SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ૨૭૪ નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.'' (વ.પૃ.૪૩) ||૨૧|| જો પૂર્વ-કર્મ હણવા જીવ બુદ્ઘિ થારે, અજ્ઞાન દૂર કરવા દૃઢતા વધારે, સત્સંગ, સદ્ગુરુ ઉપાય અચૂક ઘર્મ, આરાથતાં જરૂર દૂર થના૨ કર્મ. ૨૨ પૂર્વકર્મ અને અજ્ઞાનને હણવાનો અચૂક ઉપાય સત્સંગ અને સદ્ગુરુનો આશ્રય છે. તે જણાવે છે : અર્થ :— જો જીવ પૂર્વકર્મને હણવા માટેની બુદ્ધિને ધારણ કરે તેમજ પરમાં સુખબુદ્ધિરૂપ અજ્ઞાનને દૂર કરવા મનમાં રૃઢતા વધારે અને તેમ કરવા સત્સંગ અને સદ્ગુરુનો દૃઢ આશ્રય કરે; તો તેવા આત્મધર્મના અચૂક ઉપાયને આરાધનાર જીવના સર્વ પ્રકારના કર્મો જરૂર નાશ પામશે. : કરવાનો દૃષ્ટાંત – દૃઢપ્રહારીએ અનેક પાપ કર્યાં છતાં સદ્ગુરુનો આશ્રય પામી બધા કર્મોને નાશ दृढ નિશ્ચય કર્યો તો છ મહિનામાં જ સર્વ કર્મોને નષ્ટ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું, ।।૨૨।। અજ્ઞાન મૂળ ભૂલ, ના સમજાય આપે, ના જાણી જોઈ ભૂલ કો મનમાંહિ થાપે; જ્ઞાનીજને જરૂર ઓળખીને ઉખાડી, તેની જ સંગતિ કરી ભુલ દે મટાડી. ૨૩ અનાદિકાળના અજ્ઞાનની મૂળ ભુલ જ્ઞાનીપુરુષો દ્વારા જ મટી શકે છે તે જણાવે છે – અર્થ :– અનાદિનું અગૃહિત મિથ્યાત્વ અથવા અજ્ઞાન એ જ મૂળભૂત ભૂલ છે. તે પોતાની મેળે જીવને સમજાતી નથી. કોઈ જાણી જોઈને ભૂલ કરે નહીં કે તેને મનમાં સ્થાપે નહીં; પણ તે ભૂલનું ભાન જ જીવને આજ સુધી થયું નથી. જ્ઞાનીપુરુષે જરૂર તે ભૂલને ઓળખી તેનો ઉપાય કરીને તેને ઉખેડી નાખી છે. માટે તેવા જ્ઞાનીપુરુષોની સંગતિ કરી અર્થાત્ તેમની આશાએ વર્તીને તે ભૂલ હવે જરૂર મટાડી દેવી જોઈએ. જેમકે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને કહ્યું કે અમે અનાદિકાળથી રખડીએ છીએ માટે અમારી સંભાળ લો. કૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાથી તેમની અજ્ઞાનરૂપ અનાદિની મૂળ ભૂલ હતી તે નાશ પામી. ।।૨ા જો સ્વપ્નમાં મરણ નિજ જણાય, કોને ? ભ્રાંતિ વિષે નહિ અશક્ય કશું ય, જોને; તેવી રીતે પ૨પદારથ નિજ જાણે, પોતે જ દેહમય માર્ની વિભાવ માણે. ૨૪ મનભ્રાંતિથી પરવસ્તુને પોતાની માની આ જીવ સંસારમાં રઝળ્યા કરે છે. તે વિષે જણાવે છે કે :– અર્થ :– સ્વપ્નામાં જીવને પોતાનું જ મ૨ણ જણાય છે. તે ક્રોને જણાય છે ? તો કે ભ્રાંતિથી પોતાને જ જણાય છે. એમ ભ્રાંતિ વડે કશુંય અશક્ય નથી. તેવી જ રીતે જે પદાર્થો પોતાથી સાવ પર છે તેને અજ્ઞાનવશ જીવ પોતાના માને છે, જેમકે પોતે કોણ છે? તો કે આ શરીર, તે જ હું છું, એમ પોતે જ પોતાને દેહમય માની વિભાવભાવોમાં સુખ કલ્પી રચીપચીને કર્મ ઉપાર્જન કર્યા કરે છે, “સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે;” (વ.પૃ.૪૩૬) “તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.’’ (વ.પૃ.૨૧૨) II૨૪॥
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy