________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
(૪૧)
પંચ મહાવ્રત વિષે વિચાર
(ગીત) *
વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજના ચરણે નમે, સૌ કર્મ કાપે જે મહાવ્રત ત્યાં સદા વૃત્તિ રમે; એ સફળ દિનને દેખવા પરમેષ્ઠીપદને સ્પર્શવા, સદ્ગુરુ-ચરણ ઉપાસવા ભાવો ઊંઠે ઉર અવનવા, ૧
૪૬૩
અર્થ :— પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે વિનયપૂર્વક મારું મસ્તક શ્રી ગુરુરાજના ચ૨ણક્રમળમાં નમસ્કાર કરે છે. તથા સર્વ કર્મને કાપવામાં સમર્થ એવા જે પંચ મહાવ્રત છે ત્યાં મારી વૃત્તિ સદા રમ્યા કરે છે. એ પંચ મહાવ્રતને ઘારણ કરી જીવન સફળ થયેલ એવા દિવસોને જોવા તથા પરમેષ્ઠીપદ અર્થાત્ શુદ્ધ આત્મપદને સ્પર્શવા માટે સદ્ગુરુ ભગવંતની આજ્ઞા ઉપાસવા મારા હૃદયમાં સદા નવા નવા ભાવોની ઉર્મિઓ ઊઠ્યા કરે છે. કેમકે ગુરુથી જ્ઞાન થાય અને જ્ઞાનથી જ જિનદશાની પ્રાપ્તિ થાય છે માટે. “સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.'' -શ્રીમદ્ રાજચંદ્ર ||૧|| નિશદિન સહજાત્મસ્વરૂપ-વિચારના વ્યાપારમાં; સુજ્ઞાન-સુથ્થાને ૨મે મુનિવર પરમ આચારમાં; જે દેવૃષ્ટિ દૂર કરીને પરમ તત્ત્વ લીન છે, વર્ણી શુદ્ધ ભાવે સિદ્ધ સમ ગી સર્વને, હે દીન તે. ૨
હવે આ પાંચ મહાવ્રતને ઘારણ કરનાર મુનિવર કેવા વિચારમાં રહે છે, તે જણાવે છે :–
અર્થ :— જે નિશદિન સહજાત્મસ્વરૂપના વિચાર કરવાના વ્યાપારમાં જોડાયેલા છે. જે સમ્યક જ્ઞાનરૂપ સ્વાધ્યાયમાં કે ઉપદેશ આપવામાં કે શાસ્ત્ર લખવામાં પ્રવર્તે છે અથવા સમ્યક્ આત્મધ્યાનમાં જે ૨મે છે અથવા મુનિવરોના પરમ પ્રસિદ્ધ પંચ આચાર જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે તેમાં પ્રવર્તે છે. જે સદા દેવૃષ્ટિ દૂર કરીને ૫૨મ આત્મતત્ત્વમાં લયલીન છે. વળી નિશ્ચયનયથી સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી પોતે લઘુતા ધારણ કરીને રહે છે કે સર્વ જીવો મારા જેવા જ છે; મારામાં તેમનાથી કંઈ વિશેષતા નથી. એવા પ.પૂ.પ્રભુશ્રીજી હતા કે જે સર્વમાં પ્રભુ જોતા હતા. તેવા સર્વ મહાત્માઓને હું ભાવપૂર્વક વિનયસહિત પ્રણામ કરું છું. ॥૨॥
શ્રદ્ધા છ પદ, નવ તત્ત્વની વા સર્વ દ્રવ્ય સ્વભાવની, ને જ્ઞાન નિજ-૫૨-રૂપનું સત્કૃત-પ્રાપ્તિ પાવની; યમરૂપ પાંચ મહાવ્રતો, આચારરૂપ ચારિત્ર જ્યાં, વ્યવહાર-રત્નત્રય ગણો ભેોપચારે વાત ત્યાં. ૩
હવે પંચ મહાવ્રતધારી મુનિવરોમાં શું શું વિશેષતાઓ છે તે જણાવે છે :
અર્થ :—જેને છ પદની કે જીવાદિ નવ તત્ત્વની અથવા છએ દ્રવ્યના સર્વ ગુણધર્મની શ્રદ્ધા છે. તથા જેને નિજ શું અને પર શું? તેના સ્વરૂપની સમજ છે. તેમજ પવિત્ર એવા સત્શાસ્ત્રો સંબંઘીનું જેને જ્ઞાન