SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) મૌન ૪૩૭ (૩૮) મોન (ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની તે—એ રાગ) રાજચંદ્ર ગુરુ-વંદના, વંદ્ય-વંદક-ભાવ; પરમાર્થે પરમાત્મમાં એકતા, મૌન સાવ. રાજ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને હું વંદ્ય-વંદક-ભાવે વંદના કરું છું. પરમકૃપાળુદેવ તે વંદ્ય એટલે વંદન કરવા લાયક છે. અને હું તેમને વંદન કરવા લાયક છું. માટે ભાવપૂર્વક તેમના ચરણકમળમાં મારા આત્માના હિતને અર્થે પ્રણામ કરું છું. પરમાર્થે એટલે નિશ્ચયનયથી જોતાં પરમકૃપાળુદેવની પરમાત્મસ્વરૂપમાં એકતા થઈ છે. જેથી સાવ મૌનપણાને ભજે છે, અર્થાત જેને બોલવાની ઇચ્છા નથી. માત્ર ઉદયાહીન વચન પ્રવૃત્તિ થાય છે. બોલવા માત્રની જેને ઇચ્છા નથી માટે તે મૌનપણું છે. [૧ જાણે જે જગતત્ત્વને, મુનિ તે જ મહાન, મુનિપણું તે મૌન છે, કહે શ્રી ભગવાન. રાજ૦ ૨ અર્થ - જે જગતમાં રહેલા છ દ્રવ્ય કે સાત તત્ત્વને યથાર્થ જાણે છે તે જ મહાન મુનિ છે. “જેણે આત્મા જાગ્યો તેણે સર્વ જાણ્યું એ નિગ્રંથ પ્રવચન અનુસાર ત્રણે લોક જેનો વિષય છે એવા આત્માને જેણે જાણ્યો તે જ સાચા મુનિ છે. મુનિપણું એ મૌનપણું છે, અર્થાત્ મુનિઓ સ્વભાવમાં રમનારા હોવાથી વિભાવભાવથી મૌન છે. આત્માર્થના પ્રયોજન વગર બોલતા નથી, એમ શ્રી તીર્થકર ભગવંત કહે છે. રા. સમકિત તે મુનિપણું, મૌન તે સમકિત,” આચારાંગ વિષે કહ્યું; વીરવચન પ્રસિદ્ધ. રાજ૦ ૩ અર્થ :- જ્યાં સમકિત છે ત્યાં મુનિપણું છે. અથવા જ્યાં સમકિત છે ત્યાં જ ખરું મૌનપણું છે, કેમકે અંતરથી તેને કંઈ પણ બોલવાનો ભાવ નથી. આચારાંગ સૂત્રમાં આ વાત શ્રી મહાવીર ભગવાને જણાવી છે; જે જગત પ્રસિદ્ધ છે. “जं सम्मति पासहा तं मोणंति पासहा મોriતિ પાસદ તે સમ્પતિ પાસ.” આચારાંગ સૂત્ર અર્થ :- જે સમકિતને ઉપાસે છે તે મુનિપણાને ઉપાસે છે અને જે મૂનિપણાની ઉપાસના કરે છે તે સમકિતને ઉપાસે છે. કા. શિથિલ, ધૈર્યરહિત જે નિર્બળ મનવાળા, વિષયાસક્ત, પ્રમાદી ને ઘર-મમતાવાળા. રાજ૦ ૪ અર્થ :- જે શિથિલાચારી છે, જેનામાં ધૈર્યતા ગુણ નથી પણ ઉતાવળે વિચાર વગર કામ કરનારા છે, જેનું મનોબળ નિર્બળ છે, જે વિષયાસક્ત, પ્રમાદી અને ઘરમાં ઘણી મમતા રાખવાવાળા છે તે જીવો કેવી રીતે મૌનવ્રત પાળી શકે? Iઝા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy