SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ત્રિપૃષ્ટ નામના હરિ એટલે નારાયણ (વાસુદેવ) બની સુખ ભોગવવા લાગ્યો. મુનિની મશ્કરી કરનાર દુષ્ટ એવો વિશાખનંદીનો જીવ ચારગતિમાં બહુ દુ:ખ ભોગવી ઘણો ભમીને અતિ પુણ્યના યોગે હવે પરાક્રમી એવો વિદ્યાધરેશ એટલે વિદ્યાધરોનો રાજા થયો. જેનું નામ અશ્વગ્રીવ પાડ્યું. ।।૨૬।। ८० એ અશ્વીવ ત્રણ ખંડ જીતી અર્ધચક્રી-પદ ઘરે, અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ માણ્યા કરે. ત્રિપૃષ્ટ વિદ્યાધર-સુતા પરણ્યો, સુણી ક્રોષે ભર્યો આ અશ્વâવ જે અર્ધચક્રી, યુદ્ધ કરવા સંચર્યો. ૨૭ અર્થ :– એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતીને અર્ધચક્રીપદ એટલે ત્રણ ખંડનો અધિપતિ બની પ્રતિ વાસુદેવની પદવીને ઘારણ કરી અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ ભોગવવા લાગ્યો. ત્યાં ત્રિપૃષ્ટ વાસુદેવ વિદ્યાધરની પુત્રીને પરણ્યો. તે સાંભળી આ અર્ધચક્રી અશ્વગ્રીવ ક્રોધે ભરાયો અને ત્રિપૃષ્ટ વાસુદેવ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. ।।૨૭।। હારી ગયો ત્રિપૃષ્ટથી ત્યાં ચક્ર હણવા લૈંકિયું, ત્રિપુષ્ટની જમણી ભુજા પર શાંત થઈ વિરાજિયું. એ અશ્વીવ તે ચક્રથી મરી સાતમી નરકે પડે, ક્યાં અર્ધચક્રીસુખ ને ક્યાં કષ્ટસાગ૨માં ૨હે! ૨૮ અર્થ :– ત્યાં યુદ્ધમાં ત્રિપૃષ્ટ વાસુદેવથી હારી ગયો જાણી, તેને હણવા માટે ચક્રરત્ન ફેંક્યું. પણ તે ચક્રરત્ન ત્રિપૃષ્ટની જમણી ભુજા પર આવીને શાંત થઈ વિરાજમાન થઈ ગયું. હવે ત્રિપૃષ્ટ દ્વારા ફેંકેલ આ ચક્રરત્નથી અશ્વગ્રીવ મરીને સાતમી નરકમાં જઈ પડ્યો. ક્યાં તો અર્ધચક્રીપણાનું સુખ અને ક્યાં નરકના દુઃખનો સમુદ્ર, કે જ્યાં માત્ર રડવા જેવું દુઃખ જ છે. ।।૨૮।। તે ચક્રરત્ને જીતિયા ત્રણ ખંડ ત્રિપૂણે પછી, લે સર્વની તે શ્રેષ્ઠ વસ્તુ ભોગવે એ નૃપતિ. છે રાણી સોળ હજાર, તેવી સર્વ સામગ્રી અતિ, પણ ભોગમમતા પાપનાં મૂળ આપતાં ખોટી ગતિ. ૨૯ અર્થ :- તે ચક્રરત્ન વડે નારાયણે ત્રણ ખંડ જીત્યા. તથા સર્વની શ્રેષ્ઠ વસ્તુને લઈ ભોગવવા લાગ્યો. સોળ હજાર રાણીઓ તથા તેવી સર્વ અત્યંત સામગ્રીને પણ પામેલ છે છતાં ભોગમાં રહેલી મમતા કે જે પાપના મૂળરૂપ છે, તે નહીં જવાથી ત્રિપૃષ્ટ નારાયણ ખોટી ગતિને પામ્યા. ॥૨૯॥ સદ્ધર્મને ભૂલી પરિગ્ર—પાપમાં મરતાં લગી, ત્રિપૃષ્ટ વાસુદેવ વસિયો તğ દયાને મૂલગી; મી૫ સાતમી નરકે ગયો, ત્રાસી અરે! પસ્તાય ત્યાંઃ માર્યા ઘણા જીવો, અરે! નરભવ ગયો અન્યાયમાં. ૩૦ અર્થ :- સદ્ઘર્મ એટલે આત્મધર્મને ભૂલી, મરતા લગી પરિગ્રહના પાપમાં દયાને સમૂળગી છોડી દઈ ત્રિપૃષ્ટ વાસુદેવ તલ્લીન થઈ રહ્યો, તેના પરિણામે મરીને સાતમી નરકે ગયો. ત્યાં દુ:ખથી ત્રાસી પસ્તાય છે કે અરે ! મેં વાસુદેવના ભવમાં ઘણા જીવોને માર્યાં. મારો નરભવ અન્યાય કરવામાં જ ચાલ્યો
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy