________________
(૭) સન્શાસ્ત્રનો ઉપકાર
૫ ૩
માટે તે અમુક કાળ સુધી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનક સુધી તે સૌ સાઘક જીવોના મનને ગમે છે.
અહોહો! સર્વ સુખના કારણભૂત શાસ્ત્રોનો ઉપકાર મહાન છે. ભવિજીવોને કલ્યાણ કરવામાં શ્રત પરમ આઘાર છે. રા.
પદ્મનંદ મુનિ ભાવે ભાવનાઃ “કદી ક્લેશ નહિ ઘારું,
ગુરુવચન જો ઉરે જાગતું નિત્ય સૌખ્ય દેનારું. -અહોહો ૨૩ અર્થ - વગડાઉ એવા પદ્મનંદી મુનિ ભાવના ભાવે છે કે હું કદી પણ મનમાં ક્લેશને ઘારણ કરીશ નહીં. કેમકે શ્રી ગુરુના સૌખ્ય એટલે સુખને આપનારા એવા વચન મારા હૃદયમાં સદા જાગૃત છે. ૨૩ાા
ભિક્ષા ભલે ગૃહી ના આપે, મુનિજન સ્નેહ ન રાખે,
નિર્ધનતામાં ભલે રિબાઉં, રોગ શરીરે આપે. -અહોહો ૨૪. અર્થ - મને ભલે ગૃહીજનો ભિક્ષા ન આપે, મુનિજનો પણ મારા પ્રત્યે સ્નેહ ન રાખે, બાહ્ય સામગ્રી ન મળવારૂપ નિર્ધનતામાં ભલે રિબાઉં, અથવા આખા શરીરે રોગ વ્યાપે તો પણ મને ગુરુ વચનો વડે સદા શાંતિ જ રહેશે. ૨૪
નગ્ન દેખી મુજને જન નિંદે, હાંસી કરે, ધિક્કારે,
મુક્તિદાયક ગુરુ-વચનોથી શાંતિ સર્વ પ્રકારે.” -અહોહો ૨૫ અર્થ - મને નગ્ન જોઈ કોઈ મારી નિંદા કરે, હાંસી કરે કે ધિક્કાર આપે તો પણ મુક્તિને દેવાવાળા એવા શ્રી ગુરુના વચનામૃતના પાન થકી મારા હૃદયમાં સર્વ પ્રકારે શાંતિ જ રહેશે. 1રપાા
“જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષોની વાણી
ગ્રહશે તે તો સત્ય પામશે’, ‘કહે રાજગુરુજ્ઞાની. અહોહો. ૨૬ અર્થ :- જે કોઈ સાચા હૃદયથી સપુરુષોની વાણીને ગ્રહણ કરશે તે જરૂર સત્યને પામશે એમ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની ગુરુ ભગવંત ઉપદેશે છે. “જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં સંશય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૪) I/૨૬ાા
રાગદ્વેષનાં પ્રબળ નિમિત્તો પ્રગટ્ય ક્ષોભ ન વ્યાપે,
તે જ્ઞાનીના આત્મજ્ઞાનનો વિચાર નિર્જરા આપે. અહોહો ૨૭ અર્થ :- રાગદ્વેષના પ્રબળ નિમિત્તો મળવા છતાં પણ જેના મનમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી. તેવા જ્ઞાનીપુરુષના આત્મજ્ઞાનનો વિચાર કરવા માત્રથી પણ જીવના ઘણા કમોંની નિર્જરા થાય છે. |રશા
કેળ-થડે અંદર પડ જે ચમત્કૃતિકૂંપ ભાસે,
સત્કૃતના અર્થો પણ તેવા, નિર્મળ જ્ઞાન પ્રકાશે.-અહોહો ૨૮ અર્થ - કેળના થડને અંદરથી તપાસતા પડ ઉપર પડ જામેલા જોઈ ચમત્કારરૂપ ભાસે છે; અર્થાત્ એક પડને ઉખેડતાં બીજાં પડ નિકળે, તેને ઉખેડતા વળી ત્રીજું નિકળે; એમ ઠેઠ સુધી પડ ઉપર પડ નીકળ્યા કરે છે. તેમ નિર્મળજ્ઞાનના પ્રકાશ વડે સત્કૃતના અર્થોને વિચારતાં તેમાંથી પણ જાદા જુદા અર્થો નીકળ્યા કરે છે. ૨૮