SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરનાર નથી. ત્યાં જીવ ક્ષણે ક્ષણે મરણને ઇચ્છે છે. પણ અકાલે ત્યાં મરણ થઈ શકતું નથી; આયુષ્ય પૂરું થયે જ મરણ નીપજે છે. ૧૦૪ દુઃખ નિરંતર ભોગવે, નહિ નિદ્રા નિરાંત; તેનો લવ સ્વ-વશ સહે તો ર્જીવ લહે ભવાંત. ૧૦૫ અર્થ :- ત્યાં નરકમાં જીવ નિરંતર દુઃખ ભોગવે છે. તે દુઃખમાં તેને નિદ્રા નથી તેમજ ક્ષણ માત્ર પણ નિરાંત નથી. તે દુઃખનો લવ એટલે અંશ માત્ર પણ આ જીવ સ્વાધીનપણે આ ભવમાં સમભાવે ભોગવી લે તો તે જીવ આ દુઃખરૂપ સંસારના અંતને પામી જાય, અર્થાત્ મોક્ષને મેળવી લે. /૧૦૫/ (૧૮) પાર્ટ્સનાથ પરમાત્મા ભાગ-૨ (દોહરા) અયોધ્યા ઉત્તમ નગર ભરત ખંડમાં જાણ; વજબાહુ નરપતિ મહા ઈક્વાકું-કુલ-ભાણ. ૧ અર્થ - ભરતખંડમાં ઉત્તમ એવી અયોધ્યાનગરી છે તેમાં ઈક્વાકું કુલમાં ભાણ એટલે સૂર્યસમાન વજબાહુ નામનો રાજા રાજ્ય કરતો હતો. લા. પ્રભાકરી રાણી-ખે કુંવર યશનો કંદ, રૈવેયક-સુર અવતરે, નામ ઘરે ‘આનંદ. ૨ અર્થ - તે રાજાની પ્રભાકરી નામની રાણીના કુખે યશનો કંદ એવો દેવ જે રૈવેયક વિમાનમાં હતો. તે ત્યાંથી ચવીને અવતર્યો. અહીં તેનું નામ આનંદ રાખવામાં આવ્યું. આ ભગવાન પાર્શ્વનાથનો જીવ છે. રા યૌવનવય-સંપ વથી, મળ્યો સકળ સુખજોગ; મહા-મંડળીક પદ ઘરે, પૂર્વ પુણ્યસંયોગ. ૩ અર્થ – તે કુમારની યૌવનવય અને સંપત્તિ વૃદ્ધિ પામી તથા ભૌતિક સર્વ સુખ સામગ્રીનો તેને યોગ મળી આવ્યો. હવે પૂર્વ પુણ્યના સંયોગથી તે મહા-મંડળીક રાજાની પદવીને પામ્યા. ૧૩ નૃપ આનંદ-પદે નમે રાજા આઠ હજાર, નક્ષત્રો સમ નરપતિ શર્શ આનંદ વિચાર. ૪ અર્થ - આનંદરાજાના ચરણમાં આઠ હજાર રાજાઓ નમવા લાગ્યા. તારા નક્ષત્ર સમાન બીજા રાજાઓ મધ્યે આનંદ રાજા શશી એટલે ચંદ્રમા સમાન શોભાને પામ્યા. ૪ વિપુલમતિ મુનિને પૂંછે વંદી આનંદરાયઃ “સંશય મુજ મનમાં થયો, આપ-કૃપાથી જાય. ૫
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy