SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ચાર સુખય્યા ૧૨૯ દોડતી ફરે છે. તે સર્વનું મૂળ કારણ લોભ છે. પર પદાર્થની ઇચ્છા માત્ર કરવી તે સર્વ લોભ કષાયનું કારણ છે. જેમ જેમ ભૌતિક વસ્તુની જીવને પ્રાપ્તિ થાય છે તેમ તેમ અપાર એવો લોભ પણ વઘતો જાય છે. ।।૧૬।। કીર્તિ-કનક-કાન્તા વિષે લોભતણો નિવાસ; મોટ ઘટે જો તેનો તો સંતોષ-વિકાસ. ૧૭ અર્થ :— જીવને અનાદિથી કીર્તિ, ધન કે સ્ત્રી મેળવવાનો લોભ વિશેષ છે. આ ત્રણ વસ્તુનો જો મોહ ઓછો થાય તો સંતોષભાવ વૃદ્ધિ પામે એમ છે. ।।૧૭।। વારંવાર વિચારથી લોભ-લૂંટ સમજાય; તુચ્છ લોભના યોગથી આત્મા પામર થાય. ૧૮ અર્થ : વારંવાર વિચાર કરવાથી આ લોભ કષાય મારા આત્મઘનને લૂંટી રહ્યો છે એમ સમજાય છે. સંસારની નાશવંત એવી તુચ્છ વસ્તુઓનો લોભ કરવાથી આત્મા પામરપણું ભજે છે, અર્થાત્ તુચ્છ વસ્તુઓ મેળવવા માટે ગમે તેવા કામ કરવા તે તૈયાર થઈ જાય છે. ।।૧૮।। વા-વંટોળ તૃણ ઊંડે, તેમ જ જીવ તણાય; લોભ-થોભ જેણે કર્યો તે સૌ સુખી જણાય. ૧૯ અર્થ :— હવાનો વંટોળો આવ્યે તેમ તણખલા ઉડે તેમજ જીવ પણ લોભ કષાયમાં તણાઈ જાય છે. જેણે લોભનો થોભ કર્યો તે સૌ જીવ જગતમાં સુખી જણાય છે. “સંતોષી નર સદા સુખી,' ।।૧૯।। નિર્લોભી સદ્ગુરુતન્ના સેવો પ્રેમે પાય; તો સંતોષ ઉરે વસે એ જ અચૂક ઉપાય, ૨૦ અર્થ :– નિર્લોભી એવા સદ્ગુરુ ભગવંતના ચરણકમળની પ્રેમપૂર્વક સેવા કરો અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસો તો સંતોષભાવ જરૂર હૃદયમાં આવી વસશે. લોભ કષાયને દૂર કરવાનો એ જ અચૂક ઉપાય છે. ।।૨૦।। (૩) વિષય વિષે વૃત્તિ ફરે. એ જ અસંયમ જાણ, બાહ્ય ત્યાગ પણ નટ-દશા, શું સાથે કલ્યાણ? ૨૧ અર્થ :- હવે ત્રીજી સુખશય્યા સંયમ છે, તેના વિષે સમજાવે છે :– પાંચ ઇન્દ્રિયના શબ્દ, રૂપ, રસ, ગંઘ, સ્પર્શ વિષયોમાં જીવની વૃત્તિ ફર્યા કરે એ જ અસંયમ છે એમ તું જાણ. મનના એવા અસંયમ પરિણામ હોવા છતાં બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી જગતને સાધુ કહેવરાવવું તે નાટક કરનાર નટની સ્થિતિ જેવું છે. જેમ નટ રાજા બને પણ તે રૂપ તે નથી તેમ ‘વેષ ઘર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય.' અથવા 'ઉપર વેષ અચ્છો બન્યો, માંટે મોહ ભરપૂરજી.' એવા જીવો આત્માનું કલ્યાણ શું સાધી શકે? “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે ક૨શે અનર્થજી, ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના’-નિષ્કુલાનંદ ||૨૧||
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy