SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઉત્સાહપૂર્વક આરાઘના કરો અર્થાતુ ભગવાનની વાણીને સાંભળી, શ્રદ્ધી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરો તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. ૧૬ાા આ ભવ પર ભવ બન્ને સુઘરે તેવો ઘર્મ બતાવે, તેવા વક્તા, શ્રોતા મળતા પૂર્વે સહજ સ્વભાવે અહોહો૦૧૭ અર્થ - ભગવાનની વાણી, આપણને આ ભવ, પરભવ બન્ને સુધરે તેવો આત્મઘર્મ બતાવે છે. તેવા વક્તા એટલે જ્ઞાની પુરુષો તથા શ્રોતા એટલે તેમના બોઘને સાંભળનાર પુરુષો પૂર્વે અર્થાત્ ચોથા આરામાં સહજ સ્વભાવે મળી આવતા હતા. /૧૭થી તો પણ તેવા યુગમાં દુર્લભ અંર્ગીકાર કરનારા, વર્તમાનમાં વર્તન તો શું? ક્યાં વક્તા, સુણનારા? અહોહો. ૧૮ અર્થ :- તો પણ તેવા સયુગમાં તે ભગવાનના વચનોને અંગીકાર કરનારા તો દુર્લભ જ હતા. પણ વર્તમાનમાં તો વર્તનની વાત દૂર રહો પણ તેવા વક્તા એટલે સાચા આત્મજ્ઞાની મહાપુરુષો કે તેના ઉપદેશને ભાવપૂર્વક સાંભળનારા પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે. ૧૮ ગફલત-નીંદ કરી દૂર જનની વિવેકનેત્ર ઉઘાડે, હિત વિષે વર્તાવી સર્વે કષાય શાંત પમાડે. અહોહો. ૧૯ અર્થ - જ્ઞાનીપુરુષના વિરહમાં પણ મોહની ગફલત નિદ્રાને દૂર કરી જે વિવેકરૂપ નેત્ર ઉઘાડે તથા જીવને પોતાના આત્મહિતમાં લગાડી સર્વ કષાયભાવોને શાંત પમાડે, એવી જ્ઞાની પુરુષોની વાણી છે તે સદ્ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. ૧૯ો. સમ્યક તત્ત્વકૅપી આત્માનો નિર્ણય લેહ કરાવે. એવી સંત પુરુષની વાણી ક્યાંથી શ્રવણે આવે?–અહોહો. ૨૦ અર્થ :- સાત તત્ત્વોમાં મુખ્ય એવું આત્મતત્ત્વ તેનો નિર્ણય કરાવી શકે એવા સંતપુરુષોની વાણી ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. અહોહો! આ શાસ્ત્રો તો અમારા ઉપર પરમ ઉપકાર કરનાર છે; પણ તે ઉપકારને પામવા માટે જીવની યોગ્યતા જોઈએ. ૨૦ળા. સન્શાસ્ત્રો સદગુરુકૃપાથે યોગ્ય થવા ભણવાનાં, સત્રદ્ધા ને સદાચરણની દ્રઢતા પછી દેવાનાં. –અહોહો.૨૧ અર્થ :- સન્શાસ્ત્રો સદ્ગુરુ ભગવંતની કૃપાદ્રષ્ટિને પાત્ર થવા માટે ભણવાના છે. કેમકે – સપુરુષોની કૃપાદ્રુષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર સતુશાસ્ત્રોનો અભ્યાસ થયે તે પ્રત્યે પ્રથમ સાચી શ્રદ્ધા પ્રગટશે, પછી સદાચરણમાં દ્રઢતા એટલે સમ્મચારિત્રમાં પણ સ્થિરતા આવશે. એમ સદ્ભુત વડે જીવને પરમ ઉપકાર થાય છે. ૨૧ાા વિધિ-નિષેથો, બંઘ-મોક્ષની સમજણ શાસ્ત્ર કરાવે; અમુક કાળ સુંઘી તેથી તે સૌ સાથકને ભાવે.અહોહો. ૨૨ અર્થ - વિધિ-નિષેઘો એટલે આ પ્રમાણે કરવા યોગ્ય છે અને આ પ્રમાણે કરવાયોગ્ય નથી, તેમજ કર્મબંઘનો માર્ગ શું? અને સર્વ દુઃખથી મુક્ત થવાનો માર્ગ શું? તેની સમજણ પણ શાસ્ત્ર આપે છે.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy