SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૭ અર્થ - જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું માનો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય” -શ્રીમદ્ રાજચંદ્ર તપ આચરવાથી તાપસ કહેવાય છે. તેમ કર્મથી એટલે પોતાના ઉત્તમ કાર્યથી સાચું બ્રાહ્મણપણું પ્રગટે છે. તેમજ દ્વિજ નામ પણ ઉત્તમ સંસ્કારને સંઘરવાથી યથાર્થ કહેવાય છે. ૪૪ જ્ઞાનીઓએ કહેલા આ સ્પષ્ટ ગુણે જ સ્નાતક, સાચો બ્રાહ્મણ, માહણ, કર્મથી મુક્ત સાઘક. ૪૫ અર્થ - જ્ઞાની પુરુષોએ કહેલા આ સ્પષ્ટ ગુણો મેળવ્યે જ તે સ્નાતક કહેવાય. અર્થાત્ તેનો અભ્યાસ પૂરો થયો ગણાય. સાચો બ્રાહ્મણ તે જ છે કે જે માહણ છે અર્થાત્ કોઈને પણ મન વચન કાયાથી હણતો નથી, તથા જે નવીન કર્મ કરવાથી મુક્ત છે; તેને સાચો સાધક જાણવો. ૪પાા દ્વિજોત્તમ કહ્યો તે જે સમર્થ તર, તારવા; જન્મથી બ્રાહ્મણો માનો આત્મહિત વિસારવા.”૪૬ અર્થ - તેને જ ઉત્તમ દ્વિજ એટલે બ્રાહ્મણ પણ કહ્યો કે જે સ્વયં સંસારસમુદ્રથી તરી બીજાને તારવા સમર્થ છે. પણ બ્રાહ્મણકુળમાં જન્મવાથી સાચા બ્રાહ્મણ માનવા તે આત્મહિતને વિસારવા જેવું છે. તેનાથી બીજાનું હિત થઈ શકે નહીં કેમકે પોતે જ આત્મકલ્યાણને પામ્યો નથી. II૪૬ના જયઘોષમુનિ-વાણી સુણીને ઓળખે હવે, વિજયઘોષ ભક્તિથી મુનિને આમ વીનવેઃ ૪૭ અર્થ - જયઘોષ મુનિની વાણી સાંભળીને હવે ઓળખી લીધા કે આ તો મારા ભાઈ જ છે. તેથી વિજયઘોષ ભક્તિથી મુનિને નીચે પ્રમાણે વિનવવા લાગ્યા. //૪ના સાચી બ્રાહ્મણતા બોથી, સાચા યજ્ઞાર્થી આપ છો, વેદવેત્તા તમે સાચા, જ્યોતિષાંગ પ્રવીણ છો. ૪૮ અર્થ - હે ભાઈ! આપે અમને સાચું બ્રાહ્મણપણું કોને કહેવું તેનો બોધ આપ્યો માટે સાચા યજ્ઞાર્થી એટલે કર્મોને બાળી નાખવારૂપ સાચો યજ્ઞ કરનાર તો આપ જ છો. વેદના મર્મને જાણનાર સાચા વેદવેત્તા પણ તમે જ છો. તેમજ જ્યોતિષાંગ એટલે જ્યોતિષના અંગને જાણવામાં પણ તમે જ પ્રવીણ છો. ૪૮. ઘર્મનો પાર પામ્યા છો, તમે ઉદ્ધારનાર છો, ભિક્ષશ્રેષ્ઠ, ગ્રહો ભિક્ષા, કૃપાના કરનાર, હો!”૪૯ અર્થ - તમે ઘર્મનો પાર પામ્યા છો, માટે અમારો ઉદ્ધાર કરવા સમર્થ છો. તમે જ શ્રેષ્ઠ ભિક્ષુ એટલે મુનિ છો, માટે હે કૃપાના કરનાર! આ ભિક્ષાને આપ ગ્રહણ કરો. ૪૯ાા જયઘોષ કહે, “વિપ્ર મારે ભિક્ષા ન જોઈએ, પરંતુ તું ગ્રહી દીક્ષા, સંસારપંક ઘોઈ લે. ૫૦ અર્થ :- જવાબમાં જયઘોષ મુનિ બોલ્યા કે હે વિપ્ર ! મારે ભિક્ષા જોઈતી નથી. પણ તું દીક્ષાને ગ્રહણ કરી આ સંસારરૂપી અંક એટલે કિચડને ઘોઈ નાખ. //૫૦ના
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy