૃત્તકર્મી સુભિક્ષુકે, અજ્ઞાનપણે કર્મ સંઘર્યા - તે સંયમથી ખરી જતાં; પંડિત તર્જી જન્માદિ, જો તર્યા. ૧ અર્થ - સંવૃત્તકર્મ સુભિક્ષુક એટલે જેણે નવીન કર્મોને આવતા રોકી સંવર કર્યો છે એવા સમાધિવંત સુસાધુ, જેણે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં કરેલા કર્મો સંઘરેલા છે તે પણ હવે સંયમ પાલનથી ખરી જતાં, તેવા પંડિત એટલે જ્ઞાની પુરુષો જન્મ જરા મરણને તજી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેના વનિતાને જે ન સેવતા મુક્ત સમા વખણાય જીવતાં, માટે દે મોક્ષદ્રષ્ટિ તું રોગવત્ કામ દેખી વર્તતાં. ૨ અર્થ :- જે પુરુષો સ્ત્રીઓને સેવતા નથી તે જીવતા છતાં મુક્ત પુરુષ સમાન વખણાય છે. માટે હે ભવ્યાત્મા! તું પણ હવે મોક્ષ તરફ દ્રષ્ટિ દે અને કામ ભોગાદિને રોગ સમાન જાણી વર્ત. સારા મહા મણિ વણિક લાવતા રાજાદિ ઘારે સુખે કરી, તેમ સૂરિ દે મહાવ્રતો, રાત્રિભુક્તિ તર્જી સાથુ લે ઘરી. ૩ અર્થ - વણિક વ્યાપારીઓ દૂર દેશથી કમાઈને મહામણિ એટલે ઉત્તમ રત્નોને લાવેલા હોય તો તેના ગ્રાહક રાજા મહારાજા થાય. તે તેની કિંમત સુખપૂર્વક આપી શકે. તેમ આચાર્ય શિષ્યને યોગ્ય જાણી તેને પાંચ મહાવ્રત આપે છે અને તે શિષ્ય રાત્રિભોજન તજી વ્રતોને સુખપૂર્વક ગ્રહણ કરે છે. આવા કામે મૂર્ણિત સાઘુઓ શાતાશોઘક ધૃષ્ટતા ઘરે, કૃપણ સમા જાણતા નહીં સમાઘિમાર્ગ કહ્યો જિનેશ્વરે. ૪ અર્થ – કામભાવથી મૂચ્છ પામેલા સાઘુઓ જે ક્ષણિક એવી શાતા સુખના શોઘક છે. તેઓ જ આવા કાર્યમાં ધૃષ્ટતા કરે છે. જેમ કૃપણ માણસ દાન દેવાનું જાણતો નથી તેમ જિનેશ્વરે કહેલા ઉત્તમ આત્મ સમાધિમાર્ગને તે જાણતા નથી. જા. ગાડીત દે ત્રાસ બેલને, ગળિયો, નિર્બળ, આર ઘોંચતા અંતે અસમર્થ ચાલવે, મરે કાદવે જેમ ખૂંચતા; ૫ અર્થ :- ગાડીત એટલે બળદગાડીને ચલાવનાર માણસ બળદને ચાલવા માટે ત્રાસ આપે પણ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy