SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 5 62 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ “બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે! “બ્રહ્મ એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીબુંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સપુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજા બઘા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે?—એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ.” (ઉ.પૃ.૩૩૧) ઉજ્વળ કપડામાં ડાઘ દેખાતાં શીધ્ર તેને ધોઈ નાખીએ છીએ, તેમ ઉજ્વળ મનવાળા સજ્જનો પોતાના મનમાં અલ્પ પણ દોષ દેખાતાં તેને શીધ્ર દૂર કરે છે. અહંક્સકનું દ્રષ્ટાંત :- પિતા દત્ત, પુત્ર અહંન્નક અને માતા ભદ્રાએ ત્રણે જણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અહંન્નક નાનો હોવાથી પિતા તેને આહાર પાણી લાવીને આપતા. કાળ જતાં પિતા મરણ પામ્યા. પછી આહાર લેવા માટે અહંન્નકને જવું પડ્યું. તડકો સહન ન થવાથી તે એક મકાનના નીચે ઊભા રહ્યા. ત્યાં તે ઘરની શેઠાણીએ તે મુનિને આહાર માટે અંદર બોલાવ્યા. મોહના વચનો બોલીને તેને મોહમાં ફસાવ્યો. તેથી તે અહંન્નક તેના ઘરમાં રહેવા લાગ્યો. માતાને ખબર પડવાથી તે અહંન્નક અહંન્નક કરતી ફરે છે. પોતાની માતાની આવી હાલત જોઈને અહંન્નક તરત જ મહેલ ઉપરથી ઊતરી માતાના પગમાં પડીને બોલ્યો કે હે માતા! કુલને લજવનાર, સંયમને ભ્રષ્ટ કરનાર પાપી અર્ધન્નક આ રહ્યો. પછી માતાના કહેવાથી ગુરુ પાસે જઈને પાછો સંયમ લઈ, દોષોનું પ્રાયશ્ચિત્ત કરી, અનશન લઈને ભયંકર કષ્ટ સહન કરી તે દેવલોકે ગયો. તેમ પોતાના દોષ દેખાતાં તેને શીધ્ર દૂર કરવાં જોઈએ. રા મસોતાં મેલાં થયા કરે તે ઘેલાં ભેળાં કરી રાખશે રે, પરબ્રહ્મ બ્રહ્મચારી નર નિઃસ્પૃહ રહેશે પરવશતા નહિ પામશે રે. પરબ્રહ્મ અર્થ - મનના દોષોરૂપી મસોતા એટલે મેલા કપડાઓને મોહમાં ઘેલા બનેલા લોકો ભેગા કરી રાખશે. જ્યારે નિર્મળ મનવાળા બ્રહ્મચારી પુરુષ તો હમેશાં નિઃસ્પૃહ રહેશે. જેને કંઈ જોઈતું નથી એવા નિઃસ્પૃહ બ્રહ્મચારી કદી પરવશતા એટલે પરને આધીન રહેશે નહીં. ||૩૦ગા. બ્રહ્મચારી નર નિર્મોહીં જાણો નિર્ભયતા પ્રસરાવશે રે; પરબ્રહ્મ બ્રહ્માનંદ બથે અનુભવશે પ્રેમ-અમી રેલાવશે રે. પરબ્રહ્મ અર્થ :- બ્રહ્મ એટલે આત્મા. તેમાં રમનારા તે બ્રહ્મચારી. એવા આત્મજ્ઞાની પુરુષોને તમે નિર્મોહી જાણો. તે પોતે નિર્ભય બની જવાથી બીજાને પણ નિર્ભય થવાનો માર્ગ બતાવશે. તે હમેશાં પોતાના આત્માનંદનો અનુભવ કરશે અને જગતવાસી જીવોને પણ તે આત્મઅનુભવ રસનો આસ્વાદ આપવા ભગવત્ પ્રત્યે પ્રેમભક્તિરૂપ અમૃતરસ કેમ પ્રગટે એવો ઉપદેશ આપશે. ૩૧ના નિશદિન મસ્ત રહી નિજરૂપે ભવના ભાવ ભુલાવશે રે, પરબ્રહ્મ સાક્ષાત્ મોક્ષની મૂર્તિ સમા એ, મુક્તિને પંથ ચઢાવશે રે. પરબ્રહ્મ અર્થ - તે આત્મજ્ઞાની મહાત્માપુરુષો નિશદિન પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત રહી સંસારનારાગદ્વેષના ભાવોને ભૂલી જશે. એવા સાક્ષાત્ મોક્ષની મૂર્તિ સમા જ્ઞાની પુરુષો બીજા અનેક ભવ્યાત્માઓને મુક્તિના માર્ગે ચઢાવશે, કેમકે પરોપકાર કરવો એ જ મહાપુરુષોનો વૈભવ છે. ૩રા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy