SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આપ્યા વિના ન લે કાંઈ સજીવ નિર્જીવ કદી, દેવો-પશુ-મનુષ્યોશું મૈથુન સેવતો નથી. ૩૮ ભાવાર્થ – જે આપ્યા વિના કદી કાંઈ સજીવ કે નિર્જીવ વસ્તુને લેતા નથી. અર્થાત જે અચોર્ય મહાવ્રતના ઘારક છે. તેમજ દેવો, પશુ કે મનુષ્યો સાથે મૈથુન સેવન કરતા નથી અર્થાત નવવિઘ અખંડ બ્રહ્મચર્યના જે પાલનહાર છે. ૩૮ાા. પાણીમાં પંકજો જેવો અલિપ્ત કામ-ભોગથી, ના ગૃહી ના રસે લુબ્ધ, ભિક્ષા-જીવી સુયોગથી. ૩૯ અર્થ - પાણીમાં રહેતા છતાં પંકજો એટલે કમળો જેમ અસ્પર્શાયેલા રહે છે તેમ એ મહાત્માઓ જગતમાં રહેતા છતાં કામભોગથી સદા અલિપ્ત રહે છે. ગૃહી એટલે ઘરમાં જે મમતા વગરના છે, તેમજ ભોજનરસમાં પણ લુબ્ધતા વિનાના છે. માત્ર ભિક્ષા જીવી એટલે ભિક્ષા લઈને જીવનાર છે અને તે પણ સુયોગથી એટલે બેતાલીશ દોષ રહિત પ્રાસુક આહાર મળે તો જ લેનાર છે. ૩૯થા અકિંચન, ન સંસર્ગ ગૃહસ્થોનો કર્યા કરે, સંબંધો પૂર્વના છોડી આસક્તિ ફરી ના ઘરે. ૪૦ અર્થ - અકિંચન એટલે જે પરિગ્રહ રહિત છે. જે ગૃહસ્થોનો સંસર્ગ એટલે સમાગમ કર્યા કરતા નથી. પૂર્વના સગા સંબંધીઓ કે કુટુંબીઓને એકવાર છોડી દીધા પછી ફરીથી તે પ્રત્યે આસક્તિભાવ ઘરાવતા નથી, અર્થાત્ શુદ્ધ રીતે જે પરિગ્રહત્યાગ મહાવ્રતના ઘારક છે તે જ સાચા બ્રાહ્મણ છે. ૪૦ના પશુઓ મારી હોમ્યાનું યજ્ઞમાં પાપકર્મ જે, બચાવે પાપીને ક્યાંથી? છે ના શરમ કર્મને.૪૧ અર્થ –પશુઓને મારી યજ્ઞમાં હોમ્યાનું જે પાપકર્મ છે તે પાપીને અર્થાત્ યજ્ઞાર્થીને જન્મ જરા મરણથી ક્યાંથી બચાવી શકે, કેમકે કર્મોને કોઈ શરમ નથી. જે પાપકર્મ કરશે તે દુઃખી થશે એવો કર્મનો નિયમ છે. ૪૧ાા સાધુ ના માત્ર મૂંડાવ્ય, બ્રાહ્મણ પ્રણવે નહીં; માત્ર વલ્કલવેશે ના તાપસો, વનમાં રહી–૪૨ અર્થ - માત્ર મુંડન કરાવવાથી સાધુ કહેવાય નહીં. પ્રણવ એટલે ઉૐકાર મંત્રનો જાપ કરવાથી કંઈ સાચો બ્રાહ્મણ થાય નહીં. વનમાં રહીને માત્ર વલ્કલ એટલે ઝાડની છાલ કે પાંદડાના વસ્ત્ર પહેરવાથી કિંઈ તાપસ કહેવાય નહીં. ૪રા મુનિના બાહ્ય ચિહ્નોથી; પરંતુ પૂજ્ય છે ગુણો; સાધુ તો સમતા સાથ્ય, બ્રહ્મચર્ય જ બ્રાહ્મણો. ૪૩ અર્થ :- ઉપરોક્ત બાહ્ય ચિતો માત્રથી મુનિ થાય નહીં. પણ મુનિ તો તેના ગુણોથી ગણાય છે અને ગુણો જ સર્વત્ર પૂજ્ય છે. જેમ સમતાને સાધ્ય કરવાથી સાચું સાધુપણું આવે છે તેમ બ્રહ્મચર્ય ઘારણ કરવાથી જ સાચું બ્રાહ્મણપણું પ્રગટે છે. ૪૩ા. આત્મજ્ઞાને મુનિ માનો, તાપસો તપ આદર્યું, કર્મથી બ્રાહ્મણાદિ છે, દ્વિજ સંસ્કાર સંઘર્યો. ૪૪
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy