SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) મૌન ૪૩૯ અર્થ - મહાન એવા ઘેર્યને ઘારણ કરી જે મરણની છેલ્લી ઘડી સુધી કષ્ટોને સહન કરે છે. જે મૃત્યુને મહોત્સવ માની ઉત્તમ ભાવ રાખી મરણને સુધારી લે છે તે જ સાચા મુનિ છે. IIટા. ક્રોદાદિ દોષો શમે બને માર્ગાનુસારી, તત્ત્વજિજ્ઞાસા જાગતાં સગુરુ ઉપકારી. રાજ૦ ૯ હવે ખરું અંતરંગ મૌન પ્રાપ્ત કરવા આપણે શું કરવું જોઈએ તેનો ક્રમ જણાવે છે : અર્થ - પ્રથમ જીવે ક્રોધ, માન, માયા, લોભાદિક દોષોનું શમન કરવું જોઈએ. તે થતાં જીવ માર્ગાનુસારી બને છે. તે યોગ્યતા આવ્ય આત્માદિ તત્ત્વોને જાણવાની જીવને જિજ્ઞાસા પ્રગટે છે. પછી સ ગુરુ ભગવંતનો બોઘ તેને ઉપકારી થાય છે. લો સદ્દગુરુ-સેવાથી બને સદ્ભુતરસ-ઘારી, જીવ-અજીવના ભેદ બે, ગુરુ-ગમે વિચારી. રાજ. ૧૦ અર્થ :- સદગુરુ ભગવંતના બોઘવડે માર્ગનું ભાન થતાં તેમની આજ્ઞા ઉપાસવાનો જીવને ભાવ ઊપજે છે. પછી ક્રમે કરી સત્કૃતમાં તે રસ લેતો થાય છે. તેના ફળ સ્વરૂપ, ગુરુગમે અર્થાત્ ગુરુની સમજ પ્રમાણે તે જીવ અને અજીવ બેય જાદા દ્રવ્ય છે એમ વિચારતો થાય છે. ૧૦ગા. ભેદજ્ઞાની બની જાણતો જીવ, પુગલ ભિ; પરભાવો સૌ ત્યાગીને રહે સ્વરૃપે લીન. રાજ. ૧૧ અર્થ - જડ ચેતનનો વિચાર કરતાં તે ભેદજ્ઞાની બને છે. જેથી જીવ અને શરીરાદિ પુદ્ગલને ભિન્ન જાણી, સર્વ પરભાવોને ત્યાગી સ્વસ્વરૂપમાં લીન રહે છે, તે જ ખરું મૌનપણું છે. II૧૧ાા નિત્ય ગણે તે જીવને પુગલ-પિંડ અનિત્ય, જીવ અમૂર્તિક જાણતો, મૂર્તિક પુગલ-કૃત્ય. રાજ૦ ૧૨ અર્થ :- જીવ દ્રવ્યને નિત્ય ગણે છે તથા પુદ્ગલના પિંડ એવા શરીરાદિને અનિત્ય એટલે નાશવંત માને છે તથા જીવ દ્રવ્યને અમૂર્તિક એટલે અરૂપી માને છે તથા પુદ્ગલ એવા શરીર, ઘર, કુટુંબાદિકને તે મૂર્તિક એટલે રૂપી જાણે છે. [૧૨ના અચળ જીવ-સ્વરૂપ ને પુગલ-પિંડ ફરતાં, ચેતન-લક્ષણ જીવ છે, જડ પુગલ તરતાં. રાજ. ૧૩ અર્થ :- મૂળ સ્વરૂપે જોતાં જીવનું સ્વરૂપ અચળ અર્થાત્ સ્થિર સ્વભાવી છે, જ્યારે પુગલના પરમાણુઓ ફરતા રહે છે. જીવનું લક્ષણ ચૈતન્યપણું છે જ્યારે જડ એવા કર્મ પુદ્ગલો અચેતન હોવાથી જીવદ્રવ્યની ઉપર જ તરતા રહે છે, અર્થાત્ આત્મા સાથે તે એકમેક થઈ શકતા નથી. II૧૩ સ્વભાવનો કર્તા બને, વળી ભોક્તા જીવ; કિર્તા-ભોક્તા ભાવનાં બને નહીં અજીવ. રાજ. ૧૪ અર્થ - કર્મ ક્ષય થયે આત્મા સ્વભાવનો કર્તા બને છે અને તેનો જ તે ભોક્તા થાય છે. પણ આત્મભાવનાના કર્તા ભોક્તા અજીવ એવા પુદગલો થતાં નથી. II૧૪
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy