SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) સમિતિ-ગુતિ ૨૯૧ અર્થ - પરિષહ પચ્ચે પણ અડોલ આસન રાખે અથવા કાયોત્સર્ગે સ્થિતિ રહે કે શરીરવડે હિંસાનો ત્યાગ કરે તેને કાયમુસિ કહેવાય છે. પિયા કાય-યોગથી કર્મો આવે, માટે સ્થિરતા સાથો, આત્મ-વીર્ય અચલ, સહજ નિજ, ચંચળ બની ન વિરાથો. હો ભક્ત અર્થ - કાયાના હલનચલનથી પણ કમ આવે છે. માટે કાયાની સ્થિરતાને સાધ્ય કરો. પોતાનું આત્મવીર્ય સહજ સ્વભાવે અચળ છે. માટે તેને કાયયોગથી ચંચળ કરી આત્મવીર્ય પ્રગટ થવામાં વિરોઘ કરો નહીં. ૫૪ ઇન્દ્રિય-વિષયભોગનું સાઘન, શરીર-પ્રવૃત્તિ રોકો, નવન કર્મ આવે તનુયોગે, દેહ-મોહ અવલોકો. હો ભક્ત અર્થ - પાંચેય ઇન્દ્રિયો ભોગનું સાધન હોવાથી તેને પોતપોતાના વિષયોમાં ન જવા દો. એમ શરીરની પ્રવૃત્તિને રોકો. કારણકે તનુયોગે એટલે કાયાના યોગને પ્રવર્તાવવાથી પણ જીવને નવીન કર્મનો બંઘ થાય છે. માટે દેહના મોહને અવલોકી એટલે ધ્યાનમાં લઈ હવે તેનો ત્યાગ કરો. પપા. અકંપ, અયોગી ગુણસ્થાને ના કર્મ લગારે આવે, તેથી મુનિવર સ્થિરતા ઘારી આત્મા ધ્યાને ધ્યાવે. હો ભક્ત અર્થ - ચૌદમા અયોગી ગુણસ્થાને કાયયોગની પર્વત જેવી અકંપ સ્થિતિ હોવાથી ત્યાં લગાર માત્ર પણ કર્મનો પ્રવેશ નથી. તેથી મુનિવર સ્થિરતા ઘારણ કરીને આત્મધ્યાનને ધ્યાવે છે. //પકા સમકિત ગુણસ્થાને રુચિ થઈ, પૂર્ણ શુદ્ધ આત્માની, તે પદની સંપ્રાપ્તિ કાજે ત્રિગુતિ કારણ માની. હો ભક્ત અર્થ - ચોથા ગુણસ્થાને આત્માનો અનુભવ થતાં પૂર્ણ શુદ્ધ આત્મા પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થઈ. તે શુદ્ધ આત્માની સંપ્રાપ્તિ કરવા માટે ત્રિગુતિની જરૂર છે. //પણા ગુણિમાં રમવાની શક્તિ હોય ન તો તે રુચિ રાખી, વર્તે સમિતિમાં મુનિ, ગુતિ ખરેખર ઊંચી. હો ભક્ત અર્થ - મનવચનકાયાની ગુપ્તિમાં રમવાની શક્તિ ન હોય તો તેની મનમાં રુચિ રાખી, મુનિ પાંચ સમિતિમાં પ્રવર્તે. પણ ગુતિની રમણતા તો ખરેખર ઊંચી છે. એક મુનિનું ત્રણ ગુતિ વિષે વૃષ્ટાંત – કોઈ એક ગામમાં એક સાધુ શ્રાવકના ઘરે ભિક્ષા લેવા માટે ગયા. શ્રાવકે નમન કરી પૂછ્યું કે “હે પૂજ્ય! તમે ત્રણ ગતિએ ગુપ્ત છો?” મુનિ કહે—હું ત્રણ ગતિએ ગુપ્ત નથી.” શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે–એક દિવસ કોઈના ઘરે ભિક્ષા લેવા હું ગયો હતો ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ, મારી સ્ત્રીનું મને સ્મરણ થયું તેથી મને મનગતિ નથી. એક દિવસ શ્રીદત્ત નામના ગૃહસ્થના ઘરે વહોરવા ગયો તેણે મને કેળાં આપ્યાં. ત્યાંથી બીજે ઘરે ગયો તે શ્રાવકે પૂછ્યું કેળાં કોણે આપ્યાં? એટલે મેં સત્યવાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનારનો દ્વેષી હતો, તેથી રાજા પાસે જઈ, બનાવટી વાત કરી કે–હે સ્વામી! આપની વાડીનાં કેળાં દરરોજ શ્રીદત્તના ઘરે જાય છે. રાજાએ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy