SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ત્યાં એમ વિચારવું કે આ બુદ્ધિરૂપી ઘન મારા આત્મહિતને અર્થે છે. નહીં કે આવી શંકાઓ કરવા માટે. જ્ઞાનીની આજ્ઞા હું પાળીશ તો મારી યોગ્યતા વચ્ચે બધું આપોઆપ સમજાઈ જશે. ૧૮ાા કેવળજ્ઞાન વિષે ભાસ્યા તે પદાર્થ-ઘર્મો કીઘા, તે જ પ્રકારે પ્રવર્તતા તે, આજ્ઞા-આર્થીન સીથા. સદગુરુ અર્થ - કેવળજ્ઞાનમાં ભગવાને પદાર્થના જેવા જેવા ઘર્મો દીઠા તેવા તેવા વર્ણવ્યાં છે. તેજ પ્રકારે આજ્ઞાથીન રહી પ્રવર્તતા કાળે કરી પોતાની યોગ્યતા વઘતાં તે તે પદાર્થોનું પોતાને પણ યથાર્થ શ્રદ્ધાન થાય છે. ૧૯ાા હેય, શેય ને ઉપાદેયરૃપ વિચાર મુખ્ય કરવા, ઉપાદેય ને હેય વિચારી સંશય સર્વે હરવા. સગુરુ અર્થ - કેવળજ્ઞાનવડે જાણીને ભગવંતે જે જે તત્ત્વો કહ્યાં તેને હેય, શેય, ઉપાદેયરૂપે મુખ્યપણે વિચારવાં. તેમાંથી ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય શું છે અને હેય એટલે ત્યાગવા યોગ્ય શું છે એમ વિચારી સર્વ પ્રકારની શંકાઓનું નિવારણ કરવું. /૨૦ણી ઉપાદેય તો વીતરાગતા, રાગાદિક સૌ હેય; તેમાં ભૂલ થતાં છે હાનિ, અનેક ભેદે જોય. સગુરુ અર્થ :- સર્વ તત્ત્વોમાં ગ્રહણ કરવા યોગ્ય વીતરાગતા છે અને રાગ, દ્વેષ, કામ, ક્રોઘાદિના ભાવો ત્યાગવા યોગ્ય છે. આ ગ્રહણ ત્યાગમાં જો ભૂલ થઈ તો જીવને મોટું નુકશાન થશે, સંસાર પરિભ્રમણ જ રહેશે. શેય એટલે જાણવા યોગ્ય પદાર્થના તો અનેક ભેદ છે. ૨૧ ભાવ ભાસવા કરો પરીક્ષા જીવાદિક તત્ત્વોની, સ્વ-પર-ભેદ સમજાતાં સાચો, ટળે ભ્રાંતિ ભાવોની. સગુરુ અર્થ - વીતરાગતાનો ભાવ ભાસવા માટે જીવ અજીવાદિ તત્ત્વોની પરીક્ષા કરો, અર્થાત્ તેની ઓળખાણ કરો. જ્યારે સ્વ શું અને પર શું છે તેનો સાચો ભેદ સમજાઈ જશે ત્યારે ભાવોમાં રહેલી અનાદિની આત્મભ્રાંતિ ટળી જશે. ૨૨ાા ભ્રાંતિથી દુઃખી જીવો સૌ, તે જાતાં સૌ સવળું, શેય જ્ઞાનથી જણાય, તે પછી પરિણમે ના અવળું. સગુરુ અર્થ - જગતના સર્વ જીવો આત્મભ્રાંતિના કારણે દુઃખી છે. તે આત્મભ્રાંતિનો નાશ થતાં સર્વ સવનું છે. શેય પદાર્થોનું સ્વરૂપ સમ્યકજ્ઞાનવડે જણાયા પછી તે અવળું પરિણમે નહીં. ૨૩ સૂક્ષ્મ, દૂરવર્તી યોમાં આશંકા વતે ત્યાં. જિન-આજ્ઞાથી માની લેતાં, શંકા-સ્થાન રહે ક્યાં? સદ્દગુરુ અર્થ :- સૂક્ષ્મ પદાર્થો કે અતિ દૂર રહેલા પદાર્થો જેમકે સોયની અણી ઉપર બટાકાના કણમાં અનંત જીવ છે અથવા જગતમાં કાજળના કૂપાની જેમ સર્વત્ર ઠાસી ઠાસીને ભરેલ સૂક્ષ્મ જીવો છે તેમજ અતિ દૂર રહેલા અસંખ્યાત દ્વીપ સમુદ્ર કે દેવલોક નરકાદિ છે તેમાં જીવને આશંકા થાય તો ત્યાં જિનેશ્વરે કેવળજ્ઞાનથી જોઈને કહ્યા પ્રમાણે માની લેતા શંકાને ક્યાં સ્થાન રહે? પારજા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy