SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ કામપાલ નર કાર્પાને ફ્રાંસી તુર્ત જિવાડે રે, સુણી વાત વસંતની હિત-વિશ્વાસ પમાડે ૨ઃ- ૯૭ અર્થ :– નજીકમાં રહેલ કામપાલે આવી તે ફાંસીને તુર્ત કાપી તેને જિવાડ્યો. શા માટે તું મરણ = પામે છે એ વાત જાણી તેને હિત કરે એવા વચનો ી શાંતિ પમાડી. અને કહ્યું કે કોઈ પણ કામ માટે કદી મરવું નહીં; પક્ષ તે કાર્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરવો. કારણ જીવતા નર ભદ્ર પામે એમ કહ્યું છે. ।।૭।। ‘હિંમત હાર નહીં હજી, કામ-મંદિરે આજે રે, આ જ વને તે આવશે કુલાચારને કાજે રે.'૯૮ અર્થ = તું હજી હિંમત હાર નહીં. કેસરા કુલાચાર પ્રમાણે આજે આ વનમાં રહેલા કામદેવના મંદિરમાં દર્શન કરવા આવશે. ।।૮।। કામ-પ્રતિમા પાછળે, સંતાયા તે સાંજે રે, કન્યા અંદર એકલી પેઠી પૂજા કાજે ૨. ૯૯ અર્થ :– એમ વિચારી બેય જણા સાંજે તે કામદેવના મંદિરમાં જઈ કામદેવની પ્રતિમાની પાછળ = સંતાઈ ગયા. કન્યા કેસરા એકલી પૂજા કરવા માટે તે મંદિરની અંદર પેઠી. ।।૯। દ્વાર બંધ કરી તે કહે : ‘વસંત ભાં થાજો રે,’ મરવા તૈયારી કરે, પ્રગટ વસંત જ થાતો રે, ૧૦૦ અર્થ – પછી મંદિરના દ્વાર બંધ કરી તે દેવને કહેવા લાગી. ભવાંતરમાં પણ મારો ભર્તાર વસંત = થજો. એમ કહી જ્યાં મરવાની તૈયારી કરે છે તેટલામાં ત્યાં વસંત જ પ્રગટ થવાથી તે હર્ષ પામી. ।।૧૦૦।। ઘનદ-જીવ કામપાલ આ, ધનપતિ મદિરા જાણો રે; મદિરા મામા-પુર્વી છે, કેસરની મન આણો રે, ૧૦૧ અર્થ :— પૂર્વભવનો વણિક મિત્ર ધનદનો જીવ જ આ ભવમાં કામપાલ થયેલ છે. અને પૂર્વભવનો વણિક ઘનપતિ મિત્ર માયા કરવાથી આ ભવમાં મદિરા નામે સ્ત્રી અવતાર પામેલ છે. મંદિરા તે કેસરાના મામાની જ પુત્રી છે તે પણ અહીં કેસરાના લગ્નમાં આવી છે. ।।૧૦૧।। કામપાલ ને કેસરા કપડાં બદલી લે છે રે, કામપાલ નીચે મુખે, જઈ સી-સંગ મળે છે રે. ૧૦૨ = અર્થ :– હવે કાર્યસિદ્ધ કરવાની યુક્તિ વિચારી કામપાલે કેસરાના કપડાં પહેર્યા અને કેસરાએ કામપાલનો પુરુષવેષ ધારણ કર્યો. કામપાલ કેસરાના કપડાં પહેરી લજ્જાથી મુખ ઢાંકી નીચે મુખે મંદિરમાંથી બહાર નીકળી સખીઓની સાથે મળી ગયો. અને વસંત અને કેસરા થોડા સમય પછી મંદિરમાંથી નીકળી દૂર પલાયન કરી ગયા. ।।૧૦૨ ઘેર જઈ એકાંતમાં બેઠો ત્યાં જ મદિરા રે, સગી કેસરાની હતી, તે કહે બની અધીરા રે:- ૧૦૩ અર્થ :– ઘેર જઈ કામપાળ કેસરાના વેષે એકાંતમાં બેઠો ત્યાં મદિરા જે કેસરાના મામાની દીકરી બહેન હતી તે આવીને અધીરી થઈ કહેવા લાગી. ।।૧૦૩।।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy