SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ કવિપણું, ચતુરાઈ, હસ્તકળા, પુજ્યપણું, લોકમાન્યતા, પ્રખ્યાતિ, દાતારપણું, ભોગીપણું, ઉદારતા, શુરવીરતા ઇત્યાદિ ઉત્તમ સામગ્રી, ઉત્તમ ગુણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ બુદ્ધિ, ઉત્તમ પ્રવૃત્તિ જે કંઈ દેખવામાં, સાંભળવામાં આવે છે તે બધો ધર્મનો પ્રભાવ છે.'' -સમાધિસોપાન (પૃ.૧૨૬)||૮|| પ્રથમ પ્રાણી-દયા ઘરે આત્માર્થી ઉરમાં ય; દયા વિના ઘાર્મિક ક્રિયા જળમાં વાદળછાય. હું અર્થ થર્મ પાળનાર આત્માર્થી, પ્રથમ પ્રાણીદયાને હૃદયમાં ધારણ કરે. કેમકે દયા વિનાની ઘાર્મિક ક્રિયા જળમાં પડેલ વાદળની છાયા સમાન નિરર્થક છે. જળમાં પડેલ વાદળની છાયા કોઈને સુખનું કારણ થતી નથી તેમ દયા વગરનો ધર્મ કોઈને સુખ આપનાર થતો નથી. ।।૯।। પૂર્વ ભવે પિતાદિ જે સગાં થયાં બહુ વાર, તે પ્રાણી હણતાં અરે! કરે ન કેમ વિચાર? ૧૦ અર્થ :— પૂર્વભવમાં જે પિતા, માતા વગેરે ઘણીવાર થયા છે. એક એક જીવ સાથે અનંતી સગાઈ થઈ ચૂકી છે. એવા પ્રાણીઓને હણનાં અરે! હવે તું કેમ કંઈ વિચારતો નથી. ।।૧૦ના કરુણાવંત મુનિવરો તğને તન-દરકાર, નિશદિન નિજતિ સાથતાં, કરતા પરોપકાર. ૧૧ અર્થ :– હવે પ્રથમ મુનિધર્મનું વર્ણન કરે છે ઃ— કરુણાના ભંડાર એવા મુનિવરો પોતાના શરીરની દરકાર અર્થાત્ સાર સંભાળ તજી દઈને નિશદિન પોતાના આત્માનું હિત સાધતા બીજા જીવોની રક્ષા કરવારૂપ પરોપકાર કરતા રહે છે. ‘પરોવવધરાય સતાં વિદ્યૂતય:' પરોપકાર કરવો એ જ મહાત્માઓની વિભૂતિ છે. ।।૧૧। સર્વ જીવનું હિત કરે, દૂભવે છૅવ નહિ કોય, સર્વ-વિરતિઘર યોગી તે; દેશ-વિરતિ ગૃહી હોય. ૧૨ = અર્થ :– એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ છ કાય જીવની રક્ષા કરીને સર્વ જીવોનું હિત કરે છે. કોઈ પણ જીવને દુભવતા નથી. “સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.'' શ્રીમદ્ રાજચંદ્ર તે સર્વ વિરતિને ઘારણ કરનાર યોગી પુરુષો છે. તે બાર પ્રકારે, તેર પ્રકારે અથવા સત્તર પ્રકારે સંયમના પાળનાર હોય છે. પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠું મન તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાય એમ છ કાયની રક્ષા મળીને બાર પ્રકારે સંયમ થાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુતિ મળીને તૈર પ્રકારે સંયમ કહેવાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા ચાર કષાયનો નિગ્રહ મળીને સત્તર પ્રકારનો સંયમ જગતમાં પ્રસિદ્ધ છે. તે સંયમને પાલનહાર સર્વ વિરતિધર યોગીપુરુષો છે, તથા દેશ-વરિત એટલે જેને અંશે ત્યાગ કરેલો છે એવા ગૃહસ્થ તે દેશવ્રતને ઘારણ કરનાર શ્રાવક કહેવાય છે. ।।૧૨। ત્રસ જીવને ગૃહી ના હો વિના પ્રયોજન ક્યાંય; સંકલ્પી હિંસા તજે, દેશે સંયમ ત્યાંય. ૧૩ હવે બીજા ગૃહસ્થઘર્મ વિષે જણાવે છે :– અર્થ – ત્રસ એટલે હાલતાચાલતા જીવોને જે ગૃહી એટલે ગૃહસ્થ વિના પ્રયોજન કદી હણે નહીં.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy